ગોવામાં કોંગ્રેસ સાવ નવરી થઈ ગઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 11:04:45

એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને ફરી બેઠુ કરવાની કોશિશ કરી રહ્યા છે, તો બીજી તરફ ગોવાના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે. ગોવા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ગોવામાં કોંગ્રેસના માત્ર 11 ધારાસભ્યો છે જેમાંથી 8 ધારાસભ્યોએ કોંગ્રેસનો છેડો ફાડતા કોંગ્રેસને ભારે નુકસાન થયું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સામંત અને ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા.

8 ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા કરી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ભરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે યાત્રા દરમિયાન ગોવામાંથી 8 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી વિદાય લઈ કેસરિયો ધારણ કરી લીધો છે.

Congress cracks in Goa, 8 of its 11 MLAs join BJP | Cities News,The Indian  Express

દિગંબર કામત, દેલિલા લોબો, કેદાર નાઈક, માઈકલ લોબો, રાજેશ ફલદેસાઈ, સંકલ્પ અમોનકર, એલિક્સો સિક્વિરિયા, રૂડોલ્ફ ફર્નાન્ડિઝએ કેસરિયો ધારણ કરતા ભાજપના સમર્થન આવ્યા છે. ભાજપની ટીકા કરનાર કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા જ કોંગ્રેસનો વિરોધ શરૂ કરી દીધો છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે કહ્યું કે મને ઈશ્વરે કહ્યું કે શ્રેષ્ઠ કામ કરે છે તે કર, અને એટલું જ હું ભાજપમાં જોડાયો છું.    

ગોવામાં વધ્યો ભાજપનો દબદબો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ પર કોંગ્રેસના ધારાસભ્યો તેમજ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી રહ્યા છે. આ 8 ધારાસભ્યો ભાજપમાં જોડાતા 40 સીટો ધરાવતા ગોવા વિધાનસભામાં મોટો ફેર બદલ થઈ ગયો છે. આ સાથે જ ભાજપની 28 બેઠક, 2 એમજીપી, ત્રણ અપક્ષ, કોંગ્રેસના 3, આપના 2, જીએફપીના 1, અને આરજીપીના 1ના ધારાસભ્યો થઈ ગયા છે. ત્યારે ભારત જોડો યાત્રા કરતા રાહુલ ગાંધીએ કોંગ્રેસને જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ તેવું નિષ્ણાંતોનું માનવું છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.