ગોવામાં કોંગ્રેસ સાવ નવરી થઈ ગઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 11:04:45

એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને ફરી બેઠુ કરવાની કોશિશ કરી રહ્યા છે, તો બીજી તરફ ગોવાના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે. ગોવા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ગોવામાં કોંગ્રેસના માત્ર 11 ધારાસભ્યો છે જેમાંથી 8 ધારાસભ્યોએ કોંગ્રેસનો છેડો ફાડતા કોંગ્રેસને ભારે નુકસાન થયું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સામંત અને ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા.

8 ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા કરી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ભરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે યાત્રા દરમિયાન ગોવામાંથી 8 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી વિદાય લઈ કેસરિયો ધારણ કરી લીધો છે.

Congress cracks in Goa, 8 of its 11 MLAs join BJP | Cities News,The Indian  Express

દિગંબર કામત, દેલિલા લોબો, કેદાર નાઈક, માઈકલ લોબો, રાજેશ ફલદેસાઈ, સંકલ્પ અમોનકર, એલિક્સો સિક્વિરિયા, રૂડોલ્ફ ફર્નાન્ડિઝએ કેસરિયો ધારણ કરતા ભાજપના સમર્થન આવ્યા છે. ભાજપની ટીકા કરનાર કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા જ કોંગ્રેસનો વિરોધ શરૂ કરી દીધો છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે કહ્યું કે મને ઈશ્વરે કહ્યું કે શ્રેષ્ઠ કામ કરે છે તે કર, અને એટલું જ હું ભાજપમાં જોડાયો છું.    

ગોવામાં વધ્યો ભાજપનો દબદબો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ પર કોંગ્રેસના ધારાસભ્યો તેમજ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી રહ્યા છે. આ 8 ધારાસભ્યો ભાજપમાં જોડાતા 40 સીટો ધરાવતા ગોવા વિધાનસભામાં મોટો ફેર બદલ થઈ ગયો છે. આ સાથે જ ભાજપની 28 બેઠક, 2 એમજીપી, ત્રણ અપક્ષ, કોંગ્રેસના 3, આપના 2, જીએફપીના 1, અને આરજીપીના 1ના ધારાસભ્યો થઈ ગયા છે. ત્યારે ભારત જોડો યાત્રા કરતા રાહુલ ગાંધીએ કોંગ્રેસને જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ તેવું નિષ્ણાંતોનું માનવું છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.