મેરઠમાં CAAનો વિરોધ કરતા 86 પ્રદર્શનકારીઓને અપાઈ સજા


  • Published By :
  • Published Date : 2022-12-25 10:34:34

નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ અનેક સ્થળો પર કરવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનને કારણે ઉત્તરપ્રદેશના અનેક સ્થળો પર વિરોધ પ્રદર્શન કરાયો હતો. જેમાં ખાનગી તેમજ સરકારી મિલકતોને ભારે નુકશાન પહોંચ્યું હતું. મેરઠના અમરોહામાં 20-21 ડિસેમ્બર 2019ના રોજ હિંસા ફાટી નિકળી હતી. આ સમય દરમિયાન જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડવા માટે 86 જેટલા લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે.


પોલીસ કર્મીઓ સાથે થયું હતું ઘર્ષણ 

86 દોષિતો પાસેથી દંડની રકમ વસૂલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ડીએમ તેમની પાસેથી જમીન મહેસૂલની બાકી રકમ તરીકે 427439 વસૂલ કરશે. આ આદેશ યુપી પબ્લિક અને પ્રાઈવેટ પ્રોપર્ટી ડેમેજ રિકવરી ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ મેરઠે આપ્યો છે. સીએએ માટે વિરોઘ પ્રદર્શન માટે ઉત્તરપ્રદેશમાં આ પહેલી સજા આપવામાં આવી છે. 


આરોપી પાસેથી વસૂલાશે નુકસાનની રકમ 

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ સંદર્ભમાં 20 કેસો ચાલી રહ્યા છે. અને 277 આરોપીઓને નોટીસ આપવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરનાર દોષિતોને નોટિસ આપી સંપત્તિને નુકસાન પહોંચડવા બદલ ભરપાઈ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ટ્રિબ્યુનલના અધ્યક્ષે અમરોહા કેસમાં આદેશ આપ્યો હતો. જેમાં પોલીસકર્મીઓ સાથેની અથડામણ દરમિયાન 427439 રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. આ કેસમાં 86 લોકોને આરોપી જાહેર કરવામાં આવ્યા છે. હવે 86 લોકો પાસેથી 4971 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. રકમ જમા કરાવા 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.         



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે