મેરઠમાં CAAનો વિરોધ કરતા 86 પ્રદર્શનકારીઓને અપાઈ સજા


  • Published By :
  • Published Date : 2022-12-25 10:34:34

નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ અનેક સ્થળો પર કરવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનને કારણે ઉત્તરપ્રદેશના અનેક સ્થળો પર વિરોધ પ્રદર્શન કરાયો હતો. જેમાં ખાનગી તેમજ સરકારી મિલકતોને ભારે નુકશાન પહોંચ્યું હતું. મેરઠના અમરોહામાં 20-21 ડિસેમ્બર 2019ના રોજ હિંસા ફાટી નિકળી હતી. આ સમય દરમિયાન જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડવા માટે 86 જેટલા લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે.


પોલીસ કર્મીઓ સાથે થયું હતું ઘર્ષણ 

86 દોષિતો પાસેથી દંડની રકમ વસૂલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ડીએમ તેમની પાસેથી જમીન મહેસૂલની બાકી રકમ તરીકે 427439 વસૂલ કરશે. આ આદેશ યુપી પબ્લિક અને પ્રાઈવેટ પ્રોપર્ટી ડેમેજ રિકવરી ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ મેરઠે આપ્યો છે. સીએએ માટે વિરોઘ પ્રદર્શન માટે ઉત્તરપ્રદેશમાં આ પહેલી સજા આપવામાં આવી છે. 


આરોપી પાસેથી વસૂલાશે નુકસાનની રકમ 

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ સંદર્ભમાં 20 કેસો ચાલી રહ્યા છે. અને 277 આરોપીઓને નોટીસ આપવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરનાર દોષિતોને નોટિસ આપી સંપત્તિને નુકસાન પહોંચડવા બદલ ભરપાઈ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ટ્રિબ્યુનલના અધ્યક્ષે અમરોહા કેસમાં આદેશ આપ્યો હતો. જેમાં પોલીસકર્મીઓ સાથેની અથડામણ દરમિયાન 427439 રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. આ કેસમાં 86 લોકોને આરોપી જાહેર કરવામાં આવ્યા છે. હવે 86 લોકો પાસેથી 4971 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. રકમ જમા કરાવા 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.         



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.