મેરઠમાં CAAનો વિરોધ કરતા 86 પ્રદર્શનકારીઓને અપાઈ સજા


  • Published By :
  • Published Date : 2022-12-25 10:34:34

નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ અનેક સ્થળો પર કરવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનને કારણે ઉત્તરપ્રદેશના અનેક સ્થળો પર વિરોધ પ્રદર્શન કરાયો હતો. જેમાં ખાનગી તેમજ સરકારી મિલકતોને ભારે નુકશાન પહોંચ્યું હતું. મેરઠના અમરોહામાં 20-21 ડિસેમ્બર 2019ના રોજ હિંસા ફાટી નિકળી હતી. આ સમય દરમિયાન જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડવા માટે 86 જેટલા લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે.


પોલીસ કર્મીઓ સાથે થયું હતું ઘર્ષણ 

86 દોષિતો પાસેથી દંડની રકમ વસૂલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ડીએમ તેમની પાસેથી જમીન મહેસૂલની બાકી રકમ તરીકે 427439 વસૂલ કરશે. આ આદેશ યુપી પબ્લિક અને પ્રાઈવેટ પ્રોપર્ટી ડેમેજ રિકવરી ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ મેરઠે આપ્યો છે. સીએએ માટે વિરોઘ પ્રદર્શન માટે ઉત્તરપ્રદેશમાં આ પહેલી સજા આપવામાં આવી છે. 


આરોપી પાસેથી વસૂલાશે નુકસાનની રકમ 

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ સંદર્ભમાં 20 કેસો ચાલી રહ્યા છે. અને 277 આરોપીઓને નોટીસ આપવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરનાર દોષિતોને નોટિસ આપી સંપત્તિને નુકસાન પહોંચડવા બદલ ભરપાઈ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ટ્રિબ્યુનલના અધ્યક્ષે અમરોહા કેસમાં આદેશ આપ્યો હતો. જેમાં પોલીસકર્મીઓ સાથેની અથડામણ દરમિયાન 427439 રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. આ કેસમાં 86 લોકોને આરોપી જાહેર કરવામાં આવ્યા છે. હવે 86 લોકો પાસેથી 4971 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. રકમ જમા કરાવા 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.         



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.