મેરઠમાં CAAનો વિરોધ કરતા 86 પ્રદર્શનકારીઓને અપાઈ સજા


  • Published By :
  • Published Date : 2022-12-25 10:34:34

નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ અનેક સ્થળો પર કરવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનને કારણે ઉત્તરપ્રદેશના અનેક સ્થળો પર વિરોધ પ્રદર્શન કરાયો હતો. જેમાં ખાનગી તેમજ સરકારી મિલકતોને ભારે નુકશાન પહોંચ્યું હતું. મેરઠના અમરોહામાં 20-21 ડિસેમ્બર 2019ના રોજ હિંસા ફાટી નિકળી હતી. આ સમય દરમિયાન જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડવા માટે 86 જેટલા લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે.


પોલીસ કર્મીઓ સાથે થયું હતું ઘર્ષણ 

86 દોષિતો પાસેથી દંડની રકમ વસૂલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ડીએમ તેમની પાસેથી જમીન મહેસૂલની બાકી રકમ તરીકે 427439 વસૂલ કરશે. આ આદેશ યુપી પબ્લિક અને પ્રાઈવેટ પ્રોપર્ટી ડેમેજ રિકવરી ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ મેરઠે આપ્યો છે. સીએએ માટે વિરોઘ પ્રદર્શન માટે ઉત્તરપ્રદેશમાં આ પહેલી સજા આપવામાં આવી છે. 


આરોપી પાસેથી વસૂલાશે નુકસાનની રકમ 

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ સંદર્ભમાં 20 કેસો ચાલી રહ્યા છે. અને 277 આરોપીઓને નોટીસ આપવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરનાર દોષિતોને નોટિસ આપી સંપત્તિને નુકસાન પહોંચડવા બદલ ભરપાઈ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ટ્રિબ્યુનલના અધ્યક્ષે અમરોહા કેસમાં આદેશ આપ્યો હતો. જેમાં પોલીસકર્મીઓ સાથેની અથડામણ દરમિયાન 427439 રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. આ કેસમાં 86 લોકોને આરોપી જાહેર કરવામાં આવ્યા છે. હવે 86 લોકો પાસેથી 4971 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. રકમ જમા કરાવા 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.         



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.