પાકિસ્તાનમાં મકાનની છત ધરાશાયી થતાં પરિવારના 9 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 22:00:12


ઉત્તરી પાકિસ્તાનમાં એક કાચા મકાનની છત ધરાશાયી થતાં એક પરિવારના નવ લોકોનાં મોત થઈ ગયા હતા. પાકિસ્તાન મીડિયાના જણાવ્યા મુજબ દુર્ઘટના ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારના ચિલાસ શહેરમાં થઈ હતી. દુર્ઘટનામાં એક રેસ્ટોરાંના વેઈટરની પત્ની, ચાર પુત્રો અને ચાર પુત્રીઓના મોત થયા છે. દુર્ઘટના સમયે વેઈટર કામ પર ગયો હતો. મૃત્યુ પામેલા ભાઈ-બહેનોની ઉંમર 2થી 12 વર્ષની અંદર હતી.   

ઈસ્લામાબાદના શૉપિંગ મૉલમાં લાગી આગ

પાકિસ્તાનના ઈસ્લામાબાદના એક શોપિંગ મૉલમાં આગ લાગી હતી. હાલ મૉલ અંદરના લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ અનુસાર ફાયરવિભાગની ગાડીઓ પહોંચી હતી અને તડામાર કામગીરી કરી હતી. 






રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .