પાકિસ્તાનમાં મકાનની છત ધરાશાયી થતાં પરિવારના 9 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 22:00:12


ઉત્તરી પાકિસ્તાનમાં એક કાચા મકાનની છત ધરાશાયી થતાં એક પરિવારના નવ લોકોનાં મોત થઈ ગયા હતા. પાકિસ્તાન મીડિયાના જણાવ્યા મુજબ દુર્ઘટના ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારના ચિલાસ શહેરમાં થઈ હતી. દુર્ઘટનામાં એક રેસ્ટોરાંના વેઈટરની પત્ની, ચાર પુત્રો અને ચાર પુત્રીઓના મોત થયા છે. દુર્ઘટના સમયે વેઈટર કામ પર ગયો હતો. મૃત્યુ પામેલા ભાઈ-બહેનોની ઉંમર 2થી 12 વર્ષની અંદર હતી.   

ઈસ્લામાબાદના શૉપિંગ મૉલમાં લાગી આગ

પાકિસ્તાનના ઈસ્લામાબાદના એક શોપિંગ મૉલમાં આગ લાગી હતી. હાલ મૉલ અંદરના લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ અનુસાર ફાયરવિભાગની ગાડીઓ પહોંચી હતી અને તડામાર કામગીરી કરી હતી. 






આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.