કેન્દ્રમાં આવ્યે ભાજપ સરકારને પૂર્ણ થયા 9 વર્ષ, પીએમ મોદી સહિતના નેતાઓએ આ કરી ટ્વિટ, ભાજપે આ નિમિત્તે વીડિયો કર્યો શેર!


  • Published By :
  • Published Date : 2023-05-30 16:08:30

ભાજપ સરકારને કેન્દ્રમાં આવ્યે આજે 9 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 9 વર્ષ પૂર્ણ થયા થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે આજે જ્યારે રાષ્ટ્રની સેવામાં 9 વર્ષ પૂર્ણ કર્યા. દરેક નિર્ણય, દરેક પગલું લોકોના હીત માટે લેવાયા. વિકસીત ભારતના નિર્માણ માટે વધુને વધુ મહેનત કરતા રહીશું. પીએમ મોદી સિવાય અમિત શાહે પણ આને લઈ ટ્વિટ કર્યું હતું. શાહે લખ્યું કે મોદી સરકારના 9 વર્ષ સુરક્ષા, રાષ્ટ્રીય ગૌરવ, વિકાસ અને ગરીબ કલ્યાણના અભૂતપૂર્વ 9 વર્ષ રહ્યા. તે સિવાય બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લખ્યું કે મોદી સરકારના 9 વર્ષ સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણના રહ્યા.

  

અજમેરમાં પીએમ મોદી કરશે સંબોધન! 

2014માં ભાજપની કેન્દ્રમાં સરકાર બની હતી. 30મે 2023ના રોજ કેન્દ્રમાં ભાજપને આવ્યે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કર્યું હતું. ત્યારે લોકો સુધી પહોંચવા માટે 30 મેથી 30 જૂન વચ્ચે સમગ્ર દેશમાં જનસંપર્ક અભિયાન ચલાવામાં આવશે. સમગ્ર દેશમાં 50થી વધુ રેલીઓનું આયોજન કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર 31મેના રોજ અજમેર ખાતે પીએમ મોદી રેલી સંબોધવાના છે. 

દેશભરમાં ચલાવાશે જનસંપર્ક અભિયાન! 

ભાજપે લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પણ ભાજપનો વિજય થાય તે માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. પીએમ મોદી સિવાય જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓને જવાબદારી સોંપવામાં  આવી છે. જનસંપર્ક અભિયાનમાં ભૂમિકા નિભાવશે. બીજેપી દ્વારા એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવવામાં આવ્યા છે. 30 મેથી 30 જૂન વચ્ચે સમગ્ર દેશમાં જનસંપર્ક અભિયાન ચલાવામાં આવશે. 

ભાજપ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો!

9 વર્ષના સમયકાળ દરમિયાન ભાજપ દ્વારા અનેક એવા નિર્ણય લેવામાં આવ્યા હતા જેણે બધાને અચંબિત કરી દીધા હતા. દેશમાં GST લાગુ કરવામાં આવ્યો હતો, તે સિવાય નોટબંધી જેવા નિર્ણયો પણ મોદી સરકાર દ્વારા લેવાયા હતા. તે સિવાય જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.