કેન્દ્રમાં આવ્યે ભાજપ સરકારને પૂર્ણ થયા 9 વર્ષ, પીએમ મોદી સહિતના નેતાઓએ આ કરી ટ્વિટ, ભાજપે આ નિમિત્તે વીડિયો કર્યો શેર!


  • Published By :
  • Published Date : 2023-05-30 16:08:30

ભાજપ સરકારને કેન્દ્રમાં આવ્યે આજે 9 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 9 વર્ષ પૂર્ણ થયા થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે આજે જ્યારે રાષ્ટ્રની સેવામાં 9 વર્ષ પૂર્ણ કર્યા. દરેક નિર્ણય, દરેક પગલું લોકોના હીત માટે લેવાયા. વિકસીત ભારતના નિર્માણ માટે વધુને વધુ મહેનત કરતા રહીશું. પીએમ મોદી સિવાય અમિત શાહે પણ આને લઈ ટ્વિટ કર્યું હતું. શાહે લખ્યું કે મોદી સરકારના 9 વર્ષ સુરક્ષા, રાષ્ટ્રીય ગૌરવ, વિકાસ અને ગરીબ કલ્યાણના અભૂતપૂર્વ 9 વર્ષ રહ્યા. તે સિવાય બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લખ્યું કે મોદી સરકારના 9 વર્ષ સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણના રહ્યા.

  

અજમેરમાં પીએમ મોદી કરશે સંબોધન! 

2014માં ભાજપની કેન્દ્રમાં સરકાર બની હતી. 30મે 2023ના રોજ કેન્દ્રમાં ભાજપને આવ્યે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કર્યું હતું. ત્યારે લોકો સુધી પહોંચવા માટે 30 મેથી 30 જૂન વચ્ચે સમગ્ર દેશમાં જનસંપર્ક અભિયાન ચલાવામાં આવશે. સમગ્ર દેશમાં 50થી વધુ રેલીઓનું આયોજન કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર 31મેના રોજ અજમેર ખાતે પીએમ મોદી રેલી સંબોધવાના છે. 

દેશભરમાં ચલાવાશે જનસંપર્ક અભિયાન! 

ભાજપે લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પણ ભાજપનો વિજય થાય તે માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. પીએમ મોદી સિવાય જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓને જવાબદારી સોંપવામાં  આવી છે. જનસંપર્ક અભિયાનમાં ભૂમિકા નિભાવશે. બીજેપી દ્વારા એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવવામાં આવ્યા છે. 30 મેથી 30 જૂન વચ્ચે સમગ્ર દેશમાં જનસંપર્ક અભિયાન ચલાવામાં આવશે. 

ભાજપ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો!

9 વર્ષના સમયકાળ દરમિયાન ભાજપ દ્વારા અનેક એવા નિર્ણય લેવામાં આવ્યા હતા જેણે બધાને અચંબિત કરી દીધા હતા. દેશમાં GST લાગુ કરવામાં આવ્યો હતો, તે સિવાય નોટબંધી જેવા નિર્ણયો પણ મોદી સરકાર દ્વારા લેવાયા હતા. તે સિવાય જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.