કેન્દ્રમાં આવ્યે ભાજપ સરકારને પૂર્ણ થયા 9 વર્ષ, પીએમ મોદી સહિતના નેતાઓએ આ કરી ટ્વિટ, ભાજપે આ નિમિત્તે વીડિયો કર્યો શેર!


  • Published By :
  • Published Date : 2023-05-30 16:08:30

ભાજપ સરકારને કેન્દ્રમાં આવ્યે આજે 9 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 9 વર્ષ પૂર્ણ થયા થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે આજે જ્યારે રાષ્ટ્રની સેવામાં 9 વર્ષ પૂર્ણ કર્યા. દરેક નિર્ણય, દરેક પગલું લોકોના હીત માટે લેવાયા. વિકસીત ભારતના નિર્માણ માટે વધુને વધુ મહેનત કરતા રહીશું. પીએમ મોદી સિવાય અમિત શાહે પણ આને લઈ ટ્વિટ કર્યું હતું. શાહે લખ્યું કે મોદી સરકારના 9 વર્ષ સુરક્ષા, રાષ્ટ્રીય ગૌરવ, વિકાસ અને ગરીબ કલ્યાણના અભૂતપૂર્વ 9 વર્ષ રહ્યા. તે સિવાય બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લખ્યું કે મોદી સરકારના 9 વર્ષ સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણના રહ્યા.

  

અજમેરમાં પીએમ મોદી કરશે સંબોધન! 

2014માં ભાજપની કેન્દ્રમાં સરકાર બની હતી. 30મે 2023ના રોજ કેન્દ્રમાં ભાજપને આવ્યે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કર્યું હતું. ત્યારે લોકો સુધી પહોંચવા માટે 30 મેથી 30 જૂન વચ્ચે સમગ્ર દેશમાં જનસંપર્ક અભિયાન ચલાવામાં આવશે. સમગ્ર દેશમાં 50થી વધુ રેલીઓનું આયોજન કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર 31મેના રોજ અજમેર ખાતે પીએમ મોદી રેલી સંબોધવાના છે. 

દેશભરમાં ચલાવાશે જનસંપર્ક અભિયાન! 

ભાજપે લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પણ ભાજપનો વિજય થાય તે માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. પીએમ મોદી સિવાય જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓને જવાબદારી સોંપવામાં  આવી છે. જનસંપર્ક અભિયાનમાં ભૂમિકા નિભાવશે. બીજેપી દ્વારા એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવવામાં આવ્યા છે. 30 મેથી 30 જૂન વચ્ચે સમગ્ર દેશમાં જનસંપર્ક અભિયાન ચલાવામાં આવશે. 

ભાજપ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો!

9 વર્ષના સમયકાળ દરમિયાન ભાજપ દ્વારા અનેક એવા નિર્ણય લેવામાં આવ્યા હતા જેણે બધાને અચંબિત કરી દીધા હતા. દેશમાં GST લાગુ કરવામાં આવ્યો હતો, તે સિવાય નોટબંધી જેવા નિર્ણયો પણ મોદી સરકાર દ્વારા લેવાયા હતા. તે સિવાય જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.