કેન્દ્રમાં આવ્યે ભાજપ સરકારને પૂર્ણ થયા 9 વર્ષ, પીએમ મોદી સહિતના નેતાઓએ આ કરી ટ્વિટ, ભાજપે આ નિમિત્તે વીડિયો કર્યો શેર!


  • Published By :
  • Published Date : 2023-05-30 16:08:30

ભાજપ સરકારને કેન્દ્રમાં આવ્યે આજે 9 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 9 વર્ષ પૂર્ણ થયા થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે આજે જ્યારે રાષ્ટ્રની સેવામાં 9 વર્ષ પૂર્ણ કર્યા. દરેક નિર્ણય, દરેક પગલું લોકોના હીત માટે લેવાયા. વિકસીત ભારતના નિર્માણ માટે વધુને વધુ મહેનત કરતા રહીશું. પીએમ મોદી સિવાય અમિત શાહે પણ આને લઈ ટ્વિટ કર્યું હતું. શાહે લખ્યું કે મોદી સરકારના 9 વર્ષ સુરક્ષા, રાષ્ટ્રીય ગૌરવ, વિકાસ અને ગરીબ કલ્યાણના અભૂતપૂર્વ 9 વર્ષ રહ્યા. તે સિવાય બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લખ્યું કે મોદી સરકારના 9 વર્ષ સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણના રહ્યા.

  

અજમેરમાં પીએમ મોદી કરશે સંબોધન! 

2014માં ભાજપની કેન્દ્રમાં સરકાર બની હતી. 30મે 2023ના રોજ કેન્દ્રમાં ભાજપને આવ્યે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કર્યું હતું. ત્યારે લોકો સુધી પહોંચવા માટે 30 મેથી 30 જૂન વચ્ચે સમગ્ર દેશમાં જનસંપર્ક અભિયાન ચલાવામાં આવશે. સમગ્ર દેશમાં 50થી વધુ રેલીઓનું આયોજન કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર 31મેના રોજ અજમેર ખાતે પીએમ મોદી રેલી સંબોધવાના છે. 

દેશભરમાં ચલાવાશે જનસંપર્ક અભિયાન! 

ભાજપે લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પણ ભાજપનો વિજય થાય તે માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. પીએમ મોદી સિવાય જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓને જવાબદારી સોંપવામાં  આવી છે. જનસંપર્ક અભિયાનમાં ભૂમિકા નિભાવશે. બીજેપી દ્વારા એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવવામાં આવ્યા છે. 30 મેથી 30 જૂન વચ્ચે સમગ્ર દેશમાં જનસંપર્ક અભિયાન ચલાવામાં આવશે. 

ભાજપ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો!

9 વર્ષના સમયકાળ દરમિયાન ભાજપ દ્વારા અનેક એવા નિર્ણય લેવામાં આવ્યા હતા જેણે બધાને અચંબિત કરી દીધા હતા. દેશમાં GST લાગુ કરવામાં આવ્યો હતો, તે સિવાય નોટબંધી જેવા નિર્ણયો પણ મોદી સરકાર દ્વારા લેવાયા હતા. તે સિવાય જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.