T-20 વર્લ્ડ કપ પહેલા ભારતીયોને મોટો ઝટકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:17:30

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર બુમ બુમ બુમરાહ એટલે કે જસપ્રીત બુમરાહને પીઠના ભાગમાં ઈજા પહોંચતા તેઓ T20 વર્લ્ડકપમાંથી બહાર થયા છે. તેમને કોઈ સર્જરીની જરૂર નથી પરંતુ સૂત્રો અનુસાર 4-6 મહિના માટે આરામ કરવો પડશે. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે ત્રિવેન્દ્રમ નથી ગયા.


અગાઉ પણ જસપ્રીત બુમરાહ બે જ મેચ રમી ચૂક્યા હતા

સમાચાર એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના બીસીસીઆઈના સૂત્રોના માધ્યમથી સમાચાર આવી રહ્યા છે કે બુમરાહ આગામી ટી 20માં ભાગ નહીં લે. હજુ સુધી બીસીસીઆઈએ સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી. બુમરાહને ઓસ્ટ્રેલિયા સીરીઝમાં જ ઈજા પહોંચી હતી પરંતુ પછી તેઓ બે જ મેચ રમી ચૂક્યા હતા. સાથે જ સાઉથ આફ્રિકા સામેની પહેલી મેચમાં પણ તેઓ પ્લેઈંગ ઈલેવનમાં પોતાની જગ્યા નહોતા બનાવી શક્યા. જેના કારણે બુમરાહ સુપર ફોર સ્ટેજથી પણ બહાર થવું પડ્યું હતું. 


બુમરાહ નહીં રમે તો શમીને મળી શકે છે તક

સમાચાર મળી રહ્યા છે કે બુમરાહની ઈજા બહુ ગંભીર છે અને તેઓ 4થી 6 મહિના સુધી ગ્રાઉન્ડ પર નહીં રમી શકે. જો કે હજુ સુધી બીસીસીઆઈએ સમગ્ર મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરી. બુમરાહ ઓન ફિલ્ડ નહીં રહે તો ભારતીય ટીમના ફાસ્ટ બોલ મોહમ્મદ શમીને ટી-20 વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળી શકે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.