T-20 વર્લ્ડ કપ પહેલા ભારતીયોને મોટો ઝટકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:17:30

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર બુમ બુમ બુમરાહ એટલે કે જસપ્રીત બુમરાહને પીઠના ભાગમાં ઈજા પહોંચતા તેઓ T20 વર્લ્ડકપમાંથી બહાર થયા છે. તેમને કોઈ સર્જરીની જરૂર નથી પરંતુ સૂત્રો અનુસાર 4-6 મહિના માટે આરામ કરવો પડશે. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે ત્રિવેન્દ્રમ નથી ગયા.


અગાઉ પણ જસપ્રીત બુમરાહ બે જ મેચ રમી ચૂક્યા હતા

સમાચાર એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના બીસીસીઆઈના સૂત્રોના માધ્યમથી સમાચાર આવી રહ્યા છે કે બુમરાહ આગામી ટી 20માં ભાગ નહીં લે. હજુ સુધી બીસીસીઆઈએ સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી. બુમરાહને ઓસ્ટ્રેલિયા સીરીઝમાં જ ઈજા પહોંચી હતી પરંતુ પછી તેઓ બે જ મેચ રમી ચૂક્યા હતા. સાથે જ સાઉથ આફ્રિકા સામેની પહેલી મેચમાં પણ તેઓ પ્લેઈંગ ઈલેવનમાં પોતાની જગ્યા નહોતા બનાવી શક્યા. જેના કારણે બુમરાહ સુપર ફોર સ્ટેજથી પણ બહાર થવું પડ્યું હતું. 


બુમરાહ નહીં રમે તો શમીને મળી શકે છે તક

સમાચાર મળી રહ્યા છે કે બુમરાહની ઈજા બહુ ગંભીર છે અને તેઓ 4થી 6 મહિના સુધી ગ્રાઉન્ડ પર નહીં રમી શકે. જો કે હજુ સુધી બીસીસીઆઈએ સમગ્ર મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરી. બુમરાહ ઓન ફિલ્ડ નહીં રહે તો ભારતીય ટીમના ફાસ્ટ બોલ મોહમ્મદ શમીને ટી-20 વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળી શકે છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.