T-20 વર્લ્ડ કપ પહેલા ભારતીયોને મોટો ઝટકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:17:30

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર બુમ બુમ બુમરાહ એટલે કે જસપ્રીત બુમરાહને પીઠના ભાગમાં ઈજા પહોંચતા તેઓ T20 વર્લ્ડકપમાંથી બહાર થયા છે. તેમને કોઈ સર્જરીની જરૂર નથી પરંતુ સૂત્રો અનુસાર 4-6 મહિના માટે આરામ કરવો પડશે. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે ત્રિવેન્દ્રમ નથી ગયા.


અગાઉ પણ જસપ્રીત બુમરાહ બે જ મેચ રમી ચૂક્યા હતા

સમાચાર એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના બીસીસીઆઈના સૂત્રોના માધ્યમથી સમાચાર આવી રહ્યા છે કે બુમરાહ આગામી ટી 20માં ભાગ નહીં લે. હજુ સુધી બીસીસીઆઈએ સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી. બુમરાહને ઓસ્ટ્રેલિયા સીરીઝમાં જ ઈજા પહોંચી હતી પરંતુ પછી તેઓ બે જ મેચ રમી ચૂક્યા હતા. સાથે જ સાઉથ આફ્રિકા સામેની પહેલી મેચમાં પણ તેઓ પ્લેઈંગ ઈલેવનમાં પોતાની જગ્યા નહોતા બનાવી શક્યા. જેના કારણે બુમરાહ સુપર ફોર સ્ટેજથી પણ બહાર થવું પડ્યું હતું. 


બુમરાહ નહીં રમે તો શમીને મળી શકે છે તક

સમાચાર મળી રહ્યા છે કે બુમરાહની ઈજા બહુ ગંભીર છે અને તેઓ 4થી 6 મહિના સુધી ગ્રાઉન્ડ પર નહીં રમી શકે. જો કે હજુ સુધી બીસીસીઆઈએ સમગ્ર મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરી. બુમરાહ ઓન ફિલ્ડ નહીં રહે તો ભારતીય ટીમના ફાસ્ટ બોલ મોહમ્મદ શમીને ટી-20 વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળી શકે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.