દિલ્હી લીકર કૌભાંડમાં થયો મોટો ખુલાસો! ચાર્જશીટમાં AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામેલ! જાણો રાઘવ ચઢ્ઢાએ શું આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-05-02 15:21:44

દિલ્હીના કથિત લિકર પોલીસી કૌભાંડ સૌથી ચર્ચિત વિષય છે. આ મામલે આપણે સૌ જાણીએ છીએ. પણ આ મામલે નવી અપડેટ આવી છે. અપડેટ એવી કંઈક છે કે દારુ કાંડમાં વધુ એક નેતાનું નામ સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાનું પણ નામ સામે આવ્યું છે. પોલીસે બીજી ચાર્જશીટ દાખલ કરી છે તેમાં નામ હોવાનું સામે આવ્યું છે.

    

ચાર્જશીટમાં આવ્યું રાઘવ ચઢ્ઢાનું નામ!

દિલ્લી સરકારની કથિત લિકર પોલીસી કાંડમાં ઈડીએ બીજી સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.. આ ચાર્જશીટમાં રાઘવ ચઢ્ઢાનું પણ નામ આવ્યું છે.. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓએ લાંચ લેવાનું ષડયંત્ર આચર્યું છે. રૂપિયાની કથિત લેવડદેવડ થઈ હોવાની વાત આ ચાર્જશીટમાં કરવામાં આવી છે તેવું ચર્ચાઈ રહ્યું છે. 


મીટિંગમાં આટલા લોકો હતા હાજર! 

રાઘવ ચઢ્ઢાનું નામ ચાર્જશીટમાં આવતાની સાથે જ હોબાળો મચી ગયો છે.. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સિસોદિયાના ઘરે બેઠક થઈ તેમાં રાઘવ ચઢ્ઢા પણ સામેલ હતા.. મનીષ સિસોદિયાના પીએ સી અરવિંદે પોતાના નિવેદનમાં રાઘવ ચઢ્ઢાનું નામ લીધું છે. નિવેદનમાં તેમણે કહ્યું છે કે મીટિંગમાં રાઘવ ચઢ્ઢા, પંજાબના એક્સાઈઝ કમિશનર, એક્સાઈઝ ઓફિસર અને વિજય નાયર પણ સામેલ હતા.

 

રાઘવ ચઢ્ઢાએ આપી પ્રતિક્રિયા!

ઈડીની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે કવિતા, સરથ ચંદ્ર રેડ્ડી, અરુણ પિલ્લાઈ અને સમીર મહેંદ્રુ સાથે દિલ્લીની લિકર પોલીસી પર બેઠક કરી હતી. આ બધા લોકોની પર્સનલ ડીટેઈલ વગેરે ચાર્જશીટની અંદર છે જે ખૂબ ગુંચવણ ભરી છે એટલે આપણે તે સ્કીપ કરીએ છીએ પણ ખાલી મુદ્દો સમજવા વાત કરીએ તો વિવિધ લોકો સાથે લિકર પોલીસી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અને કઈ રીતે તોડ કરવામાં આવશે તેનો તખતો રચાયો હતો. ત્યારે આ મામલે રાઘવ ચઢ્ઢાએ પ્રતિક્રિયા આપી છે. 


રાઘવ ચઢ્ઢા વિરૂદ્ધ કરાશે કાર્યવાહી!

આખો મુદ્દો સમજીએ તો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા ઓલરેડી લિકર પોલીસી કૌભાંડમાં જેલના સળિયા પાછળ છે... હવે રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યું છે... પહેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે મનીષ સીસોદિયાએ રિષ્વત માટે ઈમેઈલ પ્લાન્ટ કર્યા હતા.... મનીષ સીસોદિયાએ પ્રોપર્ટી માર્જીનને જાણી જોઈને 6 ટકાથી 12 ટકા કરી દીધા હતા કારણ કે તેનાથી લાંચ લઈ શકાય... તો હવે રાઘવ ચઢ્ઢા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહેશે...



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.