દિલ્હી લીકર કૌભાંડમાં થયો મોટો ખુલાસો! ચાર્જશીટમાં AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામેલ! જાણો રાઘવ ચઢ્ઢાએ શું આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-05-02 15:21:44

દિલ્હીના કથિત લિકર પોલીસી કૌભાંડ સૌથી ચર્ચિત વિષય છે. આ મામલે આપણે સૌ જાણીએ છીએ. પણ આ મામલે નવી અપડેટ આવી છે. અપડેટ એવી કંઈક છે કે દારુ કાંડમાં વધુ એક નેતાનું નામ સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાનું પણ નામ સામે આવ્યું છે. પોલીસે બીજી ચાર્જશીટ દાખલ કરી છે તેમાં નામ હોવાનું સામે આવ્યું છે.

    

ચાર્જશીટમાં આવ્યું રાઘવ ચઢ્ઢાનું નામ!

દિલ્લી સરકારની કથિત લિકર પોલીસી કાંડમાં ઈડીએ બીજી સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.. આ ચાર્જશીટમાં રાઘવ ચઢ્ઢાનું પણ નામ આવ્યું છે.. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓએ લાંચ લેવાનું ષડયંત્ર આચર્યું છે. રૂપિયાની કથિત લેવડદેવડ થઈ હોવાની વાત આ ચાર્જશીટમાં કરવામાં આવી છે તેવું ચર્ચાઈ રહ્યું છે. 


મીટિંગમાં આટલા લોકો હતા હાજર! 

રાઘવ ચઢ્ઢાનું નામ ચાર્જશીટમાં આવતાની સાથે જ હોબાળો મચી ગયો છે.. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સિસોદિયાના ઘરે બેઠક થઈ તેમાં રાઘવ ચઢ્ઢા પણ સામેલ હતા.. મનીષ સિસોદિયાના પીએ સી અરવિંદે પોતાના નિવેદનમાં રાઘવ ચઢ્ઢાનું નામ લીધું છે. નિવેદનમાં તેમણે કહ્યું છે કે મીટિંગમાં રાઘવ ચઢ્ઢા, પંજાબના એક્સાઈઝ કમિશનર, એક્સાઈઝ ઓફિસર અને વિજય નાયર પણ સામેલ હતા.

 

રાઘવ ચઢ્ઢાએ આપી પ્રતિક્રિયા!

ઈડીની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે કવિતા, સરથ ચંદ્ર રેડ્ડી, અરુણ પિલ્લાઈ અને સમીર મહેંદ્રુ સાથે દિલ્લીની લિકર પોલીસી પર બેઠક કરી હતી. આ બધા લોકોની પર્સનલ ડીટેઈલ વગેરે ચાર્જશીટની અંદર છે જે ખૂબ ગુંચવણ ભરી છે એટલે આપણે તે સ્કીપ કરીએ છીએ પણ ખાલી મુદ્દો સમજવા વાત કરીએ તો વિવિધ લોકો સાથે લિકર પોલીસી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અને કઈ રીતે તોડ કરવામાં આવશે તેનો તખતો રચાયો હતો. ત્યારે આ મામલે રાઘવ ચઢ્ઢાએ પ્રતિક્રિયા આપી છે. 


રાઘવ ચઢ્ઢા વિરૂદ્ધ કરાશે કાર્યવાહી!

આખો મુદ્દો સમજીએ તો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા ઓલરેડી લિકર પોલીસી કૌભાંડમાં જેલના સળિયા પાછળ છે... હવે રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યું છે... પહેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે મનીષ સીસોદિયાએ રિષ્વત માટે ઈમેઈલ પ્લાન્ટ કર્યા હતા.... મનીષ સીસોદિયાએ પ્રોપર્ટી માર્જીનને જાણી જોઈને 6 ટકાથી 12 ટકા કરી દીધા હતા કારણ કે તેનાથી લાંચ લઈ શકાય... તો હવે રાઘવ ચઢ્ઢા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહેશે...



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.