દિલ્હી લીકર કૌભાંડમાં થયો મોટો ખુલાસો! ચાર્જશીટમાં AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામેલ! જાણો રાઘવ ચઢ્ઢાએ શું આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-05-02 15:21:44

દિલ્હીના કથિત લિકર પોલીસી કૌભાંડ સૌથી ચર્ચિત વિષય છે. આ મામલે આપણે સૌ જાણીએ છીએ. પણ આ મામલે નવી અપડેટ આવી છે. અપડેટ એવી કંઈક છે કે દારુ કાંડમાં વધુ એક નેતાનું નામ સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાનું પણ નામ સામે આવ્યું છે. પોલીસે બીજી ચાર્જશીટ દાખલ કરી છે તેમાં નામ હોવાનું સામે આવ્યું છે.

    

ચાર્જશીટમાં આવ્યું રાઘવ ચઢ્ઢાનું નામ!

દિલ્લી સરકારની કથિત લિકર પોલીસી કાંડમાં ઈડીએ બીજી સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.. આ ચાર્જશીટમાં રાઘવ ચઢ્ઢાનું પણ નામ આવ્યું છે.. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓએ લાંચ લેવાનું ષડયંત્ર આચર્યું છે. રૂપિયાની કથિત લેવડદેવડ થઈ હોવાની વાત આ ચાર્જશીટમાં કરવામાં આવી છે તેવું ચર્ચાઈ રહ્યું છે. 


મીટિંગમાં આટલા લોકો હતા હાજર! 

રાઘવ ચઢ્ઢાનું નામ ચાર્જશીટમાં આવતાની સાથે જ હોબાળો મચી ગયો છે.. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સિસોદિયાના ઘરે બેઠક થઈ તેમાં રાઘવ ચઢ્ઢા પણ સામેલ હતા.. મનીષ સિસોદિયાના પીએ સી અરવિંદે પોતાના નિવેદનમાં રાઘવ ચઢ્ઢાનું નામ લીધું છે. નિવેદનમાં તેમણે કહ્યું છે કે મીટિંગમાં રાઘવ ચઢ્ઢા, પંજાબના એક્સાઈઝ કમિશનર, એક્સાઈઝ ઓફિસર અને વિજય નાયર પણ સામેલ હતા.

 

રાઘવ ચઢ્ઢાએ આપી પ્રતિક્રિયા!

ઈડીની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે કવિતા, સરથ ચંદ્ર રેડ્ડી, અરુણ પિલ્લાઈ અને સમીર મહેંદ્રુ સાથે દિલ્લીની લિકર પોલીસી પર બેઠક કરી હતી. આ બધા લોકોની પર્સનલ ડીટેઈલ વગેરે ચાર્જશીટની અંદર છે જે ખૂબ ગુંચવણ ભરી છે એટલે આપણે તે સ્કીપ કરીએ છીએ પણ ખાલી મુદ્દો સમજવા વાત કરીએ તો વિવિધ લોકો સાથે લિકર પોલીસી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અને કઈ રીતે તોડ કરવામાં આવશે તેનો તખતો રચાયો હતો. ત્યારે આ મામલે રાઘવ ચઢ્ઢાએ પ્રતિક્રિયા આપી છે. 


રાઘવ ચઢ્ઢા વિરૂદ્ધ કરાશે કાર્યવાહી!

આખો મુદ્દો સમજીએ તો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા ઓલરેડી લિકર પોલીસી કૌભાંડમાં જેલના સળિયા પાછળ છે... હવે રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યું છે... પહેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે મનીષ સીસોદિયાએ રિષ્વત માટે ઈમેઈલ પ્લાન્ટ કર્યા હતા.... મનીષ સીસોદિયાએ પ્રોપર્ટી માર્જીનને જાણી જોઈને 6 ટકાથી 12 ટકા કરી દીધા હતા કારણ કે તેનાથી લાંચ લઈ શકાય... તો હવે રાઘવ ચઢ્ઢા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહેશે...



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.