મધ્યપ્રદેશના ખંડવામાં બની મોટી દુર્ઘટના, મશાલ યાત્રા દરમિયાન લાગી આગ અને અનેક લોકો દાઝ્યા....


  • Published By :
  • Published Date : 2024-11-29 12:34:29

મધ્યપ્રદેશના ખંડવામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે... મશાલ યાત્રાના સમાપન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે... આ દુર્ઘટના ગુરૂવારે મોડી રાત્રે બની હતી... મળતી માહિતી અનુસાર મશાલ રેલીના સમાપન દરમિયાન અનેક મશાલો ઉંઘી પડી ગઈ હતી જેને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે.. જેને કારણે લોકોમાં નાશભાગ મચી હતી..અનેક લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.. આ ઘટનાની માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો...


આ કાર્યક્રમ અંતર્ગત રાખવામાં આવી હતી મશાલ યાત્રા

ખંડવામાં રાષ્ટ્રભક્ત વીર યુવા મંચ દ્વારા આતંકવાદ સામે યુવા જનમત માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરૂવાર સાંજે ખંડવાના બારામાર ચોકમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું... આ કાર્યક્રમમાં સામેલ થવા હૈદરાબાદના ભાજપના ધારાસભ્ય ટી રાજા તેમજપશ્ચિમ બંગાળના ભાજપના પ્રવક્તા અને નાઝિયા ખાન પણ આવ્યા હતા.. આ કાર્યક્રમ દરમિયાન 26-11ના આતંકવાદી હુમલાના શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.. 



કેવી રીતે બની દુર્ઘટના?

મશાલ યાત્રા મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી.. ખંડવાના બડાબમ ચોકથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો.. રેલી ઘંટાઘર ચોક પર પુરી થઈ અને તે વખતે આ મોટી દુર્ઘટના સર્જાઈ જ્યારે મશાલને મૂકવાનું આવ્યું... મૂકતી વખતે કેટલીક મશાલો ઉંઘી પડી ગઈ જેને કારણે આગ ફાટી નીકળી.. એવી માહિતી સામે આવી છે કે મશાલમાં કપૂર તેમજ લાડકાનો ભુક્કો હતો જેને કારણે આગ વધારે ફાટી નીકળી.. આ દુર્ઘટનામાં 50 જેટલા લોકો દાઝ્યા છે... એવી પણ માહિતી સામે આવી છે કે આ મશાલ યાત્રામાં એક હજાર મશાલો હતો પરંતુ તેમાંથી 200 જેટલી મશાલો પ્રગટાવામાં આવી હતી... 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .