મધ્યપ્રદેશના ખંડવામાં બની મોટી દુર્ઘટના, મશાલ યાત્રા દરમિયાન લાગી આગ અને અનેક લોકો દાઝ્યા....


  • Published By :
  • Published Date : 2024-11-29 12:34:29

મધ્યપ્રદેશના ખંડવામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે... મશાલ યાત્રાના સમાપન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે... આ દુર્ઘટના ગુરૂવારે મોડી રાત્રે બની હતી... મળતી માહિતી અનુસાર મશાલ રેલીના સમાપન દરમિયાન અનેક મશાલો ઉંઘી પડી ગઈ હતી જેને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે.. જેને કારણે લોકોમાં નાશભાગ મચી હતી..અનેક લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.. આ ઘટનાની માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો...


આ કાર્યક્રમ અંતર્ગત રાખવામાં આવી હતી મશાલ યાત્રા

ખંડવામાં રાષ્ટ્રભક્ત વીર યુવા મંચ દ્વારા આતંકવાદ સામે યુવા જનમત માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરૂવાર સાંજે ખંડવાના બારામાર ચોકમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું... આ કાર્યક્રમમાં સામેલ થવા હૈદરાબાદના ભાજપના ધારાસભ્ય ટી રાજા તેમજપશ્ચિમ બંગાળના ભાજપના પ્રવક્તા અને નાઝિયા ખાન પણ આવ્યા હતા.. આ કાર્યક્રમ દરમિયાન 26-11ના આતંકવાદી હુમલાના શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.. 



કેવી રીતે બની દુર્ઘટના?

મશાલ યાત્રા મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી.. ખંડવાના બડાબમ ચોકથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો.. રેલી ઘંટાઘર ચોક પર પુરી થઈ અને તે વખતે આ મોટી દુર્ઘટના સર્જાઈ જ્યારે મશાલને મૂકવાનું આવ્યું... મૂકતી વખતે કેટલીક મશાલો ઉંઘી પડી ગઈ જેને કારણે આગ ફાટી નીકળી.. એવી માહિતી સામે આવી છે કે મશાલમાં કપૂર તેમજ લાડકાનો ભુક્કો હતો જેને કારણે આગ વધારે ફાટી નીકળી.. આ દુર્ઘટનામાં 50 જેટલા લોકો દાઝ્યા છે... એવી પણ માહિતી સામે આવી છે કે આ મશાલ યાત્રામાં એક હજાર મશાલો હતો પરંતુ તેમાંથી 200 જેટલી મશાલો પ્રગટાવામાં આવી હતી... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.