Russiaમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગેસ સ્ટેશનમાં આગ લાગવાને કારણે થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-15 10:22:05

આગ લાગવાને કારણે અનેક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે આવી મોટી દુર્ઘટના રશિયામાં સર્જાઈ છે. દાગેસ્તાની ગેસ સ્ટેશનમાં આગ લાગવાથી અનેક લોકોના મોત થયા છે. આ આગ એટલી ભયંકર હતી કે 25 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. 

big-tragedy-in-russia-explosion-in-gas-station-kills-12-injures-more-than-60-179466

ગાડી રિપેરિંગની દુકાનમાં લાગેલ આગ બની દુર્ઘટનાનું કારણ!

મંગળવાર રાત્રે રશિયાના મખાચકલા શહેરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 25 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આગ કેવી રીતે લાગી તે અંગેની વાત કરીએ તો મળતી માહિતી અનુસાર આ આગ હાઈવે નજીક આવેલા એક ગાડી રિપેરિંગની દુકાનમાં લાગી હતી. દુકાનમાં લાગેલી આગ એકાએક એટલી પ્રસરી ગઈ કે નાની દુર્ઘટના મોટી દુર્ઘટનામાં પરિવર્તિત થઈ ગઈ. આગ પર કાબુ મેળવવા માટે મોટી સંખ્યામાં ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. અનેક કલાકોની મહામેહનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. મહત્વનું છે કે આગમાં મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થઈ શકે છે. મોટી સંખ્યામાં બાળકો આ ઘટનામાં ઈજાગસ્ત થયા છે.  



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.