Russiaમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગેસ સ્ટેશનમાં આગ લાગવાને કારણે થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-15 10:22:05

આગ લાગવાને કારણે અનેક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે આવી મોટી દુર્ઘટના રશિયામાં સર્જાઈ છે. દાગેસ્તાની ગેસ સ્ટેશનમાં આગ લાગવાથી અનેક લોકોના મોત થયા છે. આ આગ એટલી ભયંકર હતી કે 25 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. 

big-tragedy-in-russia-explosion-in-gas-station-kills-12-injures-more-than-60-179466

ગાડી રિપેરિંગની દુકાનમાં લાગેલ આગ બની દુર્ઘટનાનું કારણ!

મંગળવાર રાત્રે રશિયાના મખાચકલા શહેરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 25 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આગ કેવી રીતે લાગી તે અંગેની વાત કરીએ તો મળતી માહિતી અનુસાર આ આગ હાઈવે નજીક આવેલા એક ગાડી રિપેરિંગની દુકાનમાં લાગી હતી. દુકાનમાં લાગેલી આગ એકાએક એટલી પ્રસરી ગઈ કે નાની દુર્ઘટના મોટી દુર્ઘટનામાં પરિવર્તિત થઈ ગઈ. આગ પર કાબુ મેળવવા માટે મોટી સંખ્યામાં ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. અનેક કલાકોની મહામેહનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. મહત્વનું છે કે આગમાં મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થઈ શકે છે. મોટી સંખ્યામાં બાળકો આ ઘટનામાં ઈજાગસ્ત થયા છે.  



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.