Russiaમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગેસ સ્ટેશનમાં આગ લાગવાને કારણે થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-15 10:22:05

આગ લાગવાને કારણે અનેક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે આવી મોટી દુર્ઘટના રશિયામાં સર્જાઈ છે. દાગેસ્તાની ગેસ સ્ટેશનમાં આગ લાગવાથી અનેક લોકોના મોત થયા છે. આ આગ એટલી ભયંકર હતી કે 25 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. 

big-tragedy-in-russia-explosion-in-gas-station-kills-12-injures-more-than-60-179466

ગાડી રિપેરિંગની દુકાનમાં લાગેલ આગ બની દુર્ઘટનાનું કારણ!

મંગળવાર રાત્રે રશિયાના મખાચકલા શહેરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 25 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આગ કેવી રીતે લાગી તે અંગેની વાત કરીએ તો મળતી માહિતી અનુસાર આ આગ હાઈવે નજીક આવેલા એક ગાડી રિપેરિંગની દુકાનમાં લાગી હતી. દુકાનમાં લાગેલી આગ એકાએક એટલી પ્રસરી ગઈ કે નાની દુર્ઘટના મોટી દુર્ઘટનામાં પરિવર્તિત થઈ ગઈ. આગ પર કાબુ મેળવવા માટે મોટી સંખ્યામાં ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. અનેક કલાકોની મહામેહનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. મહત્વનું છે કે આગમાં મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થઈ શકે છે. મોટી સંખ્યામાં બાળકો આ ઘટનામાં ઈજાગસ્ત થયા છે.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.