ઈન્ડોનેશિયા સંસદમાં વિધેયક પસાર થયું જેમાં એસ્ટ્રા મેરેટિયલ અફેર રાખવા પર થશે સજા


  • Published By :
  • Published Date : 2022-12-06 15:30:06

આજકાલ અનેક લોકો લીવ ઈન રિલેશનસિપ તથા એકસ્ટ્રા મેરેટિયલ અફેર રાખતા હોય છે. આ વસ્તુને રોકવા ઈન્ડોનેશિયા સરકારે એક વિધેયક પાસ કર્યો છે. આ નવા નિયમ અંતર્ગત એકસ્ટ્રા મેરેટીયલ અફેર રાખવુએ કાનુની અપરાધ ગણવામાં આવશે. ઉપરાંત સજા પણ થઈ શકે છે જો માતા-પિતા, પત્ની આ બાળકો આ અંગે ફરિયાદ કરે તો. આ નિયમ ઈન્ડોનેશિયામાં રહેતા નાગરિકો તેમજ વિદેશ ગયેલા લોકો પર આ કાનૂન લાગુ થશે.

Man beats up wife for extramarital affair; he and his paramour arrested -  OrissaPOST

કાયદાનું ઉલ્લંઘન થશે તો કરાશે સજા  

કાયદા અને માનાવધિકાર મંત્રાલયના જણાવ્યા મુજબ સર્વસમ્મતિ પછી આ સંશોધન લાગુ કરવામાં આવી રહ્યું છે. આ સંસોધન લાગુ થાય તે માટે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર અનિવાર્ય છે. હસ્તાક્ષર થયા પછી તરત જ આ કાયદોને લાગુ નહીં થાય. આ કાયદાને પૂર્ણ રીતે લાગુ કરવામાં  અંદાજીત ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ ઉપરાંત આ કાયદા હેઠળ લીવ ઈન રિલેશનશિપ પણ આના દાયરામાં આવશે. આ કેસમાં અંદાજીત 6 મહિના જેટલી સજા થઈ શકે છે. ગર્ભપાત પણ એક અપરાધ છે.   




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .