આ દેશની સંસદમાં રજૂ થવાનું છે એવું વિધેયક જેમાં ઓફિસ કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નહીં રહે...! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-08 10:50:49

જોબથી કંટાળીને આપણે જ્યારે ઘરે આવતા હોઈએ છીએ ત્યારે અનેક વખત એવું બનતું હોય છે કે ઓફિસના કલાકો બાદ બોસ ફોન કરે અને આપણે તેમનો ફોન ઉપાડવો પડે છે. ઘણી વખત એવું થતું હોય છે કે ફોન નથી ઉપાડવો પરંતુ જોબ પર આની અસર પડી શકે છે તેવું વિચારીએ છીએ અને અંતે કમને ફોન રિસીવ કરીએ છીએ. સામાન્ય રીતે ઘણા લોકો સાથે આવું જ થતું હશે.. પરંતુ હવે વર્કિંગ અવર્સ બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નથી તેવું બિલ સંસદમાં રજૂ થવાનું છે. તમને શાંતિ થઈ હશેને આ વાક્ય સાંભળીને પરંતુ આ બિલ આપણી સંસદમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની સંસદમાં રજૂ થવાનું છે તેવી માહિતી મીડિયા રિપોર્ટ દ્વારા આપવામાં આવી છે. .     



ઓફિસના કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો જરૂરી નથી!

આપણામાંથી અનેક લોકો જોબ કરતા હશે. જોબ કરી ઘરનું પોષણ કરતા હશે. અનેક લોકોને જોબ ગમતી હોય છે પરંતુ અનેક લોકોને જોબ મજબૂરીને કારણે કરતા હશે. કોઈ વખત બોસ કંઈક બોલે તો સહન કરી લેતા હોય છે. ઓફિસના કલાકો પૂર્ણ થાય બાદ પણ અનેક વખત બોસનો ફોન આવવાને કારણે કામ કરવું પડતું હોય છે. પરંતુ હવેથી ઓફિસના કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નથી તેવું વિધેયક લાવવાની તૈયારી સંસદમાં થઈ રહી છે. 




કર્મચારીના હિતોમાં લેવાઈ શકે છે નિર્ણય!

આ વિધેયક લાવવાની તૈયારી ભારતના સંસદમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની સંસદમાં થઈ રહી છે તેવી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ સપ્તાહે કર્મચારીઓના હિતોની રક્ષા માટે નવું વિધેયક લવાઈ રહ્યું છે. જો આ વિધેયક પસાર થઈ જશે તો ઓફિસના કલાકો પૂર્ણ થયા બાદ કર્મચારીએ બોસનો કોલ રિસીવ કરવાનું ફરજિયાત નહીં રહે. જો કોઈ અધિકારી કર્મચારીને ફરજ પૂરી થયા બાદ કોઈ પ્રકારનું કામ કરાવા માટે કર્મચારીને જો કોઈ દબાણ કરશે તો તેને તોતિંગ દંડ પણ ચૂકવવો પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વિધેયકને પસાર થવામાં વાર નહીં લાગે કારણ કે વિપક્ષી પણ આ વિધેયકના સમર્થનમાં હોય તેવું લાગી રહ્યું છે.


પર્સનલ લાઈફ પર પણ પડે છે ગંભીર અસર 

કર્મચારીઓને તેમના ઉપકરણોને બંધ કરવાનો અધિકાર આપતા સમાન કાયદા ફ્રાન્સ, સ્પેન અને યુરોપિયન યુનિયનના અન્ય દેશોમાં પહેલેથી જ છે. મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે ઘરે ગયા બાદ જો બોસનો અથવા તો ઓફિસમાંથી ફોન આવે છે તો વાતાવરણ ખરાબ થઈ જતું હોય છે. જે ટાઈમ કર્મચારીને પરિવારને આપવાનો હોય છે તે ટાઈમ તે નથી આપી શકતો જેને કારણે પર્સનલ લાઈફ પર પણ આની અસર થતી હોય છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .