આ દેશની સંસદમાં રજૂ થવાનું છે એવું વિધેયક જેમાં ઓફિસ કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નહીં રહે...! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-08 10:50:49

જોબથી કંટાળીને આપણે જ્યારે ઘરે આવતા હોઈએ છીએ ત્યારે અનેક વખત એવું બનતું હોય છે કે ઓફિસના કલાકો બાદ બોસ ફોન કરે અને આપણે તેમનો ફોન ઉપાડવો પડે છે. ઘણી વખત એવું થતું હોય છે કે ફોન નથી ઉપાડવો પરંતુ જોબ પર આની અસર પડી શકે છે તેવું વિચારીએ છીએ અને અંતે કમને ફોન રિસીવ કરીએ છીએ. સામાન્ય રીતે ઘણા લોકો સાથે આવું જ થતું હશે.. પરંતુ હવે વર્કિંગ અવર્સ બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નથી તેવું બિલ સંસદમાં રજૂ થવાનું છે. તમને શાંતિ થઈ હશેને આ વાક્ય સાંભળીને પરંતુ આ બિલ આપણી સંસદમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની સંસદમાં રજૂ થવાનું છે તેવી માહિતી મીડિયા રિપોર્ટ દ્વારા આપવામાં આવી છે. .     



ઓફિસના કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો જરૂરી નથી!

આપણામાંથી અનેક લોકો જોબ કરતા હશે. જોબ કરી ઘરનું પોષણ કરતા હશે. અનેક લોકોને જોબ ગમતી હોય છે પરંતુ અનેક લોકોને જોબ મજબૂરીને કારણે કરતા હશે. કોઈ વખત બોસ કંઈક બોલે તો સહન કરી લેતા હોય છે. ઓફિસના કલાકો પૂર્ણ થાય બાદ પણ અનેક વખત બોસનો ફોન આવવાને કારણે કામ કરવું પડતું હોય છે. પરંતુ હવેથી ઓફિસના કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નથી તેવું વિધેયક લાવવાની તૈયારી સંસદમાં થઈ રહી છે. 




કર્મચારીના હિતોમાં લેવાઈ શકે છે નિર્ણય!

આ વિધેયક લાવવાની તૈયારી ભારતના સંસદમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની સંસદમાં થઈ રહી છે તેવી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ સપ્તાહે કર્મચારીઓના હિતોની રક્ષા માટે નવું વિધેયક લવાઈ રહ્યું છે. જો આ વિધેયક પસાર થઈ જશે તો ઓફિસના કલાકો પૂર્ણ થયા બાદ કર્મચારીએ બોસનો કોલ રિસીવ કરવાનું ફરજિયાત નહીં રહે. જો કોઈ અધિકારી કર્મચારીને ફરજ પૂરી થયા બાદ કોઈ પ્રકારનું કામ કરાવા માટે કર્મચારીને જો કોઈ દબાણ કરશે તો તેને તોતિંગ દંડ પણ ચૂકવવો પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વિધેયકને પસાર થવામાં વાર નહીં લાગે કારણ કે વિપક્ષી પણ આ વિધેયકના સમર્થનમાં હોય તેવું લાગી રહ્યું છે.


પર્સનલ લાઈફ પર પણ પડે છે ગંભીર અસર 

કર્મચારીઓને તેમના ઉપકરણોને બંધ કરવાનો અધિકાર આપતા સમાન કાયદા ફ્રાન્સ, સ્પેન અને યુરોપિયન યુનિયનના અન્ય દેશોમાં પહેલેથી જ છે. મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે ઘરે ગયા બાદ જો બોસનો અથવા તો ઓફિસમાંથી ફોન આવે છે તો વાતાવરણ ખરાબ થઈ જતું હોય છે. જે ટાઈમ કર્મચારીને પરિવારને આપવાનો હોય છે તે ટાઈમ તે નથી આપી શકતો જેને કારણે પર્સનલ લાઈફ પર પણ આની અસર થતી હોય છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.