આ દેશની સંસદમાં રજૂ થવાનું છે એવું વિધેયક જેમાં ઓફિસ કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નહીં રહે...! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-08 10:50:49

જોબથી કંટાળીને આપણે જ્યારે ઘરે આવતા હોઈએ છીએ ત્યારે અનેક વખત એવું બનતું હોય છે કે ઓફિસના કલાકો બાદ બોસ ફોન કરે અને આપણે તેમનો ફોન ઉપાડવો પડે છે. ઘણી વખત એવું થતું હોય છે કે ફોન નથી ઉપાડવો પરંતુ જોબ પર આની અસર પડી શકે છે તેવું વિચારીએ છીએ અને અંતે કમને ફોન રિસીવ કરીએ છીએ. સામાન્ય રીતે ઘણા લોકો સાથે આવું જ થતું હશે.. પરંતુ હવે વર્કિંગ અવર્સ બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નથી તેવું બિલ સંસદમાં રજૂ થવાનું છે. તમને શાંતિ થઈ હશેને આ વાક્ય સાંભળીને પરંતુ આ બિલ આપણી સંસદમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની સંસદમાં રજૂ થવાનું છે તેવી માહિતી મીડિયા રિપોર્ટ દ્વારા આપવામાં આવી છે. .     



ઓફિસના કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો જરૂરી નથી!

આપણામાંથી અનેક લોકો જોબ કરતા હશે. જોબ કરી ઘરનું પોષણ કરતા હશે. અનેક લોકોને જોબ ગમતી હોય છે પરંતુ અનેક લોકોને જોબ મજબૂરીને કારણે કરતા હશે. કોઈ વખત બોસ કંઈક બોલે તો સહન કરી લેતા હોય છે. ઓફિસના કલાકો પૂર્ણ થાય બાદ પણ અનેક વખત બોસનો ફોન આવવાને કારણે કામ કરવું પડતું હોય છે. પરંતુ હવેથી ઓફિસના કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નથી તેવું વિધેયક લાવવાની તૈયારી સંસદમાં થઈ રહી છે. 




કર્મચારીના હિતોમાં લેવાઈ શકે છે નિર્ણય!

આ વિધેયક લાવવાની તૈયારી ભારતના સંસદમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની સંસદમાં થઈ રહી છે તેવી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ સપ્તાહે કર્મચારીઓના હિતોની રક્ષા માટે નવું વિધેયક લવાઈ રહ્યું છે. જો આ વિધેયક પસાર થઈ જશે તો ઓફિસના કલાકો પૂર્ણ થયા બાદ કર્મચારીએ બોસનો કોલ રિસીવ કરવાનું ફરજિયાત નહીં રહે. જો કોઈ અધિકારી કર્મચારીને ફરજ પૂરી થયા બાદ કોઈ પ્રકારનું કામ કરાવા માટે કર્મચારીને જો કોઈ દબાણ કરશે તો તેને તોતિંગ દંડ પણ ચૂકવવો પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વિધેયકને પસાર થવામાં વાર નહીં લાગે કારણ કે વિપક્ષી પણ આ વિધેયકના સમર્થનમાં હોય તેવું લાગી રહ્યું છે.


પર્સનલ લાઈફ પર પણ પડે છે ગંભીર અસર 

કર્મચારીઓને તેમના ઉપકરણોને બંધ કરવાનો અધિકાર આપતા સમાન કાયદા ફ્રાન્સ, સ્પેન અને યુરોપિયન યુનિયનના અન્ય દેશોમાં પહેલેથી જ છે. મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે ઘરે ગયા બાદ જો બોસનો અથવા તો ઓફિસમાંથી ફોન આવે છે તો વાતાવરણ ખરાબ થઈ જતું હોય છે. જે ટાઈમ કર્મચારીને પરિવારને આપવાનો હોય છે તે ટાઈમ તે નથી આપી શકતો જેને કારણે પર્સનલ લાઈફ પર પણ આની અસર થતી હોય છે. 



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.