આ દેશની સંસદમાં રજૂ થવાનું છે એવું વિધેયક જેમાં ઓફિસ કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નહીં રહે...! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-08 10:50:49

જોબથી કંટાળીને આપણે જ્યારે ઘરે આવતા હોઈએ છીએ ત્યારે અનેક વખત એવું બનતું હોય છે કે ઓફિસના કલાકો બાદ બોસ ફોન કરે અને આપણે તેમનો ફોન ઉપાડવો પડે છે. ઘણી વખત એવું થતું હોય છે કે ફોન નથી ઉપાડવો પરંતુ જોબ પર આની અસર પડી શકે છે તેવું વિચારીએ છીએ અને અંતે કમને ફોન રિસીવ કરીએ છીએ. સામાન્ય રીતે ઘણા લોકો સાથે આવું જ થતું હશે.. પરંતુ હવે વર્કિંગ અવર્સ બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નથી તેવું બિલ સંસદમાં રજૂ થવાનું છે. તમને શાંતિ થઈ હશેને આ વાક્ય સાંભળીને પરંતુ આ બિલ આપણી સંસદમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની સંસદમાં રજૂ થવાનું છે તેવી માહિતી મીડિયા રિપોર્ટ દ્વારા આપવામાં આવી છે. .     



ઓફિસના કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો જરૂરી નથી!

આપણામાંથી અનેક લોકો જોબ કરતા હશે. જોબ કરી ઘરનું પોષણ કરતા હશે. અનેક લોકોને જોબ ગમતી હોય છે પરંતુ અનેક લોકોને જોબ મજબૂરીને કારણે કરતા હશે. કોઈ વખત બોસ કંઈક બોલે તો સહન કરી લેતા હોય છે. ઓફિસના કલાકો પૂર્ણ થાય બાદ પણ અનેક વખત બોસનો ફોન આવવાને કારણે કામ કરવું પડતું હોય છે. પરંતુ હવેથી ઓફિસના કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નથી તેવું વિધેયક લાવવાની તૈયારી સંસદમાં થઈ રહી છે. 




કર્મચારીના હિતોમાં લેવાઈ શકે છે નિર્ણય!

આ વિધેયક લાવવાની તૈયારી ભારતના સંસદમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની સંસદમાં થઈ રહી છે તેવી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ સપ્તાહે કર્મચારીઓના હિતોની રક્ષા માટે નવું વિધેયક લવાઈ રહ્યું છે. જો આ વિધેયક પસાર થઈ જશે તો ઓફિસના કલાકો પૂર્ણ થયા બાદ કર્મચારીએ બોસનો કોલ રિસીવ કરવાનું ફરજિયાત નહીં રહે. જો કોઈ અધિકારી કર્મચારીને ફરજ પૂરી થયા બાદ કોઈ પ્રકારનું કામ કરાવા માટે કર્મચારીને જો કોઈ દબાણ કરશે તો તેને તોતિંગ દંડ પણ ચૂકવવો પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વિધેયકને પસાર થવામાં વાર નહીં લાગે કારણ કે વિપક્ષી પણ આ વિધેયકના સમર્થનમાં હોય તેવું લાગી રહ્યું છે.


પર્સનલ લાઈફ પર પણ પડે છે ગંભીર અસર 

કર્મચારીઓને તેમના ઉપકરણોને બંધ કરવાનો અધિકાર આપતા સમાન કાયદા ફ્રાન્સ, સ્પેન અને યુરોપિયન યુનિયનના અન્ય દેશોમાં પહેલેથી જ છે. મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે ઘરે ગયા બાદ જો બોસનો અથવા તો ઓફિસમાંથી ફોન આવે છે તો વાતાવરણ ખરાબ થઈ જતું હોય છે. જે ટાઈમ કર્મચારીને પરિવારને આપવાનો હોય છે તે ટાઈમ તે નથી આપી શકતો જેને કારણે પર્સનલ લાઈફ પર પણ આની અસર થતી હોય છે. 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.