ગીર સોમનાથમાં ખેડૂતે પાક નિષ્ફળતાના કારણે કર્યો આપઘાત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-11-04 21:10:24

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા. 


ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી ૨જી નવેમ્બર સુધી વરસાદનો જે રાઉન્ડ આવ્યો તેમાં , જગતના તાત પર આભ ફાટી પડ્યું છે. તો હવે ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રેવદ ગામમાં ૪૯ વર્ષીય ખેડૂત ગફાર મુસા ઉનડે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. તેમણે આ અવિચારી પગલું , ૩ નવેમ્બરે , સાંજે ૬ વાગ્યાની આસપાસ ભર્યું છે.  પોલીસે મૃતકના સગાનું નિવેદન નોંધ્યું હતું. નિવેદન અનુસાર ગફારભાઈએ ૨ લાખની લોન લઈને મોંઘા બિયારણની ખરીદી કરી હતી અને વાવેતર કર્યું હતું, પરંતુ તાજેતરના કમોસમી વરસાદને કારણે તેમની જમીનમાં મગફળીના પાથરા પલળી જતાં પાકમાં ભારે નુકસાન થયું હતું. પાક નિષ્ફળ જવાથી તેઓ અત્યંત ચિંતિત હતા ઉપરાંત છેલ્લા દરેક દિવસથી તણાવ અને ડિપ્રેશનમાં હતા.  મૃતક ખેડૂત ગફારભાઈએ  સેવા સહકારી મંડળીમાંથી  ટૂંકી મુદ્દતનું ૨ લાખનું પાક ધિરાણ લીધું હતું, જેનો બોજ તેમને સતાવી રહ્યો હતો. આ ઉપરાંત , બે દીકરીની સગાઇ કરી હોવાથી તેમના લગ્નની ચિંતા પણ તેમને સતાવી રહી હતી. 

 કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતાં આર્થિક બોજના કારણે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા અને આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.મૃતક ખેડૂત ગફાર ઉનડે આપઘાત માટે ખતરનાક રીતનો ઉપયોગ કર્યો હતો. તેમણે કૂવામાં તરીને બહાર ન નીકળી શકાય એટલા માટે પોતાના શરીરે વીજપોલનો 3 ફૂટનો ટુકડો બાંધી દીધો હતો. ઘરે ન આવતા દીકરીએ કાકાને કોલ કર્યો હતો. ખેડૂતની શોધખોળ કરાઈ હતી. જ્યારે ખેતર પહોંચ્યા ત્યારે તેમનો શર્ટ, મોબાઈલ અને બૂટ કૂવાની ઓરડી પાસે મળ્યાં હતાં. શંકાના આધારે કૂવામાં મોટરથી પાણી ઉલેચવામાં આવ્યું હતું. ત્યારે મૃત હાલતમાં ખેડૂત ગફાર ઉનડ મળી આવ્યા હતા.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.