ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી પર બનવા જઈ રહી છે બાયોપિક


  • Published By :
  • Published Date : 2022-11-19 10:08:56

ભારતીય રાજનીતિમાં અટલ બિહારી વાજપેયી એવા નેતા હતા જેમની તારીફ રાજકીય હરીફો કરતા હતા. તેમની વાણીની છટ્ટાને કારણે અને તેમની રાજનીતિને કારણે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી હતી. ત્યારે જનસંઘની સ્થાપનાથી લઈ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા બની વડાપ્રધાન બનવાની સફરને દર્શાવતી ફિલ્મ આવનાર સમયમાં આવી રહી છે. શુક્રવારે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ હશે 'मैं रहूं या ना रहूं, यह देश रहना चाहिए- अटल'

। 


અટલજીના જીવન પર આધારિત હશે આ ફિલ્મ

આજકાલની મોટાભાગની ફિલ્મ વાર્તાઓ અથવા પાત્રોથી પ્રભાવિત થઈ બનાવામાં આવી રહી છે. દંગલ, નિરજા, એમ.એસ.ધોની, ગંગુબાઈ જેવા પાત્રોમાંથી પ્રેરણા લઈ અનેક ફિલ્મો બનાવામાં આવી છે. ત્યારે રાજનેતાઓ પર આધારિત મુવીની વાત કરીએ તો એમાં સરદાર, બોઝ,પીએમ નરેન્દ્ર મોદી સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે જ્યારે આવનાર સમયમાં અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારીત ફિલ્મ બનવા જઈ રહી છે.  

अटल बिहारी वाजपेयी: 'प्यार को प्यार ही रहने दो कोई नाम न दो' - विवेचना -  BBC News हिंदी

The world of Atal Bihari Vajpayee - Hindustan Times

એવા નેતા જેમના કોઈ શત્રુ ન હતા   

રવિ જાઘવઆ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે જ્યારે ઉત્કર્ષ નૈથાની દ્વારા આ ફિલ્મ લખવામાં આવશે. જ્યારે પંકજ ત્રિપાઠી અટલજીની ભૂમિકા ભજવવાના છે. અટલજી ભારતીય રાજનીતિના એવા નેતા હતા જેમના વખાણ વિપક્ષ પણ કરતા હતા. રાજનૈતિકની સાથે સાથે તેઓ સારા લેખક પણ હતા. આ ફિલ્મનું નામ પણ સંસદમાં તેમના દ્વારા કહેવામાં આવી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે सरकारें आएंगी, जाएंगी, पार्टियां बनेंगी, बिगड़ेंगी मगर ये देश रहना चाहिए।.     



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .