ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી પર બનવા જઈ રહી છે બાયોપિક


  • Published By :
  • Published Date : 2022-11-19 10:08:56

ભારતીય રાજનીતિમાં અટલ બિહારી વાજપેયી એવા નેતા હતા જેમની તારીફ રાજકીય હરીફો કરતા હતા. તેમની વાણીની છટ્ટાને કારણે અને તેમની રાજનીતિને કારણે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી હતી. ત્યારે જનસંઘની સ્થાપનાથી લઈ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા બની વડાપ્રધાન બનવાની સફરને દર્શાવતી ફિલ્મ આવનાર સમયમાં આવી રહી છે. શુક્રવારે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ હશે 'मैं रहूं या ना रहूं, यह देश रहना चाहिए- अटल'

। 


અટલજીના જીવન પર આધારિત હશે આ ફિલ્મ

આજકાલની મોટાભાગની ફિલ્મ વાર્તાઓ અથવા પાત્રોથી પ્રભાવિત થઈ બનાવામાં આવી રહી છે. દંગલ, નિરજા, એમ.એસ.ધોની, ગંગુબાઈ જેવા પાત્રોમાંથી પ્રેરણા લઈ અનેક ફિલ્મો બનાવામાં આવી છે. ત્યારે રાજનેતાઓ પર આધારિત મુવીની વાત કરીએ તો એમાં સરદાર, બોઝ,પીએમ નરેન્દ્ર મોદી સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે જ્યારે આવનાર સમયમાં અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારીત ફિલ્મ બનવા જઈ રહી છે.  

अटल बिहारी वाजपेयी: 'प्यार को प्यार ही रहने दो कोई नाम न दो' - विवेचना -  BBC News हिंदी

The world of Atal Bihari Vajpayee - Hindustan Times

એવા નેતા જેમના કોઈ શત્રુ ન હતા   

રવિ જાઘવઆ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે જ્યારે ઉત્કર્ષ નૈથાની દ્વારા આ ફિલ્મ લખવામાં આવશે. જ્યારે પંકજ ત્રિપાઠી અટલજીની ભૂમિકા ભજવવાના છે. અટલજી ભારતીય રાજનીતિના એવા નેતા હતા જેમના વખાણ વિપક્ષ પણ કરતા હતા. રાજનૈતિકની સાથે સાથે તેઓ સારા લેખક પણ હતા. આ ફિલ્મનું નામ પણ સંસદમાં તેમના દ્વારા કહેવામાં આવી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે सरकारें आएंगी, जाएंगी, पार्टियां बनेंगी, बिगड़ेंगी मगर ये देश रहना चाहिए।.     



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .