ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી પર બનવા જઈ રહી છે બાયોપિક


  • Published By :
  • Published Date : 2022-11-19 10:08:56

ભારતીય રાજનીતિમાં અટલ બિહારી વાજપેયી એવા નેતા હતા જેમની તારીફ રાજકીય હરીફો કરતા હતા. તેમની વાણીની છટ્ટાને કારણે અને તેમની રાજનીતિને કારણે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી હતી. ત્યારે જનસંઘની સ્થાપનાથી લઈ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા બની વડાપ્રધાન બનવાની સફરને દર્શાવતી ફિલ્મ આવનાર સમયમાં આવી રહી છે. શુક્રવારે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ હશે 'मैं रहूं या ना रहूं, यह देश रहना चाहिए- अटल'

। 


અટલજીના જીવન પર આધારિત હશે આ ફિલ્મ

આજકાલની મોટાભાગની ફિલ્મ વાર્તાઓ અથવા પાત્રોથી પ્રભાવિત થઈ બનાવામાં આવી રહી છે. દંગલ, નિરજા, એમ.એસ.ધોની, ગંગુબાઈ જેવા પાત્રોમાંથી પ્રેરણા લઈ અનેક ફિલ્મો બનાવામાં આવી છે. ત્યારે રાજનેતાઓ પર આધારિત મુવીની વાત કરીએ તો એમાં સરદાર, બોઝ,પીએમ નરેન્દ્ર મોદી સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે જ્યારે આવનાર સમયમાં અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારીત ફિલ્મ બનવા જઈ રહી છે.  

अटल बिहारी वाजपेयी: 'प्यार को प्यार ही रहने दो कोई नाम न दो' - विवेचना -  BBC News हिंदी

The world of Atal Bihari Vajpayee - Hindustan Times

એવા નેતા જેમના કોઈ શત્રુ ન હતા   

રવિ જાઘવઆ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે જ્યારે ઉત્કર્ષ નૈથાની દ્વારા આ ફિલ્મ લખવામાં આવશે. જ્યારે પંકજ ત્રિપાઠી અટલજીની ભૂમિકા ભજવવાના છે. અટલજી ભારતીય રાજનીતિના એવા નેતા હતા જેમના વખાણ વિપક્ષ પણ કરતા હતા. રાજનૈતિકની સાથે સાથે તેઓ સારા લેખક પણ હતા. આ ફિલ્મનું નામ પણ સંસદમાં તેમના દ્વારા કહેવામાં આવી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે सरकारें आएंगी, जाएंगी, पार्टियां बनेंगी, बिगड़ेंगी मगर ये देश रहना चाहिए।.     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.