પુલ પડે, માણસ મરે અને કોઈક કવિતા લખે! લોકોના આક્રોશની કવિતાને વિસ્તારથી સમજો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-24 18:02:28


સોશિયલ મીડિયા પર કોઈકે લખેલું આ વાઈરલ થઈ રહ્યું છે. આ લખાણના પરીપ્રેક્ષ્ય તમને સમજાવવા છે. જેને આપણે કહીએ છીએ ને કવિતા વિસ્તારથી સમજો.

ઢોરની ઢીંકે મરો વાક્યમાં કવિ દરરોજ અનિયંત્રીત બનતા આખલા વિશે કહેવા લાગે છે. રસ્તા પર નીકળ્યા હોવ, 5 મિનિટમાં ઝેરોક્ષ લઈને આવુ્ એમ કહીને નીકળેલો માણસ લાશ બનીને ઘરે આવે તો તમે શું કરી શકો.... 


કુતરાની મોતે મરોના તો અનેક અર્થ થાય છે પણ છેલ્લા દસેક દિવસથી મીડિયામાં સતત અહેવાલો આવતા હતા કે રખડતાં શ્વાન બેફામ બન્યા છે. ઉપરથી હડકવાના કારણે માણસો મરે છે પણ કોઈ ખાસ નિરાકરણ આવ્યું નહીં. વાઘબકરી ગૃપના ડિરેક્ટર જે પોતે જીવદયાના હિમાયતી હતા એ નીકળ્યા, રસ્તામાં પાછળ કુતરાં પડ્યા, બચાવમાં દોડવા ગયા, પટકાયા, હેમરેજ થયું અને હવે દુનિયમાં નથી.


પુલ માથે પડેને મરોનું ઉદાહરણ અને ઘા બંને તાજા છે અને એટલે એમાં તો પરિવારનો કલ્પાંત જ તમને બતાવી દઈએ.  


ભેળસેળની પરાકાષ્ઠા સમજાવવા તો કલાક ઓછો પડે. તમે કલ્પના ના કરી શકો એ પદાર્થો પણ નકલી છે. નકલી પીએસઆઈ, અધિકારી, નેતા, પત્રકાર, પોલીસ બધું સાંભળ્યું જ છે, નકલી ઘી, દૂધ, તેલ, ચીઝ, બટર, જીરૂ અને ગણું બધું. શોધ્યું શોધાય નહીં. સમજ્યે સમજાય નહીં એવી ભેળસેળની માયાજાળ પણ અંત શું.... તો કહે મરો!
ડ્રગ્ઝના રવાડે મરોમાં તો આજે જ ગૃહરાજ્યમંત્રીએ દાવો કર્યો છે મોટો. મરવાનું થોડી વાર બાજુ પર મુકીને એમને સાંભળીએ.

હલકો દારૂ પીને મરોમાં પણ અમારી પાસે તાજુ જ ઉદાહરણ છે લગભગ દરેક ગામોમાં ચાલતા દારૂના ભઠ્ઠાને ટુંકમાં સમજાવતો અમારો રિપોર્ટ. સંક્ષીપ્તમાં જોઈલો


ઝુલતા પુલથી મરતા લોકોની પીડાં તો વારંવાર બતાવી, અને પીડા આપનારની પીડા જોઈને વિચલીત થતા સંતો, નેતાઓ પણ તમે જોઈ જ રહ્યા છો. બધાનો અર્ક નીકળે છે રીબાઈ રીબાઈને મરો ત્યાં સુધી. 


તમારી સુરક્ષાની જવાબદારી હવે તમે જ ઉપાડો!


લોકશાહીમાં સરકાર ચૂંટવાનો એક મતલબ થાય છે ભરોસો કરવો. 156 બેઠક આવે કે ભાજપ પ્રમુખની મહેચ્છા પ્રમાણે 182 બેઠક આવે. મુખ્ય વાત છે સામાન્ય માણસનો જમતી, ચાલતી, બોલતી, કોઈક પુલ પરથી પસાર થતી કે ઈવન ઘરની બહાર નીકળતી વખતે સરકાર પર ભરોસો રહેવો. અને એ ભરોસાની ભેંસ છેલ્લા કેટલાક સમયથી કેટલી વાર પાડાને જણી રહી છે એ આંકડાઓમાં અમારે પડવું નથી. તમારી સુરક્ષાની જવાબદારી હવે તમારે જ ઉપાડવી પડશે! 


વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.