પુલ પડે, માણસ મરે અને કોઈક કવિતા લખે! લોકોના આક્રોશની કવિતાને વિસ્તારથી સમજો!


  • Published By :
  • Published Date : 2023-10-24 18:02:28


સોશિયલ મીડિયા પર કોઈકે લખેલું આ વાઈરલ થઈ રહ્યું છે. આ લખાણના પરીપ્રેક્ષ્ય તમને સમજાવવા છે. જેને આપણે કહીએ છીએ ને કવિતા વિસ્તારથી સમજો.

ઢોરની ઢીંકે મરો વાક્યમાં કવિ દરરોજ અનિયંત્રીત બનતા આખલા વિશે કહેવા લાગે છે. રસ્તા પર નીકળ્યા હોવ, 5 મિનિટમાં ઝેરોક્ષ લઈને આવુ્ એમ કહીને નીકળેલો માણસ લાશ બનીને ઘરે આવે તો તમે શું કરી શકો.... 


કુતરાની મોતે મરોના તો અનેક અર્થ થાય છે પણ છેલ્લા દસેક દિવસથી મીડિયામાં સતત અહેવાલો આવતા હતા કે રખડતાં શ્વાન બેફામ બન્યા છે. ઉપરથી હડકવાના કારણે માણસો મરે છે પણ કોઈ ખાસ નિરાકરણ આવ્યું નહીં. વાઘબકરી ગૃપના ડિરેક્ટર જે પોતે જીવદયાના હિમાયતી હતા એ નીકળ્યા, રસ્તામાં પાછળ કુતરાં પડ્યા, બચાવમાં દોડવા ગયા, પટકાયા, હેમરેજ થયું અને હવે દુનિયમાં નથી.


પુલ માથે પડેને મરોનું ઉદાહરણ અને ઘા બંને તાજા છે અને એટલે એમાં તો પરિવારનો કલ્પાંત જ તમને બતાવી દઈએ.  


ભેળસેળની પરાકાષ્ઠા સમજાવવા તો કલાક ઓછો પડે. તમે કલ્પના ના કરી શકો એ પદાર્થો પણ નકલી છે. નકલી પીએસઆઈ, અધિકારી, નેતા, પત્રકાર, પોલીસ બધું સાંભળ્યું જ છે, નકલી ઘી, દૂધ, તેલ, ચીઝ, બટર, જીરૂ અને ગણું બધું. શોધ્યું શોધાય નહીં. સમજ્યે સમજાય નહીં એવી ભેળસેળની માયાજાળ પણ અંત શું.... તો કહે મરો!
ડ્રગ્ઝના રવાડે મરોમાં તો આજે જ ગૃહરાજ્યમંત્રીએ દાવો કર્યો છે મોટો. મરવાનું થોડી વાર બાજુ પર મુકીને એમને સાંભળીએ.

હલકો દારૂ પીને મરોમાં પણ અમારી પાસે તાજુ જ ઉદાહરણ છે લગભગ દરેક ગામોમાં ચાલતા દારૂના ભઠ્ઠાને ટુંકમાં સમજાવતો અમારો રિપોર્ટ. સંક્ષીપ્તમાં જોઈલો


ઝુલતા પુલથી મરતા લોકોની પીડાં તો વારંવાર બતાવી, અને પીડા આપનારની પીડા જોઈને વિચલીત થતા સંતો, નેતાઓ પણ તમે જોઈ જ રહ્યા છો. બધાનો અર્ક નીકળે છે રીબાઈ રીબાઈને મરો ત્યાં સુધી. 


તમારી સુરક્ષાની જવાબદારી હવે તમે જ ઉપાડો!


લોકશાહીમાં સરકાર ચૂંટવાનો એક મતલબ થાય છે ભરોસો કરવો. 156 બેઠક આવે કે ભાજપ પ્રમુખની મહેચ્છા પ્રમાણે 182 બેઠક આવે. મુખ્ય વાત છે સામાન્ય માણસનો જમતી, ચાલતી, બોલતી, કોઈક પુલ પરથી પસાર થતી કે ઈવન ઘરની બહાર નીકળતી વખતે સરકાર પર ભરોસો રહેવો. અને એ ભરોસાની ભેંસ છેલ્લા કેટલાક સમયથી કેટલી વાર પાડાને જણી રહી છે એ આંકડાઓમાં અમારે પડવું નથી. તમારી સુરક્ષાની જવાબદારી હવે તમારે જ ઉપાડવી પડશે! 


મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.