પુલ પડે, માણસ મરે અને કોઈક કવિતા લખે! લોકોના આક્રોશની કવિતાને વિસ્તારથી સમજો!


  • Published By :
  • Published Date : 2023-10-24 18:02:28


સોશિયલ મીડિયા પર કોઈકે લખેલું આ વાઈરલ થઈ રહ્યું છે. આ લખાણના પરીપ્રેક્ષ્ય તમને સમજાવવા છે. જેને આપણે કહીએ છીએ ને કવિતા વિસ્તારથી સમજો.

ઢોરની ઢીંકે મરો વાક્યમાં કવિ દરરોજ અનિયંત્રીત બનતા આખલા વિશે કહેવા લાગે છે. રસ્તા પર નીકળ્યા હોવ, 5 મિનિટમાં ઝેરોક્ષ લઈને આવુ્ એમ કહીને નીકળેલો માણસ લાશ બનીને ઘરે આવે તો તમે શું કરી શકો.... 


કુતરાની મોતે મરોના તો અનેક અર્થ થાય છે પણ છેલ્લા દસેક દિવસથી મીડિયામાં સતત અહેવાલો આવતા હતા કે રખડતાં શ્વાન બેફામ બન્યા છે. ઉપરથી હડકવાના કારણે માણસો મરે છે પણ કોઈ ખાસ નિરાકરણ આવ્યું નહીં. વાઘબકરી ગૃપના ડિરેક્ટર જે પોતે જીવદયાના હિમાયતી હતા એ નીકળ્યા, રસ્તામાં પાછળ કુતરાં પડ્યા, બચાવમાં દોડવા ગયા, પટકાયા, હેમરેજ થયું અને હવે દુનિયમાં નથી.


પુલ માથે પડેને મરોનું ઉદાહરણ અને ઘા બંને તાજા છે અને એટલે એમાં તો પરિવારનો કલ્પાંત જ તમને બતાવી દઈએ.  


ભેળસેળની પરાકાષ્ઠા સમજાવવા તો કલાક ઓછો પડે. તમે કલ્પના ના કરી શકો એ પદાર્થો પણ નકલી છે. નકલી પીએસઆઈ, અધિકારી, નેતા, પત્રકાર, પોલીસ બધું સાંભળ્યું જ છે, નકલી ઘી, દૂધ, તેલ, ચીઝ, બટર, જીરૂ અને ગણું બધું. શોધ્યું શોધાય નહીં. સમજ્યે સમજાય નહીં એવી ભેળસેળની માયાજાળ પણ અંત શું.... તો કહે મરો!
ડ્રગ્ઝના રવાડે મરોમાં તો આજે જ ગૃહરાજ્યમંત્રીએ દાવો કર્યો છે મોટો. મરવાનું થોડી વાર બાજુ પર મુકીને એમને સાંભળીએ.

હલકો દારૂ પીને મરોમાં પણ અમારી પાસે તાજુ જ ઉદાહરણ છે લગભગ દરેક ગામોમાં ચાલતા દારૂના ભઠ્ઠાને ટુંકમાં સમજાવતો અમારો રિપોર્ટ. સંક્ષીપ્તમાં જોઈલો


ઝુલતા પુલથી મરતા લોકોની પીડાં તો વારંવાર બતાવી, અને પીડા આપનારની પીડા જોઈને વિચલીત થતા સંતો, નેતાઓ પણ તમે જોઈ જ રહ્યા છો. બધાનો અર્ક નીકળે છે રીબાઈ રીબાઈને મરો ત્યાં સુધી. 


તમારી સુરક્ષાની જવાબદારી હવે તમે જ ઉપાડો!


લોકશાહીમાં સરકાર ચૂંટવાનો એક મતલબ થાય છે ભરોસો કરવો. 156 બેઠક આવે કે ભાજપ પ્રમુખની મહેચ્છા પ્રમાણે 182 બેઠક આવે. મુખ્ય વાત છે સામાન્ય માણસનો જમતી, ચાલતી, બોલતી, કોઈક પુલ પરથી પસાર થતી કે ઈવન ઘરની બહાર નીકળતી વખતે સરકાર પર ભરોસો રહેવો. અને એ ભરોસાની ભેંસ છેલ્લા કેટલાક સમયથી કેટલી વાર પાડાને જણી રહી છે એ આંકડાઓમાં અમારે પડવું નથી. તમારી સુરક્ષાની જવાબદારી હવે તમારે જ ઉપાડવી પડશે! 


ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.