પુલ પડે, માણસ મરે અને કોઈક કવિતા લખે! લોકોના આક્રોશની કવિતાને વિસ્તારથી સમજો!


  • Published By :
  • Published Date : 2023-10-24 18:02:28


સોશિયલ મીડિયા પર કોઈકે લખેલું આ વાઈરલ થઈ રહ્યું છે. આ લખાણના પરીપ્રેક્ષ્ય તમને સમજાવવા છે. જેને આપણે કહીએ છીએ ને કવિતા વિસ્તારથી સમજો.

ઢોરની ઢીંકે મરો વાક્યમાં કવિ દરરોજ અનિયંત્રીત બનતા આખલા વિશે કહેવા લાગે છે. રસ્તા પર નીકળ્યા હોવ, 5 મિનિટમાં ઝેરોક્ષ લઈને આવુ્ એમ કહીને નીકળેલો માણસ લાશ બનીને ઘરે આવે તો તમે શું કરી શકો.... 


કુતરાની મોતે મરોના તો અનેક અર્થ થાય છે પણ છેલ્લા દસેક દિવસથી મીડિયામાં સતત અહેવાલો આવતા હતા કે રખડતાં શ્વાન બેફામ બન્યા છે. ઉપરથી હડકવાના કારણે માણસો મરે છે પણ કોઈ ખાસ નિરાકરણ આવ્યું નહીં. વાઘબકરી ગૃપના ડિરેક્ટર જે પોતે જીવદયાના હિમાયતી હતા એ નીકળ્યા, રસ્તામાં પાછળ કુતરાં પડ્યા, બચાવમાં દોડવા ગયા, પટકાયા, હેમરેજ થયું અને હવે દુનિયમાં નથી.


પુલ માથે પડેને મરોનું ઉદાહરણ અને ઘા બંને તાજા છે અને એટલે એમાં તો પરિવારનો કલ્પાંત જ તમને બતાવી દઈએ.  


ભેળસેળની પરાકાષ્ઠા સમજાવવા તો કલાક ઓછો પડે. તમે કલ્પના ના કરી શકો એ પદાર્થો પણ નકલી છે. નકલી પીએસઆઈ, અધિકારી, નેતા, પત્રકાર, પોલીસ બધું સાંભળ્યું જ છે, નકલી ઘી, દૂધ, તેલ, ચીઝ, બટર, જીરૂ અને ગણું બધું. શોધ્યું શોધાય નહીં. સમજ્યે સમજાય નહીં એવી ભેળસેળની માયાજાળ પણ અંત શું.... તો કહે મરો!
ડ્રગ્ઝના રવાડે મરોમાં તો આજે જ ગૃહરાજ્યમંત્રીએ દાવો કર્યો છે મોટો. મરવાનું થોડી વાર બાજુ પર મુકીને એમને સાંભળીએ.

હલકો દારૂ પીને મરોમાં પણ અમારી પાસે તાજુ જ ઉદાહરણ છે લગભગ દરેક ગામોમાં ચાલતા દારૂના ભઠ્ઠાને ટુંકમાં સમજાવતો અમારો રિપોર્ટ. સંક્ષીપ્તમાં જોઈલો


ઝુલતા પુલથી મરતા લોકોની પીડાં તો વારંવાર બતાવી, અને પીડા આપનારની પીડા જોઈને વિચલીત થતા સંતો, નેતાઓ પણ તમે જોઈ જ રહ્યા છો. બધાનો અર્ક નીકળે છે રીબાઈ રીબાઈને મરો ત્યાં સુધી. 


તમારી સુરક્ષાની જવાબદારી હવે તમે જ ઉપાડો!


લોકશાહીમાં સરકાર ચૂંટવાનો એક મતલબ થાય છે ભરોસો કરવો. 156 બેઠક આવે કે ભાજપ પ્રમુખની મહેચ્છા પ્રમાણે 182 બેઠક આવે. મુખ્ય વાત છે સામાન્ય માણસનો જમતી, ચાલતી, બોલતી, કોઈક પુલ પરથી પસાર થતી કે ઈવન ઘરની બહાર નીકળતી વખતે સરકાર પર ભરોસો રહેવો. અને એ ભરોસાની ભેંસ છેલ્લા કેટલાક સમયથી કેટલી વાર પાડાને જણી રહી છે એ આંકડાઓમાં અમારે પડવું નથી. તમારી સુરક્ષાની જવાબદારી હવે તમારે જ ઉપાડવી પડશે! 


હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.