સુરતમાં રોડ પાલ રોડ પર કાર ચાલકે મોપેડ ચાલકને લીધો અડફેટે, યુવક વોલિબોલની જેમ ફંગાળાયો


  • Published By :
  • Published Date : 2023-12-01 21:36:45

સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, શહેરમાં હત્યા, લૂંટ, છેડતી, દુષ્કર્મ, નશીલા દ્રવ્યોની તસ્કરીના કેસ પોલીસ ચોપડે નોંધાતા રહે છે. જો કે હવે શહેરના માર્ગો પણ સામાન્ય રાહદારીઓ અને નાના વાહન ચાલકો માટે સુરક્ષિત રહ્યા નથી. સુરતમાં છાશવારે અકસ્માત મૃત્યુના સમાચારો સામે આવતા રહે છે. જેમ કે આજે પાલ રોડ પર એક યુવકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને રસ્તો ક્રોસ કરી રહેલા મોપેડ ચાલકને અડફેટે લીધો હતો. મોપેડ ચાલક દડાની જેમ 10 ફૂટથી વધુ ઊંચે હવામાં ફંગોળાઈને રોડ પર પટકાતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર અકસ્માતને લઈને પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર યુવકની ધરપકડ કરી હતી.


યુવક વોલીબોલની જેમ ફંગોળાયો


સુરતની  કે.પી. કોમર્સ કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો 20 વર્ષીય પુત્ર ધ્રુવાંગ પટેલ ગતરોજ સવારે 11:30 વાગ્યાના સુમારે તેના મિત્રને મળવા માટે મોપેડ લઈને ગયો હતો. મિત્રને મળીને ધ્રુવાંગ મોપેડ પર ઘરે પરત આવી રહ્યો હતો. આ દરમિયાન ગૌરવપથ રોડ નહેરથી આગળ સેવિયન સર્કલ પાસે પાલ રોડ પર ટર્ન લઈ રહ્યો હતો. આ દરમિયાન ફૂલ સ્પીડમાં બેફામ રીતે ફોક્સવેગનના કાર ચલાવતા દેવ નીતિન પટેલ(ઉ.વ.આ.18)નાએ અકસ્માત સર્જ્યો હતો. કારચાલક દેવ નીતિન પટેલને રસ્તો ક્રોસ કરી રહેલો ધ્રુવાંગ ન દેખાયો હોય તેમ મોપેડ સાથે કાર અથડાવી હતી. જેથી ધ્રુવાંગ દડાની જેમ 12 ફુટ જેટલો ઉંચે ફંગોળાઈને રસ્તા પર પટકાતા મોતને ભેટ્યો હતો. આ સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતાં. ઉલ્લેખનિય છે કે મૃતક યુવક ધ્રુવાંગના પિતા પ્રવીણભાઈ પટેલ વેપારી તથા એલઆઇસી એજન્ટ છે. દાણોદરડાના વતની પ્રવીણભાઈ હરગોવિંદભાઈ પટેલ હાલ પાલનપુર ગામ જલારામ ઇન્ટરનેશલ સ્કૂલની સામે આવેલી ક્રિસ્ટલ હાઇટ્સમાં પત્ની તેમજ પુત્ર ધ્રુવાંગ (ઉં.વ.20) સાથે રહે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.