સુરતમાં રોડ પાલ રોડ પર કાર ચાલકે મોપેડ ચાલકને લીધો અડફેટે, યુવક વોલિબોલની જેમ ફંગાળાયો


  • Published By :
  • Published Date : 2023-12-01 21:36:45

સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, શહેરમાં હત્યા, લૂંટ, છેડતી, દુષ્કર્મ, નશીલા દ્રવ્યોની તસ્કરીના કેસ પોલીસ ચોપડે નોંધાતા રહે છે. જો કે હવે શહેરના માર્ગો પણ સામાન્ય રાહદારીઓ અને નાના વાહન ચાલકો માટે સુરક્ષિત રહ્યા નથી. સુરતમાં છાશવારે અકસ્માત મૃત્યુના સમાચારો સામે આવતા રહે છે. જેમ કે આજે પાલ રોડ પર એક યુવકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને રસ્તો ક્રોસ કરી રહેલા મોપેડ ચાલકને અડફેટે લીધો હતો. મોપેડ ચાલક દડાની જેમ 10 ફૂટથી વધુ ઊંચે હવામાં ફંગોળાઈને રોડ પર પટકાતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર અકસ્માતને લઈને પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર યુવકની ધરપકડ કરી હતી.


યુવક વોલીબોલની જેમ ફંગોળાયો


સુરતની  કે.પી. કોમર્સ કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો 20 વર્ષીય પુત્ર ધ્રુવાંગ પટેલ ગતરોજ સવારે 11:30 વાગ્યાના સુમારે તેના મિત્રને મળવા માટે મોપેડ લઈને ગયો હતો. મિત્રને મળીને ધ્રુવાંગ મોપેડ પર ઘરે પરત આવી રહ્યો હતો. આ દરમિયાન ગૌરવપથ રોડ નહેરથી આગળ સેવિયન સર્કલ પાસે પાલ રોડ પર ટર્ન લઈ રહ્યો હતો. આ દરમિયાન ફૂલ સ્પીડમાં બેફામ રીતે ફોક્સવેગનના કાર ચલાવતા દેવ નીતિન પટેલ(ઉ.વ.આ.18)નાએ અકસ્માત સર્જ્યો હતો. કારચાલક દેવ નીતિન પટેલને રસ્તો ક્રોસ કરી રહેલો ધ્રુવાંગ ન દેખાયો હોય તેમ મોપેડ સાથે કાર અથડાવી હતી. જેથી ધ્રુવાંગ દડાની જેમ 12 ફુટ જેટલો ઉંચે ફંગોળાઈને રસ્તા પર પટકાતા મોતને ભેટ્યો હતો. આ સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતાં. ઉલ્લેખનિય છે કે મૃતક યુવક ધ્રુવાંગના પિતા પ્રવીણભાઈ પટેલ વેપારી તથા એલઆઇસી એજન્ટ છે. દાણોદરડાના વતની પ્રવીણભાઈ હરગોવિંદભાઈ પટેલ હાલ પાલનપુર ગામ જલારામ ઇન્ટરનેશલ સ્કૂલની સામે આવેલી ક્રિસ્ટલ હાઇટ્સમાં પત્ની તેમજ પુત્ર ધ્રુવાંગ (ઉં.વ.20) સાથે રહે છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.