સુરતમાં રોડ પાલ રોડ પર કાર ચાલકે મોપેડ ચાલકને લીધો અડફેટે, યુવક વોલિબોલની જેમ ફંગાળાયો


  • Published By :
  • Published Date : 2023-12-01 21:36:45

સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, શહેરમાં હત્યા, લૂંટ, છેડતી, દુષ્કર્મ, નશીલા દ્રવ્યોની તસ્કરીના કેસ પોલીસ ચોપડે નોંધાતા રહે છે. જો કે હવે શહેરના માર્ગો પણ સામાન્ય રાહદારીઓ અને નાના વાહન ચાલકો માટે સુરક્ષિત રહ્યા નથી. સુરતમાં છાશવારે અકસ્માત મૃત્યુના સમાચારો સામે આવતા રહે છે. જેમ કે આજે પાલ રોડ પર એક યુવકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને રસ્તો ક્રોસ કરી રહેલા મોપેડ ચાલકને અડફેટે લીધો હતો. મોપેડ ચાલક દડાની જેમ 10 ફૂટથી વધુ ઊંચે હવામાં ફંગોળાઈને રોડ પર પટકાતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર અકસ્માતને લઈને પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર યુવકની ધરપકડ કરી હતી.


યુવક વોલીબોલની જેમ ફંગોળાયો


સુરતની  કે.પી. કોમર્સ કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો 20 વર્ષીય પુત્ર ધ્રુવાંગ પટેલ ગતરોજ સવારે 11:30 વાગ્યાના સુમારે તેના મિત્રને મળવા માટે મોપેડ લઈને ગયો હતો. મિત્રને મળીને ધ્રુવાંગ મોપેડ પર ઘરે પરત આવી રહ્યો હતો. આ દરમિયાન ગૌરવપથ રોડ નહેરથી આગળ સેવિયન સર્કલ પાસે પાલ રોડ પર ટર્ન લઈ રહ્યો હતો. આ દરમિયાન ફૂલ સ્પીડમાં બેફામ રીતે ફોક્સવેગનના કાર ચલાવતા દેવ નીતિન પટેલ(ઉ.વ.આ.18)નાએ અકસ્માત સર્જ્યો હતો. કારચાલક દેવ નીતિન પટેલને રસ્તો ક્રોસ કરી રહેલો ધ્રુવાંગ ન દેખાયો હોય તેમ મોપેડ સાથે કાર અથડાવી હતી. જેથી ધ્રુવાંગ દડાની જેમ 12 ફુટ જેટલો ઉંચે ફંગોળાઈને રસ્તા પર પટકાતા મોતને ભેટ્યો હતો. આ સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતાં. ઉલ્લેખનિય છે કે મૃતક યુવક ધ્રુવાંગના પિતા પ્રવીણભાઈ પટેલ વેપારી તથા એલઆઇસી એજન્ટ છે. દાણોદરડાના વતની પ્રવીણભાઈ હરગોવિંદભાઈ પટેલ હાલ પાલનપુર ગામ જલારામ ઇન્ટરનેશલ સ્કૂલની સામે આવેલી ક્રિસ્ટલ હાઇટ્સમાં પત્ની તેમજ પુત્ર ધ્રુવાંગ (ઉં.વ.20) સાથે રહે છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી