તારક મહેતા શોના પ્રોડ્યુસર વિરૂદ્ધ કેસ કરાયો દાખલ, યૌન શોષણના આરોપમાં થઈ FIR, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 11:34:50

સોની સબ પર આવતા પ્રસિદ્ધ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. થોડા સમય પહેલા શોમાં મિસીસ સોઢીનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રીએ તેમની પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આ મામલે મુંબઈ પોલીસ દ્વારા સોમવારે અસિત કુમાર મોદી વિરૂદ્ધ તેમજ અન્ય બે લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અસિત કુમાર મોદી સહિત ઓપરેશન હેડ સોહેલ રમાણી વિરૂદ્ધ તેમજ એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ મામલે ધરપકડ કરવામાં આવી નથી.

   


ત્રણ લોકો વિરૂદ્ધ કેસ કરાયો દાખલ!

આસિત કુમાર મોદીની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ઘણા સમયથી શોમાં મિસિસ સોઢીનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રી આસિત કુમાર મોદી પર યૌન ઉત્પીડનના આરોપો લગાવી રહ્યા છે. અનેક વખત આ મુદ્દો ઉઠ્યો છે. વીડિયો બનાવી જેનિફરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ત્યારે આ મામલે અપડેટ સામે આવી છે જેમાં પોલીસે શોના પ્રોડ્યુસર, ઓપરેશન હેડ તેમજ એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. મહત્વનું છે જ્યારથી આવો દાવો કરવામાં આવ્યો છે ત્યારથી આ મામલે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.   


અનેક વખત શો રહી શક્યો છે વિવાદોમાં 

મહત્વનું છે કે લોકોને હસાવનારી સિરિયલ અનેક વિવાદોમાં ઘેરાયેલી છે. સિરિયલમાં દયા ભાભીનું પાત્ર નિભાવનાર દિશા વાકાણીએ તો ઘણા સમયથી શો છોડી દીધો છે. શો છોડવાનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. તે બાદ બાવરીનું પાત્ર નિભાવતી અભિનેત્રીએ પણ ફિલ્મને અલવિદા કહી દીધું હતું. શોમાં તારક મહેતાનું કિરદાર નિભાવનાર શૈલેષ લોઢાએ પગાર ન આપવાના આરોપો લગાવ્યા હતા. જેનિફર મિસ્ત્રીએ આસિત કુમાર મોદી પર યૌન શોષણના આરોપ લગાવ્યા છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.