તારક મહેતા શોના પ્રોડ્યુસર વિરૂદ્ધ કેસ કરાયો દાખલ, યૌન શોષણના આરોપમાં થઈ FIR, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 11:34:50

સોની સબ પર આવતા પ્રસિદ્ધ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. થોડા સમય પહેલા શોમાં મિસીસ સોઢીનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રીએ તેમની પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આ મામલે મુંબઈ પોલીસ દ્વારા સોમવારે અસિત કુમાર મોદી વિરૂદ્ધ તેમજ અન્ય બે લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અસિત કુમાર મોદી સહિત ઓપરેશન હેડ સોહેલ રમાણી વિરૂદ્ધ તેમજ એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ મામલે ધરપકડ કરવામાં આવી નથી.

   


ત્રણ લોકો વિરૂદ્ધ કેસ કરાયો દાખલ!

આસિત કુમાર મોદીની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ઘણા સમયથી શોમાં મિસિસ સોઢીનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રી આસિત કુમાર મોદી પર યૌન ઉત્પીડનના આરોપો લગાવી રહ્યા છે. અનેક વખત આ મુદ્દો ઉઠ્યો છે. વીડિયો બનાવી જેનિફરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ત્યારે આ મામલે અપડેટ સામે આવી છે જેમાં પોલીસે શોના પ્રોડ્યુસર, ઓપરેશન હેડ તેમજ એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. મહત્વનું છે જ્યારથી આવો દાવો કરવામાં આવ્યો છે ત્યારથી આ મામલે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.   


અનેક વખત શો રહી શક્યો છે વિવાદોમાં 

મહત્વનું છે કે લોકોને હસાવનારી સિરિયલ અનેક વિવાદોમાં ઘેરાયેલી છે. સિરિયલમાં દયા ભાભીનું પાત્ર નિભાવનાર દિશા વાકાણીએ તો ઘણા સમયથી શો છોડી દીધો છે. શો છોડવાનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. તે બાદ બાવરીનું પાત્ર નિભાવતી અભિનેત્રીએ પણ ફિલ્મને અલવિદા કહી દીધું હતું. શોમાં તારક મહેતાનું કિરદાર નિભાવનાર શૈલેષ લોઢાએ પગાર ન આપવાના આરોપો લગાવ્યા હતા. જેનિફર મિસ્ત્રીએ આસિત કુમાર મોદી પર યૌન શોષણના આરોપ લગાવ્યા છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .