તારક મહેતા શોના પ્રોડ્યુસર વિરૂદ્ધ કેસ કરાયો દાખલ, યૌન શોષણના આરોપમાં થઈ FIR, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 11:34:50

સોની સબ પર આવતા પ્રસિદ્ધ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. થોડા સમય પહેલા શોમાં મિસીસ સોઢીનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રીએ તેમની પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આ મામલે મુંબઈ પોલીસ દ્વારા સોમવારે અસિત કુમાર મોદી વિરૂદ્ધ તેમજ અન્ય બે લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અસિત કુમાર મોદી સહિત ઓપરેશન હેડ સોહેલ રમાણી વિરૂદ્ધ તેમજ એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ મામલે ધરપકડ કરવામાં આવી નથી.

   


ત્રણ લોકો વિરૂદ્ધ કેસ કરાયો દાખલ!

આસિત કુમાર મોદીની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ઘણા સમયથી શોમાં મિસિસ સોઢીનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રી આસિત કુમાર મોદી પર યૌન ઉત્પીડનના આરોપો લગાવી રહ્યા છે. અનેક વખત આ મુદ્દો ઉઠ્યો છે. વીડિયો બનાવી જેનિફરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ત્યારે આ મામલે અપડેટ સામે આવી છે જેમાં પોલીસે શોના પ્રોડ્યુસર, ઓપરેશન હેડ તેમજ એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. મહત્વનું છે જ્યારથી આવો દાવો કરવામાં આવ્યો છે ત્યારથી આ મામલે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.   


અનેક વખત શો રહી શક્યો છે વિવાદોમાં 

મહત્વનું છે કે લોકોને હસાવનારી સિરિયલ અનેક વિવાદોમાં ઘેરાયેલી છે. સિરિયલમાં દયા ભાભીનું પાત્ર નિભાવનાર દિશા વાકાણીએ તો ઘણા સમયથી શો છોડી દીધો છે. શો છોડવાનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. તે બાદ બાવરીનું પાત્ર નિભાવતી અભિનેત્રીએ પણ ફિલ્મને અલવિદા કહી દીધું હતું. શોમાં તારક મહેતાનું કિરદાર નિભાવનાર શૈલેષ લોઢાએ પગાર ન આપવાના આરોપો લગાવ્યા હતા. જેનિફર મિસ્ત્રીએ આસિત કુમાર મોદી પર યૌન શોષણના આરોપ લગાવ્યા છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .