જંતર મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજો વિરૂદ્ધ કેસ દાખલ, જાણો કઈ કલમો હેઠળ નોંધાયો ગુન્હો અને આ મુદ્દે કુસ્તીબાજોએ શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-05-29 09:48:43

દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા દિવસોથી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ શરણની ધરપકડ કરવામાં આવે તેવી પહેલવાનોની માગ છે. પરંતુ રવિવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સહિત અનેક પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. નવા સંસદ ભવન તરફ કરવામાં આવેલી કૂચ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા કુસ્તીબાજોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

  

કુસ્તીબાજો વિરૂદ્ધ  કેસ કરાયો દાખલ!  

WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગ સાથે કુસ્તીબાજો દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કરી રહ્યા છે. પહેલવાનોને મળવા રાજકીય પાર્ટીના અનેક નેતાઓ આવ્યા હતા. ત્યારે ગઈકાલે નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમના દિવસે કુસ્તીબાજોએ મહિલા મહાપંચાયત કાર્યક્રમની જાહેરાત કરી હતી. પહેલવાનોએ કૂચ પણ કાઢી હતી. પરંતુ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. પરંતુ મોડી રાત્રે કુસ્તીબાજો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જંતર મંતર પર બનેલી ઘટનાના સંબંધમાં પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે જેમાં સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સહિતના કુસ્તીબાજોનો સમાવેશ થાય છે. દંગો કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે.     

બજરંગ પુનિયાએ આપી પ્રતિક્રિયા! 

કેસ દાખલ થવા પર વિનેશ ફોગાટે ટ્વિટ કર્યું હતું કે દિલ્હી પોલીસે અમારી સાથે યૌન શોષણ કરનાર બ્રિજભૂષણ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 દિવસનો સમય લીધો અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા બદલ અમારી વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 કલાક પણ ન લાગ્યા. આખી દુનિયા જોઈ રહી છે કે સરકાર તેના ખેલાડીઓ સાથે કેવો વ્યવહાર કરી રહી છે. એક નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. તે સિવાય આ મામલે બજરંગ પુનિયાએ પણ પ્રતિક્રિયા આપી છે.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.