જંતર મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજો વિરૂદ્ધ કેસ દાખલ, જાણો કઈ કલમો હેઠળ નોંધાયો ગુન્હો અને આ મુદ્દે કુસ્તીબાજોએ શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-05-29 09:48:43

દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા દિવસોથી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ શરણની ધરપકડ કરવામાં આવે તેવી પહેલવાનોની માગ છે. પરંતુ રવિવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સહિત અનેક પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. નવા સંસદ ભવન તરફ કરવામાં આવેલી કૂચ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા કુસ્તીબાજોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

  

કુસ્તીબાજો વિરૂદ્ધ  કેસ કરાયો દાખલ!  

WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગ સાથે કુસ્તીબાજો દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કરી રહ્યા છે. પહેલવાનોને મળવા રાજકીય પાર્ટીના અનેક નેતાઓ આવ્યા હતા. ત્યારે ગઈકાલે નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમના દિવસે કુસ્તીબાજોએ મહિલા મહાપંચાયત કાર્યક્રમની જાહેરાત કરી હતી. પહેલવાનોએ કૂચ પણ કાઢી હતી. પરંતુ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. પરંતુ મોડી રાત્રે કુસ્તીબાજો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જંતર મંતર પર બનેલી ઘટનાના સંબંધમાં પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે જેમાં સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સહિતના કુસ્તીબાજોનો સમાવેશ થાય છે. દંગો કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે.     

બજરંગ પુનિયાએ આપી પ્રતિક્રિયા! 

કેસ દાખલ થવા પર વિનેશ ફોગાટે ટ્વિટ કર્યું હતું કે દિલ્હી પોલીસે અમારી સાથે યૌન શોષણ કરનાર બ્રિજભૂષણ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 દિવસનો સમય લીધો અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા બદલ અમારી વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 કલાક પણ ન લાગ્યા. આખી દુનિયા જોઈ રહી છે કે સરકાર તેના ખેલાડીઓ સાથે કેવો વ્યવહાર કરી રહી છે. એક નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. તે સિવાય આ મામલે બજરંગ પુનિયાએ પણ પ્રતિક્રિયા આપી છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.