જંતર મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજો વિરૂદ્ધ કેસ દાખલ, જાણો કઈ કલમો હેઠળ નોંધાયો ગુન્હો અને આ મુદ્દે કુસ્તીબાજોએ શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-05-29 09:48:43

દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા દિવસોથી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ શરણની ધરપકડ કરવામાં આવે તેવી પહેલવાનોની માગ છે. પરંતુ રવિવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સહિત અનેક પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. નવા સંસદ ભવન તરફ કરવામાં આવેલી કૂચ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા કુસ્તીબાજોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

  

કુસ્તીબાજો વિરૂદ્ધ  કેસ કરાયો દાખલ!  

WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગ સાથે કુસ્તીબાજો દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કરી રહ્યા છે. પહેલવાનોને મળવા રાજકીય પાર્ટીના અનેક નેતાઓ આવ્યા હતા. ત્યારે ગઈકાલે નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમના દિવસે કુસ્તીબાજોએ મહિલા મહાપંચાયત કાર્યક્રમની જાહેરાત કરી હતી. પહેલવાનોએ કૂચ પણ કાઢી હતી. પરંતુ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. પરંતુ મોડી રાત્રે કુસ્તીબાજો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જંતર મંતર પર બનેલી ઘટનાના સંબંધમાં પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે જેમાં સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સહિતના કુસ્તીબાજોનો સમાવેશ થાય છે. દંગો કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે.     

બજરંગ પુનિયાએ આપી પ્રતિક્રિયા! 

કેસ દાખલ થવા પર વિનેશ ફોગાટે ટ્વિટ કર્યું હતું કે દિલ્હી પોલીસે અમારી સાથે યૌન શોષણ કરનાર બ્રિજભૂષણ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 દિવસનો સમય લીધો અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા બદલ અમારી વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 કલાક પણ ન લાગ્યા. આખી દુનિયા જોઈ રહી છે કે સરકાર તેના ખેલાડીઓ સાથે કેવો વ્યવહાર કરી રહી છે. એક નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. તે સિવાય આ મામલે બજરંગ પુનિયાએ પણ પ્રતિક્રિયા આપી છે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.