જંતર મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજો વિરૂદ્ધ કેસ દાખલ, જાણો કઈ કલમો હેઠળ નોંધાયો ગુન્હો અને આ મુદ્દે કુસ્તીબાજોએ શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-05-29 09:48:43

દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા દિવસોથી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ શરણની ધરપકડ કરવામાં આવે તેવી પહેલવાનોની માગ છે. પરંતુ રવિવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સહિત અનેક પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. નવા સંસદ ભવન તરફ કરવામાં આવેલી કૂચ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા કુસ્તીબાજોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

  

કુસ્તીબાજો વિરૂદ્ધ  કેસ કરાયો દાખલ!  

WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગ સાથે કુસ્તીબાજો દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કરી રહ્યા છે. પહેલવાનોને મળવા રાજકીય પાર્ટીના અનેક નેતાઓ આવ્યા હતા. ત્યારે ગઈકાલે નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમના દિવસે કુસ્તીબાજોએ મહિલા મહાપંચાયત કાર્યક્રમની જાહેરાત કરી હતી. પહેલવાનોએ કૂચ પણ કાઢી હતી. પરંતુ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. પરંતુ મોડી રાત્રે કુસ્તીબાજો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જંતર મંતર પર બનેલી ઘટનાના સંબંધમાં પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે જેમાં સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સહિતના કુસ્તીબાજોનો સમાવેશ થાય છે. દંગો કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે.     

બજરંગ પુનિયાએ આપી પ્રતિક્રિયા! 

કેસ દાખલ થવા પર વિનેશ ફોગાટે ટ્વિટ કર્યું હતું કે દિલ્હી પોલીસે અમારી સાથે યૌન શોષણ કરનાર બ્રિજભૂષણ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 દિવસનો સમય લીધો અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા બદલ અમારી વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 કલાક પણ ન લાગ્યા. આખી દુનિયા જોઈ રહી છે કે સરકાર તેના ખેલાડીઓ સાથે કેવો વ્યવહાર કરી રહી છે. એક નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. તે સિવાય આ મામલે બજરંગ પુનિયાએ પણ પ્રતિક્રિયા આપી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.