Godhraમાં NEETની પરીક્ષામાં ગેરરીતિનો કેસ! ચોરી કરાવનાર રેકેટનો કઈ રીતે થયો પદૉફાશ? Yuvrajsinhએ આપી પ્રતિક્રિયા, સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-09 16:56:56

પેપર લીક થવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ છે... થોડા દિવસો થયા હોય અને પેપર લીકની ઘટના સામે આવી જાય..! સ્પર્ધાત્મક પરીક્ષામાં તો અનેક વખત આવું બનતું હોય છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી NEETની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય તેવી માહિતી સામે આવી છે.. કલેક્ટરની સતર્કતાને કારણે આ ઘટના સામે આવી છે.. સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે... એવી માહિતી પણ સામે આવી છે કે જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ સામે પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ છે.

યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી ટ્વિટ

થોડા સમયથી NEETની પરીક્ષાનું પેપર લીક થયું તેવી વાતો થઈ રહી છે.. અનેક સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પરીક્ષાનું પેપર લીક થયું છે. આ બધા વચ્ચે ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

કેવી રીતે થયો આનો ઘટસ્ફોટ? 

જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીને અનુસારે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી.. બાતમીના આધારે પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી. તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી સાત લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તે ઉપરાંત પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટના મોબાઈલમાંથી whatsapp ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાની વિગતો સામે આવી છે.. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે..


આ લોકો સામે નોંધાઈ ફરિયાદ

મળતી માહિતી અનુસાર જે લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે તેમાંજય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોટ અને ગોધરાના આરીફ વોરા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે જ્યારે પણ આવી પેપર લીકની ઘટના બને છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે. 



ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.

થોડા સમય પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે બેવડી ઋતુનો અહેસાસ લોકોને થયો.. કમોસમી વરસાદ બાદ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાયું છે... હીટવેવની આગાહી અનેક જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે.. અતિશય ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે..

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી પછી પ્રથમવાર શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા હતા.. અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા..., તેમણે કહ્યું કે બૂથ મેનેજમેન્ટમાં ખામી અંગેની વાત કરી હતી.

આકાશમાંથી અગિનવર્ષા થઈ રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગરમીએ ગુજરાતમાં 45 ડિગ્રી તાપમાનને વટાવી દીધું છે.. રાજ્યના અનેક ભાગોના વિસ્તારો એવા હતા જ્યાંનું તાપમાન 44 ડિગ્રી ઉપર નોંધાયું હોય.. સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરનું નોંધાયું છે 45.3 જ્યારે અમદાવાદનું તાપમાન 44.9 ડિગ્રી નોંધાયું છે..