Godhraમાં NEETની પરીક્ષામાં ગેરરીતિનો કેસ! ચોરી કરાવનાર રેકેટનો કઈ રીતે થયો પદૉફાશ? Yuvrajsinhએ આપી પ્રતિક્રિયા, સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-09 16:56:56

પેપર લીક થવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ છે... થોડા દિવસો થયા હોય અને પેપર લીકની ઘટના સામે આવી જાય..! સ્પર્ધાત્મક પરીક્ષામાં તો અનેક વખત આવું બનતું હોય છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી NEETની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય તેવી માહિતી સામે આવી છે.. કલેક્ટરની સતર્કતાને કારણે આ ઘટના સામે આવી છે.. સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે... એવી માહિતી પણ સામે આવી છે કે જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ સામે પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ છે.

યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી ટ્વિટ

થોડા સમયથી NEETની પરીક્ષાનું પેપર લીક થયું તેવી વાતો થઈ રહી છે.. અનેક સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પરીક્ષાનું પેપર લીક થયું છે. આ બધા વચ્ચે ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

કેવી રીતે થયો આનો ઘટસ્ફોટ? 

જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીને અનુસારે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી.. બાતમીના આધારે પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી. તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી સાત લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તે ઉપરાંત પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટના મોબાઈલમાંથી whatsapp ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાની વિગતો સામે આવી છે.. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે..


આ લોકો સામે નોંધાઈ ફરિયાદ

મળતી માહિતી અનુસાર જે લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે તેમાંજય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોટ અને ગોધરાના આરીફ વોરા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે જ્યારે પણ આવી પેપર લીકની ઘટના બને છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.