Godhraમાં NEETની પરીક્ષામાં ગેરરીતિનો કેસ! ચોરી કરાવનાર રેકેટનો કઈ રીતે થયો પદૉફાશ? Yuvrajsinhએ આપી પ્રતિક્રિયા, સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-09 16:56:56

પેપર લીક થવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ છે... થોડા દિવસો થયા હોય અને પેપર લીકની ઘટના સામે આવી જાય..! સ્પર્ધાત્મક પરીક્ષામાં તો અનેક વખત આવું બનતું હોય છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી NEETની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય તેવી માહિતી સામે આવી છે.. કલેક્ટરની સતર્કતાને કારણે આ ઘટના સામે આવી છે.. સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે... એવી માહિતી પણ સામે આવી છે કે જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ સામે પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ છે.

યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી ટ્વિટ

થોડા સમયથી NEETની પરીક્ષાનું પેપર લીક થયું તેવી વાતો થઈ રહી છે.. અનેક સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પરીક્ષાનું પેપર લીક થયું છે. આ બધા વચ્ચે ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

કેવી રીતે થયો આનો ઘટસ્ફોટ? 

જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીને અનુસારે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી.. બાતમીના આધારે પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી. તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી સાત લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તે ઉપરાંત પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટના મોબાઈલમાંથી whatsapp ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાની વિગતો સામે આવી છે.. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે..


આ લોકો સામે નોંધાઈ ફરિયાદ

મળતી માહિતી અનુસાર જે લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે તેમાંજય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોટ અને ગોધરાના આરીફ વોરા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે જ્યારે પણ આવી પેપર લીકની ઘટના બને છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.