અશ્લીલ ફિલ્મ મામલે મહારાષ્ટ્ર સાયબર સેલે રાજ કુન્દ્રા સામે વધુ એક ચાર્જશીટ ફાઈલ કરી


  • Published By :
  • Published Date : 2022-11-20 21:40:40

અશ્લીલ ફિલ્મો બનાવવા મામલે બોલિવુડના એક્ટર શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની તકલીફોમાં વધારો થઈ શકે છે. મહારાષ્ટ્ર સાયબર સેલે એક નવી ચાર્જશીટમાં દાવો કર્યો છે કે રાજ કુન્દ્રાએ મુંબઈના બે ફાઈવ સ્ટાર હોટલમાં અશ્લીલ ફિલ્મોનું શુટિંગ કરાવ્યું હતું. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ કુન્દ્રાએ હોટ શોટ્સ નામના ઓટીટી પ્લેફોર્મ પર આ ફિલ્મો વેચીને અઢળક રૂપિયા કમાવ્યા હતા. 

Raj Kundra Pornography Case: Crime Branch Raid Raj Kundra And Shilpa Shetty  House - Raj Kundra Latest News: पोर्नोग्राफी केस में राज कुंद्रा के घर पर  छापामारी, शिल्पा शेट्टी का बयान किया

ગયા અઠવાડિયે જ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થઈ

મહારાષ્ટ્ર સાયબર સેલે ગયા અઠવાડિયે જ આ ચાર્જશીટને કોર્ટમાં રજૂ કરી હતી. ચાર્જશીટમાં લખવામાં આવ્યું છે કે આ ચાર્જશીટની અંદર પૂનમ પાંડે, શર્લિન ચોપરા, ફિલ્મ નિર્માતા મીતા જુનજુનવાલા અને કેમેરા પર્સન રાજુ દુબેનું નામ પણ છે. રાજ કુન્દ્રા અગાઉ પોર્નોગ્રાફી મામલે મુંબઈની આર્થર રોડની જેલમાં હતા. બે મહિના અગાઉ જ તેમને સેશન્સ કોર્ટ તરફથી જામીન મળી છે. 

Raj Kundra Was Arrested Because He Was Destroying Evidence, Mumbai Police  Tells HC - odishabytes

અચ્છા તો આ રીતે પોલીસને પડી હતી ખબર!!! 

ગયા વર્ષે મુંબઈની પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી જેમાં અભિનેત્રી ગહના વશિષ્ઠ પણ હતી. સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી ત્યાર બાદ અન્ય 3 લોકોને પણ આ કેસમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. તે સમયે એવી વાત સામે આવી હતી કે અભિનેત્રીને બળજબરીથી અશ્લીલ ફોટો શૂટ કરવા માટે દબાણ બનાવવામાં આવ્યું હતું. આ બધા લોકોની પોલીસે પૂછપરછ કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે તમામ લોકો આ ફોટો શૂટ એક એપ્લિકેશન પર મૂકવાના હતા. ત્યાર બાદ મુંબઈ પોલીસે વધુ તપાસ કરી હતી અને આ કાળા ધંધાના છેડા રાજ કુન્દ્રા સુધી પહોંચ્યા હતા. 

Hidden locker' found at Raj Kundra's Mumbai office Viaan, claim police;  details inside

રાજ કુન્દ્રાએ કાળા ધંધામાં રૂપિયા રોક્યા હતા

મુંબઈની પોલીસને રાજ કુન્દ્રા વિશે ખબર પડતા જ આ મામલો મોટો બની ગયો હતો. જ્યાર બાદ પોલીસે રાજ કુન્દ્રા પર કેસ કર્યો હતો. રાજ કુન્દ્રા પર આરોપ હતો કે તેમણે અશ્લીલ ફિલ્મોના કાળા કારોબારમાં અંદાજે 10 કરોડ જેટલી રકમ નાખી હતી. ફિલ્મો ભારતમાં શૂટ થતી હતી અને ઈંગ્લેન્ડની કેનરીન નામની કંપનીમાં મોકલવામાં આવતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે રાજ કુન્દ્રા અને તેમના ભાઈએ ઈંગ્લેન્ડમાં કેનરિન કંપની ઉભી કરી હતી કારણ કે ભારતમાં તેમને કાયદાઓ નડતા હતા. ભારતના સાયબર લૉથી બચવા માટે રાજ કુન્દ્રાએ કેનરિન કંપની ઈંગ્લેન્ડમાં બનાવી હતી. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.