નવા સંસદ ભવનના ઉદ્ધાટન નિમિત્તે લોન્ચ કરાશે 75 રુપિયાનો સિક્કો! જાણો શું હશે સિક્કાની ખાસિયત?


  • Published By :
  • Published Date : 2023-05-26 15:16:48

28મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. આ કાર્યક્રમને લઈ રાજકારણ ગરમાયું છે. અનેક વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે આ ઉદ્ધાટન કાર્યક્રમને ધ્યાનમાં રાખી સરકાર 75 રુપિયાનો સિક્કો બહાર પાડવાની છે. આ પ્રસંગને ધ્યાનમાં રાખી સ્ટેમ્પ પણ લોન્ચ કરવામાં આવશે. વિત્ત મંત્રાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સિક્કા પર સત્યમેવ જયતે લખવામાં આવશે અને અશોક સ્તંભ પણ સિક્કા પર જોવા મળશે. 


75 રુપિયાનો સિક્કો કરાશે લોન્ચ!

નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવવાનું છે. અનેક દિવસો તેમજ અનેક પ્રસંગોને યાદ રાખવા અનેક વખત સિક્કાઓ બહાર પાડવામાં આવતા હોય છે. ત્યારે નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમને લઈ સરકાર દ્વારા 75 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. વિત્ત મંત્રાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. સિક્કા પર નવા સંસદ ભવનની તસવીર છાપેલી હશે. તે સિવાય મળતી માહિતી અનુસાર સિક્કા પર સત્યમેવ જયતે પણ લખવામાં આવ્યું હશે. સિક્કામાં 50 ટકા ચાંદી તેમજ 40 ટકા તાંબાનું મિશ્રણ હશે. મહત્વું છે કે સિક્કો કેવો હશે તેવી જાણકારી આપવામાં આવી નથી.  


     

આ ખાસ દિવસો માટે બહાર પાડવામાં આવ્યા છે સિક્કા!

આ પહેલી વખત નથી કે સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. મન કી બાત કાર્યક્રમને જ્યારે 100 એપિસોડ પૂરા થયા હતા ત્યારે 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપૈયીને યાદ કરવા થોડા વર્ષો પહેલા મોદી સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તે ઉપરાંત રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દી પર પણ 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.