નવા સંસદ ભવનના ઉદ્ધાટન નિમિત્તે લોન્ચ કરાશે 75 રુપિયાનો સિક્કો! જાણો શું હશે સિક્કાની ખાસિયત?


  • Published By :
  • Published Date : 2023-05-26 15:16:48

28મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. આ કાર્યક્રમને લઈ રાજકારણ ગરમાયું છે. અનેક વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે આ ઉદ્ધાટન કાર્યક્રમને ધ્યાનમાં રાખી સરકાર 75 રુપિયાનો સિક્કો બહાર પાડવાની છે. આ પ્રસંગને ધ્યાનમાં રાખી સ્ટેમ્પ પણ લોન્ચ કરવામાં આવશે. વિત્ત મંત્રાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સિક્કા પર સત્યમેવ જયતે લખવામાં આવશે અને અશોક સ્તંભ પણ સિક્કા પર જોવા મળશે. 


75 રુપિયાનો સિક્કો કરાશે લોન્ચ!

નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવવાનું છે. અનેક દિવસો તેમજ અનેક પ્રસંગોને યાદ રાખવા અનેક વખત સિક્કાઓ બહાર પાડવામાં આવતા હોય છે. ત્યારે નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમને લઈ સરકાર દ્વારા 75 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. વિત્ત મંત્રાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. સિક્કા પર નવા સંસદ ભવનની તસવીર છાપેલી હશે. તે સિવાય મળતી માહિતી અનુસાર સિક્કા પર સત્યમેવ જયતે પણ લખવામાં આવ્યું હશે. સિક્કામાં 50 ટકા ચાંદી તેમજ 40 ટકા તાંબાનું મિશ્રણ હશે. મહત્વું છે કે સિક્કો કેવો હશે તેવી જાણકારી આપવામાં આવી નથી.  


     

આ ખાસ દિવસો માટે બહાર પાડવામાં આવ્યા છે સિક્કા!

આ પહેલી વખત નથી કે સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. મન કી બાત કાર્યક્રમને જ્યારે 100 એપિસોડ પૂરા થયા હતા ત્યારે 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપૈયીને યાદ કરવા થોડા વર્ષો પહેલા મોદી સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તે ઉપરાંત રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દી પર પણ 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.