જાપાનના વડાપ્રધાન પર થયો જીવલેણ હુમલો! ભાષણ દરમિયાન હુમલાખોરે સ્મોક બોમ્બથી કર્યો ધડાકો


  • Published By :
  • Published Date : 2023-04-15 11:05:13

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. વાકાયામાં શહેરમાં પીએમ સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિ દ્વારા તેમના પર પાઈપ બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો થયા બાદ સુરક્ષા જવાનો દ્વારા પીએમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે ઉપરાંત મળતી માહિતી અનુસાર પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરને પણ દબોચી લીધો છે.   


આ હુમલાનો વીડિયો થયો વાયરલ! 

મળતી માહિતી અનુસાર વાકાયામા જ્યારે રેલીમાં સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન એક હુમલાખોરે વડાપ્રધાન પર સ્મોક બોમ્બ અથવા તો પાઈપ બોમ્બ દ્વારા હુમલો કર્યો હતો. હુમલો થતા અફરા-તફરી સર્જાઈ હતી. સુરક્ષા જવાનોએ વડાપ્રધાનને સુરક્ષિત સ્થળ પર ખસેડી દીધા છે. અને મળતી માહિતી અનુસાર પોલીસે શંકાસ્પદ હુમલાખોરને પણ ઝડપી પાડ્યો છે. 



પોલીસકર્મીએ  આરોપીને દબોચી દીધો!    

આ ઘટના અંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જ્યારે વડાપ્રધાનની સભા યોજાઈ રહી હતી તે દરમિયાન અચાનક મોટો ધડાકો થયો હતો. પીએમનું ભાષણ સાંભળવા આવેલા લોકો ઘટના બાદ આમ તેમ દોડી રહ્યા છે. આ બધા દરમિયાન પોલીસકર્મી દ્વારા તેને દબોચવામાં આવે છે અને તેને જમીન પર પટકવામાં આવે છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.