જાપાનના વડાપ્રધાન પર થયો જીવલેણ હુમલો! ભાષણ દરમિયાન હુમલાખોરે સ્મોક બોમ્બથી કર્યો ધડાકો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-15 11:05:13

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. વાકાયામાં શહેરમાં પીએમ સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિ દ્વારા તેમના પર પાઈપ બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો થયા બાદ સુરક્ષા જવાનો દ્વારા પીએમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે ઉપરાંત મળતી માહિતી અનુસાર પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરને પણ દબોચી લીધો છે.   


આ હુમલાનો વીડિયો થયો વાયરલ! 

મળતી માહિતી અનુસાર વાકાયામા જ્યારે રેલીમાં સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન એક હુમલાખોરે વડાપ્રધાન પર સ્મોક બોમ્બ અથવા તો પાઈપ બોમ્બ દ્વારા હુમલો કર્યો હતો. હુમલો થતા અફરા-તફરી સર્જાઈ હતી. સુરક્ષા જવાનોએ વડાપ્રધાનને સુરક્ષિત સ્થળ પર ખસેડી દીધા છે. અને મળતી માહિતી અનુસાર પોલીસે શંકાસ્પદ હુમલાખોરને પણ ઝડપી પાડ્યો છે. 



પોલીસકર્મીએ  આરોપીને દબોચી દીધો!    

આ ઘટના અંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જ્યારે વડાપ્રધાનની સભા યોજાઈ રહી હતી તે દરમિયાન અચાનક મોટો ધડાકો થયો હતો. પીએમનું ભાષણ સાંભળવા આવેલા લોકો ઘટના બાદ આમ તેમ દોડી રહ્યા છે. આ બધા દરમિયાન પોલીસકર્મી દ્વારા તેને દબોચવામાં આવે છે અને તેને જમીન પર પટકવામાં આવે છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. 



પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.

જમાવટની ટીમે સાબરકાંઠા લોકસભા બેઠકના બંને ઉમેદવાર શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરીને ફોન કર્યો હતો અને જાણવાની કોશિશ કરી હતી કે આગામી પાંચ વર્ષનું તેમનું વિઝન શું છે.

પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યો છે.. અનેક સ્થળો પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. આ બધા વચ્ચે જમાવટની ટીમ હિંમતનગરના દેધરોટા ગામમાં પહોંચી હતી અને ભાજપ માટે ત્યાંના લોકો શું વિચારે છે, વિવાદને લઈ લોકો શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી..

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો..નાની નાની વયના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થવા લાગ્યા. ત્યારે એવું માનવામાં આવતું કે કોરોના વેક્સિનની સાઈડ ઈફેટને કારણે આ કિસ્સાઓમાં વધારો કર્યા છે. ત્યારે કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રજેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.