જાપાનના વડાપ્રધાન પર થયો જીવલેણ હુમલો! ભાષણ દરમિયાન હુમલાખોરે સ્મોક બોમ્બથી કર્યો ધડાકો


  • Published By :
  • Published Date : 2023-04-15 11:05:13

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. વાકાયામાં શહેરમાં પીએમ સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિ દ્વારા તેમના પર પાઈપ બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો થયા બાદ સુરક્ષા જવાનો દ્વારા પીએમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે ઉપરાંત મળતી માહિતી અનુસાર પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરને પણ દબોચી લીધો છે.   


આ હુમલાનો વીડિયો થયો વાયરલ! 

મળતી માહિતી અનુસાર વાકાયામા જ્યારે રેલીમાં સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન એક હુમલાખોરે વડાપ્રધાન પર સ્મોક બોમ્બ અથવા તો પાઈપ બોમ્બ દ્વારા હુમલો કર્યો હતો. હુમલો થતા અફરા-તફરી સર્જાઈ હતી. સુરક્ષા જવાનોએ વડાપ્રધાનને સુરક્ષિત સ્થળ પર ખસેડી દીધા છે. અને મળતી માહિતી અનુસાર પોલીસે શંકાસ્પદ હુમલાખોરને પણ ઝડપી પાડ્યો છે. 



પોલીસકર્મીએ  આરોપીને દબોચી દીધો!    

આ ઘટના અંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જ્યારે વડાપ્રધાનની સભા યોજાઈ રહી હતી તે દરમિયાન અચાનક મોટો ધડાકો થયો હતો. પીએમનું ભાષણ સાંભળવા આવેલા લોકો ઘટના બાદ આમ તેમ દોડી રહ્યા છે. આ બધા દરમિયાન પોલીસકર્મી દ્વારા તેને દબોચવામાં આવે છે અને તેને જમીન પર પટકવામાં આવે છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.