કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને ફટકારાઈ માનહાનીની નોટિસ! બજરંગ દળ અંગે આપેલી ટિપ્પણીને લઈ 100 કરોડના માનહાનિ કેસમાં સંગરુર કોર્ટે મોકલ્યું સમન્સ!


  • Published By :
  • Published Date : 2023-05-15 14:28:54

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પંજાબની સંગરૂર કોર્ટે સમન્સ જારી કર્યું છે. મલ્લિકાર્જુન ખડગેને 100 કરોડના માનહાનીના કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગ દળ વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને લઈ ખડગે વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે મલ્લિકાર્જુન ખડગેને 10 જુલાઈ સુધીમાં કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.

  

100 કરોડનો માનહાનીનો કેસ કરાયો!

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ છે. બહુમતીથી સરકાર કર્ણાટકમાં બનવા જઈ રહી છે. બજરંગદળને લઈ કર્ણાટકમાં ઘમાસણ ચાલ્યું હતું. રાજકારણ ગરમાયું હતું. ત્યારે બજરંગદળ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને કારણે મલ્લિકાર્જુન ખડગેની મુશ્કેલી વધી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગદળ પર આપેલા નિવેદનના સંદર્ભને લઈ સંગરૂરની જિલ્લા અદાલતે તેમને સમન્સ પાઠવ્યું છે.  હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના સંસ્થાપક હિતેશ ભારદ્વાજે તેમની સામે 100 કરોડનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે. 


રાહુલ ગાંધી બાદ મલ્લિકાર્જુ ખડગેને મળી નોટિસ!

ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવતા નિવેદનનોને કારણે અનેક વખત રાજકીય નેતાઓની મુશ્કેલીમાં વધારો થતો હોય છે. થોડા વર્ષો પહેલા મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને દોષિત જાહેર કરવામાં  આવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પંજાબની સંગરૂર કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું છે. મળતી માહિતી અનુસાર હિંદુ સુરક્ષા પરિષદ બજરંગ હિંદના સ્થાપક હિતેશ ભારદ્વાજે કેસ કર્યો છે. 


કોર્ટે માનહાની મામલે સમન્સ પાઠવ્યું!

ભારદ્વાજે કહ્યું જ્યારે મને જાણવા મળ્યું કે ઘોષણા પત્રના પેજ નંબર 10 પર કોંગ્રેસે બજરંગ દળની તુલના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે કરી છે અને જો ચૂંટણી જીતશે તો તેના પર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું છે, ત્યારે મેં ગુરૂવારે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કોર્ટે ખડગે વિરૂદ્ધ 100 કરોડનો માનહાની મામલે સમન્સ પાઠવ્યું છે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.