કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને ફટકારાઈ માનહાનીની નોટિસ! બજરંગ દળ અંગે આપેલી ટિપ્પણીને લઈ 100 કરોડના માનહાનિ કેસમાં સંગરુર કોર્ટે મોકલ્યું સમન્સ!


  • Published By :
  • Published Date : 2023-05-15 14:28:54

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પંજાબની સંગરૂર કોર્ટે સમન્સ જારી કર્યું છે. મલ્લિકાર્જુન ખડગેને 100 કરોડના માનહાનીના કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગ દળ વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને લઈ ખડગે વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે મલ્લિકાર્જુન ખડગેને 10 જુલાઈ સુધીમાં કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.

  

100 કરોડનો માનહાનીનો કેસ કરાયો!

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ છે. બહુમતીથી સરકાર કર્ણાટકમાં બનવા જઈ રહી છે. બજરંગદળને લઈ કર્ણાટકમાં ઘમાસણ ચાલ્યું હતું. રાજકારણ ગરમાયું હતું. ત્યારે બજરંગદળ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને કારણે મલ્લિકાર્જુન ખડગેની મુશ્કેલી વધી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગદળ પર આપેલા નિવેદનના સંદર્ભને લઈ સંગરૂરની જિલ્લા અદાલતે તેમને સમન્સ પાઠવ્યું છે.  હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના સંસ્થાપક હિતેશ ભારદ્વાજે તેમની સામે 100 કરોડનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે. 


રાહુલ ગાંધી બાદ મલ્લિકાર્જુ ખડગેને મળી નોટિસ!

ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવતા નિવેદનનોને કારણે અનેક વખત રાજકીય નેતાઓની મુશ્કેલીમાં વધારો થતો હોય છે. થોડા વર્ષો પહેલા મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને દોષિત જાહેર કરવામાં  આવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પંજાબની સંગરૂર કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું છે. મળતી માહિતી અનુસાર હિંદુ સુરક્ષા પરિષદ બજરંગ હિંદના સ્થાપક હિતેશ ભારદ્વાજે કેસ કર્યો છે. 


કોર્ટે માનહાની મામલે સમન્સ પાઠવ્યું!

ભારદ્વાજે કહ્યું જ્યારે મને જાણવા મળ્યું કે ઘોષણા પત્રના પેજ નંબર 10 પર કોંગ્રેસે બજરંગ દળની તુલના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે કરી છે અને જો ચૂંટણી જીતશે તો તેના પર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું છે, ત્યારે મેં ગુરૂવારે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કોર્ટે ખડગે વિરૂદ્ધ 100 કરોડનો માનહાની મામલે સમન્સ પાઠવ્યું છે.     




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.