કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને ફટકારાઈ માનહાનીની નોટિસ! બજરંગ દળ અંગે આપેલી ટિપ્પણીને લઈ 100 કરોડના માનહાનિ કેસમાં સંગરુર કોર્ટે મોકલ્યું સમન્સ!


  • Published By :
  • Published Date : 2023-05-15 14:28:54

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પંજાબની સંગરૂર કોર્ટે સમન્સ જારી કર્યું છે. મલ્લિકાર્જુન ખડગેને 100 કરોડના માનહાનીના કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગ દળ વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને લઈ ખડગે વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે મલ્લિકાર્જુન ખડગેને 10 જુલાઈ સુધીમાં કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.

  

100 કરોડનો માનહાનીનો કેસ કરાયો!

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ છે. બહુમતીથી સરકાર કર્ણાટકમાં બનવા જઈ રહી છે. બજરંગદળને લઈ કર્ણાટકમાં ઘમાસણ ચાલ્યું હતું. રાજકારણ ગરમાયું હતું. ત્યારે બજરંગદળ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને કારણે મલ્લિકાર્જુન ખડગેની મુશ્કેલી વધી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગદળ પર આપેલા નિવેદનના સંદર્ભને લઈ સંગરૂરની જિલ્લા અદાલતે તેમને સમન્સ પાઠવ્યું છે.  હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના સંસ્થાપક હિતેશ ભારદ્વાજે તેમની સામે 100 કરોડનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે. 


રાહુલ ગાંધી બાદ મલ્લિકાર્જુ ખડગેને મળી નોટિસ!

ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવતા નિવેદનનોને કારણે અનેક વખત રાજકીય નેતાઓની મુશ્કેલીમાં વધારો થતો હોય છે. થોડા વર્ષો પહેલા મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને દોષિત જાહેર કરવામાં  આવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પંજાબની સંગરૂર કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું છે. મળતી માહિતી અનુસાર હિંદુ સુરક્ષા પરિષદ બજરંગ હિંદના સ્થાપક હિતેશ ભારદ્વાજે કેસ કર્યો છે. 


કોર્ટે માનહાની મામલે સમન્સ પાઠવ્યું!

ભારદ્વાજે કહ્યું જ્યારે મને જાણવા મળ્યું કે ઘોષણા પત્રના પેજ નંબર 10 પર કોંગ્રેસે બજરંગ દળની તુલના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે કરી છે અને જો ચૂંટણી જીતશે તો તેના પર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું છે, ત્યારે મેં ગુરૂવારે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કોર્ટે ખડગે વિરૂદ્ધ 100 કરોડનો માનહાની મામલે સમન્સ પાઠવ્યું છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.