દિલ્હી સ્થિત પીએમ મોદીના નિવાસસ્થાન પર ઉડતું દેખાયું ડ્રોન! સમાચાર મળતા દોડતી થઈ પોલીસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-03 12:01:09

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન પર ડ્રોન ઉડતું દેખાતા ખળબળાટ મચી ગયો છે. મહત્વનું છે કે પીએમ મોદીની સુરક્ષાને લઈ તે સ્થળને 'નો ફ્લાઈંગ ઝોન' જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આજે વહેલી સવારે હવામાં ડ્રોન ઉડતું દેખાતા સુરક્ષા બળો એક્ટિવ થઈ ગયા છે. આ અંગેની જાણ થતાં પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. મહત્વનું છે કે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે કે કેવી રીતે આ ડ્રોન ત્યાં પહોંચ્યું. મળતી માહિતી અનુસાર પોલીસને હજી સુધી ડ્રોન નથી મળ્યું.

 


આ જગ્યા પર સ્થિત છે પીએમ મોદીનું નિવાસસ્થાન  

દેશના વડાપ્રધાન માટે ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પીએમ મોદી રહેતા હોય છે. જ્યાં તે રહે છે તેની આસપાસનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ આજે પીએમના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડતું દેખાયું હતું. ઘર પર ડ્રોન ઉડવાની જાણકારી સામે આવતા સુરક્ષા બળો એલર્ટ થઈ ગયા હતા. સવારે પાંચ વાગ્યાની આસપાસ ડ્રોન ઉડતું દેખાતાં એસપીજીએ આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે અધિકારીઓ અને ડ્રોનની શોધખોળ સુરક્ષાબળો દ્વારા કરવામાં આવી રહી છે. પીએમ મોદી દિલ્હી સ્થિત લોકકલ્યાણ માર્ગ પર આવેલા બંગલા નંબર સાતમાં રહે છે. તેમના નિવાસસ્થાનનું નામ પંચવટી છે.  


પોલીસે આ મામલે હાથ ધરી તપાસ 

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે સોમવાર સવારે પીસીઆર કોલ આવ્યો હતો કે દિલ્હીમાં વડાપ્રધાનના નિવસસ્થાન ઉપર ડ્રોન જેવી વસ્તુ ઉડતી દેખાઈ હતી. જો કે મામલે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ તેમને આ મામલે કંઈ મળી આવ્યું નથી. મહત્વનું છે કે નો ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડવાને કારણે પીએમ મોદીની સુરક્ષા પર પણ એક ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.