દિલ્હી સ્થિત પીએમ મોદીના નિવાસસ્થાન પર ઉડતું દેખાયું ડ્રોન! સમાચાર મળતા દોડતી થઈ પોલીસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-03 12:01:09

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન પર ડ્રોન ઉડતું દેખાતા ખળબળાટ મચી ગયો છે. મહત્વનું છે કે પીએમ મોદીની સુરક્ષાને લઈ તે સ્થળને 'નો ફ્લાઈંગ ઝોન' જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આજે વહેલી સવારે હવામાં ડ્રોન ઉડતું દેખાતા સુરક્ષા બળો એક્ટિવ થઈ ગયા છે. આ અંગેની જાણ થતાં પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. મહત્વનું છે કે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે કે કેવી રીતે આ ડ્રોન ત્યાં પહોંચ્યું. મળતી માહિતી અનુસાર પોલીસને હજી સુધી ડ્રોન નથી મળ્યું.

 


આ જગ્યા પર સ્થિત છે પીએમ મોદીનું નિવાસસ્થાન  

દેશના વડાપ્રધાન માટે ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પીએમ મોદી રહેતા હોય છે. જ્યાં તે રહે છે તેની આસપાસનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ આજે પીએમના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડતું દેખાયું હતું. ઘર પર ડ્રોન ઉડવાની જાણકારી સામે આવતા સુરક્ષા બળો એલર્ટ થઈ ગયા હતા. સવારે પાંચ વાગ્યાની આસપાસ ડ્રોન ઉડતું દેખાતાં એસપીજીએ આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે અધિકારીઓ અને ડ્રોનની શોધખોળ સુરક્ષાબળો દ્વારા કરવામાં આવી રહી છે. પીએમ મોદી દિલ્હી સ્થિત લોકકલ્યાણ માર્ગ પર આવેલા બંગલા નંબર સાતમાં રહે છે. તેમના નિવાસસ્થાનનું નામ પંચવટી છે.  


પોલીસે આ મામલે હાથ ધરી તપાસ 

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે સોમવાર સવારે પીસીઆર કોલ આવ્યો હતો કે દિલ્હીમાં વડાપ્રધાનના નિવસસ્થાન ઉપર ડ્રોન જેવી વસ્તુ ઉડતી દેખાઈ હતી. જો કે મામલે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ તેમને આ મામલે કંઈ મળી આવ્યું નથી. મહત્વનું છે કે નો ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડવાને કારણે પીએમ મોદીની સુરક્ષા પર પણ એક ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.