સુરતનો ડ્રગ્સ પેડલર આફતાબને પહોંચાડતો હતો ડ્રગ્સ


  • Published By :
  • Published Date : 2022-11-28 12:35:00

શ્રદ્ધા મર્ડર કેસમાં દિનપ્રતિદિન નવા વળાંક આવી રહ્યા છે. કેસને સૂલઝાવવા પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે. આફતાબનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે જેમાં અનેક રાઝ ખુલ્યા હતા. શ્રદ્ધા મર્ડર કેસ વચ્ચે પોલીસ આફતાબ સામે ડ્રગ્સ સેવનના આરોપની તપાસમાં લાગી ગઈ છે. અને આ તપાસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. 


ડ્રગ્સનું સેવન કરવાની માહિતી મળતા પોલીસ આ અંગે તપાસ કરી રહી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી 4 ડ્રગ્સ સપ્લાયરને પકડી પાડ્યા હતા. આ ડ્રગ પેડલર સુરતનો હોવાનું સામે આવ્યું હતું. આફતાબને ફૈઝલ મોમીન ડ્રગ્સ પહોંચાડતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરા અને અમરોલીના 4 કરોડના ડ્રગ કેસમાં ફૈઝલ મોમીનની ધરપકડ કરી છે. આજે પણ આફતાબનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવવાનો છે.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.