સુરતનો ડ્રગ્સ પેડલર આફતાબને પહોંચાડતો હતો ડ્રગ્સ


  • Published By :
  • Published Date : 2022-11-28 12:35:00

શ્રદ્ધા મર્ડર કેસમાં દિનપ્રતિદિન નવા વળાંક આવી રહ્યા છે. કેસને સૂલઝાવવા પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે. આફતાબનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે જેમાં અનેક રાઝ ખુલ્યા હતા. શ્રદ્ધા મર્ડર કેસ વચ્ચે પોલીસ આફતાબ સામે ડ્રગ્સ સેવનના આરોપની તપાસમાં લાગી ગઈ છે. અને આ તપાસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. 


ડ્રગ્સનું સેવન કરવાની માહિતી મળતા પોલીસ આ અંગે તપાસ કરી રહી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી 4 ડ્રગ્સ સપ્લાયરને પકડી પાડ્યા હતા. આ ડ્રગ પેડલર સુરતનો હોવાનું સામે આવ્યું હતું. આફતાબને ફૈઝલ મોમીન ડ્રગ્સ પહોંચાડતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરા અને અમરોલીના 4 કરોડના ડ્રગ કેસમાં ફૈઝલ મોમીનની ધરપકડ કરી છે. આજે પણ આફતાબનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવવાનો છે.  




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.