ધીરેન્દ્ર શાસ્ત્રી પર બનવા જઈ રહી છે ફિલ્મ! જાણો કોણ બનાવશે શાસ્ત્રી પર ફિલ્મ અને કયા કલાકારો ફિલ્મમાં કરશે અભિનય?


  • Published By :
  • Published Date : 2023-05-24 13:23:46

દેશમાં હાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ચર્ચાઓ થઈ રહી છે. પોતાના નિવેદનોને કારણે અથવા તો કોઈને કોઈ રીતે બાબા અનેક વખત હેડલાઈન્સમાં રહેતા હોય છે. દેશભરમાં લાખોની સંખ્યામાં તેમના અનુયાયીઓ છે. દેશના અનેક રાજ્યોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાતો હોય છે ત્યારે મળતી માહિતી અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મનું નામ ધી બાગેશ્વર સરકાર હશે અને નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ ફિલ્મ બનવાની છે. મળતી માહિતી  અનુસાર વિનોદ તિવારી આ ફિલ્મ ડાયરેક્ટ કરવાના છે. નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટ દ્વારા આ અંગે ટ્વિટ કરવામાં આવી છે.       


નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ બનશે ફિલ્મ! 

દેશના અનેક રાજ્યોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર યોજાઈ રહ્યા છે. પોતાના નિવેદનનોને કારણે બાબા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. હિન્દુત્વના ચહેરા તરીકે બાબા હાલ ઉભરી રહ્યા છે. ત્યારે દિવસેને દિવસે બાબાની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. દેશભરમાં તેમના અનુયાયીઓ છે કદાચ લાખોની સંખ્યામાં છે. ત્યારે આગામી સમયમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવાની છે. આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ ફિલ્મ બનવાની છે. 


આ કલાકારો ફિલ્મમાં કરી શકે છે અભિનય! 

આ ફિલ્મ વિનોદ તિવારી ડાયરેક્ટ કરવાના છે. તેમણે કહ્યું કે દુનિયાભરમાં બાબાના અનુયાયીઓ છે. તેમના પ્રત્યે લોકોનો પ્રેમ જોતા તેમના (ધીરેન્દ્ર શાસ્ત્રી) પર ફિલ્મ બનાવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મમાં બાબાની જિંદગી, તેમના સંઘર્ષ અને તેમના વ્યક્તિત્વની ઝલક જોવા મળશે. વિનોદ તિવારી આની પહેલા અનેક ફિલ્મો બનાવી ચૂક્યા છે જેણે સારી કમાણી કરી છે. ત્યારે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મમાં મનોજ જોષી, રવિ ભાટિયા, પ્રતીક શુક્લ જેવા કલાકારો અભિનય કરી શકે છે.        



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.