ધીરેન્દ્ર શાસ્ત્રી પર બનવા જઈ રહી છે ફિલ્મ! જાણો કોણ બનાવશે શાસ્ત્રી પર ફિલ્મ અને કયા કલાકારો ફિલ્મમાં કરશે અભિનય?


  • Published By :
  • Published Date : 2023-05-24 13:23:46

દેશમાં હાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ચર્ચાઓ થઈ રહી છે. પોતાના નિવેદનોને કારણે અથવા તો કોઈને કોઈ રીતે બાબા અનેક વખત હેડલાઈન્સમાં રહેતા હોય છે. દેશભરમાં લાખોની સંખ્યામાં તેમના અનુયાયીઓ છે. દેશના અનેક રાજ્યોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાતો હોય છે ત્યારે મળતી માહિતી અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મનું નામ ધી બાગેશ્વર સરકાર હશે અને નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ ફિલ્મ બનવાની છે. મળતી માહિતી  અનુસાર વિનોદ તિવારી આ ફિલ્મ ડાયરેક્ટ કરવાના છે. નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટ દ્વારા આ અંગે ટ્વિટ કરવામાં આવી છે.       


નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ બનશે ફિલ્મ! 

દેશના અનેક રાજ્યોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર યોજાઈ રહ્યા છે. પોતાના નિવેદનનોને કારણે બાબા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. હિન્દુત્વના ચહેરા તરીકે બાબા હાલ ઉભરી રહ્યા છે. ત્યારે દિવસેને દિવસે બાબાની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. દેશભરમાં તેમના અનુયાયીઓ છે કદાચ લાખોની સંખ્યામાં છે. ત્યારે આગામી સમયમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવાની છે. આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ ફિલ્મ બનવાની છે. 


આ કલાકારો ફિલ્મમાં કરી શકે છે અભિનય! 

આ ફિલ્મ વિનોદ તિવારી ડાયરેક્ટ કરવાના છે. તેમણે કહ્યું કે દુનિયાભરમાં બાબાના અનુયાયીઓ છે. તેમના પ્રત્યે લોકોનો પ્રેમ જોતા તેમના (ધીરેન્દ્ર શાસ્ત્રી) પર ફિલ્મ બનાવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મમાં બાબાની જિંદગી, તેમના સંઘર્ષ અને તેમના વ્યક્તિત્વની ઝલક જોવા મળશે. વિનોદ તિવારી આની પહેલા અનેક ફિલ્મો બનાવી ચૂક્યા છે જેણે સારી કમાણી કરી છે. ત્યારે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મમાં મનોજ જોષી, રવિ ભાટિયા, પ્રતીક શુક્લ જેવા કલાકારો અભિનય કરી શકે છે.        



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.