ધીરેન્દ્ર શાસ્ત્રી પર બનવા જઈ રહી છે ફિલ્મ! જાણો કોણ બનાવશે શાસ્ત્રી પર ફિલ્મ અને કયા કલાકારો ફિલ્મમાં કરશે અભિનય?


  • Published By :
  • Published Date : 2023-05-24 13:23:46

દેશમાં હાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ચર્ચાઓ થઈ રહી છે. પોતાના નિવેદનોને કારણે અથવા તો કોઈને કોઈ રીતે બાબા અનેક વખત હેડલાઈન્સમાં રહેતા હોય છે. દેશભરમાં લાખોની સંખ્યામાં તેમના અનુયાયીઓ છે. દેશના અનેક રાજ્યોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાતો હોય છે ત્યારે મળતી માહિતી અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મનું નામ ધી બાગેશ્વર સરકાર હશે અને નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ ફિલ્મ બનવાની છે. મળતી માહિતી  અનુસાર વિનોદ તિવારી આ ફિલ્મ ડાયરેક્ટ કરવાના છે. નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટ દ્વારા આ અંગે ટ્વિટ કરવામાં આવી છે.       


નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ બનશે ફિલ્મ! 

દેશના અનેક રાજ્યોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર યોજાઈ રહ્યા છે. પોતાના નિવેદનનોને કારણે બાબા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. હિન્દુત્વના ચહેરા તરીકે બાબા હાલ ઉભરી રહ્યા છે. ત્યારે દિવસેને દિવસે બાબાની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. દેશભરમાં તેમના અનુયાયીઓ છે કદાચ લાખોની સંખ્યામાં છે. ત્યારે આગામી સમયમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવાની છે. આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ ફિલ્મ બનવાની છે. 


આ કલાકારો ફિલ્મમાં કરી શકે છે અભિનય! 

આ ફિલ્મ વિનોદ તિવારી ડાયરેક્ટ કરવાના છે. તેમણે કહ્યું કે દુનિયાભરમાં બાબાના અનુયાયીઓ છે. તેમના પ્રત્યે લોકોનો પ્રેમ જોતા તેમના (ધીરેન્દ્ર શાસ્ત્રી) પર ફિલ્મ બનાવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મમાં બાબાની જિંદગી, તેમના સંઘર્ષ અને તેમના વ્યક્તિત્વની ઝલક જોવા મળશે. વિનોદ તિવારી આની પહેલા અનેક ફિલ્મો બનાવી ચૂક્યા છે જેણે સારી કમાણી કરી છે. ત્યારે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મમાં મનોજ જોષી, રવિ ભાટિયા, પ્રતીક શુક્લ જેવા કલાકારો અભિનય કરી શકે છે.        



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.