ધીરેન્દ્ર શાસ્ત્રી પર બનવા જઈ રહી છે ફિલ્મ! જાણો કોણ બનાવશે શાસ્ત્રી પર ફિલ્મ અને કયા કલાકારો ફિલ્મમાં કરશે અભિનય?


  • Published By :
  • Published Date : 2023-05-24 13:23:46

દેશમાં હાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ચર્ચાઓ થઈ રહી છે. પોતાના નિવેદનોને કારણે અથવા તો કોઈને કોઈ રીતે બાબા અનેક વખત હેડલાઈન્સમાં રહેતા હોય છે. દેશભરમાં લાખોની સંખ્યામાં તેમના અનુયાયીઓ છે. દેશના અનેક રાજ્યોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાતો હોય છે ત્યારે મળતી માહિતી અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મનું નામ ધી બાગેશ્વર સરકાર હશે અને નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ ફિલ્મ બનવાની છે. મળતી માહિતી  અનુસાર વિનોદ તિવારી આ ફિલ્મ ડાયરેક્ટ કરવાના છે. નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટ દ્વારા આ અંગે ટ્વિટ કરવામાં આવી છે.       


નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ બનશે ફિલ્મ! 

દેશના અનેક રાજ્યોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર યોજાઈ રહ્યા છે. પોતાના નિવેદનનોને કારણે બાબા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. હિન્દુત્વના ચહેરા તરીકે બાબા હાલ ઉભરી રહ્યા છે. ત્યારે દિવસેને દિવસે બાબાની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. દેશભરમાં તેમના અનુયાયીઓ છે કદાચ લાખોની સંખ્યામાં છે. ત્યારે આગામી સમયમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવાની છે. આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ ફિલ્મ બનવાની છે. 


આ કલાકારો ફિલ્મમાં કરી શકે છે અભિનય! 

આ ફિલ્મ વિનોદ તિવારી ડાયરેક્ટ કરવાના છે. તેમણે કહ્યું કે દુનિયાભરમાં બાબાના અનુયાયીઓ છે. તેમના પ્રત્યે લોકોનો પ્રેમ જોતા તેમના (ધીરેન્દ્ર શાસ્ત્રી) પર ફિલ્મ બનાવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મમાં બાબાની જિંદગી, તેમના સંઘર્ષ અને તેમના વ્યક્તિત્વની ઝલક જોવા મળશે. વિનોદ તિવારી આની પહેલા અનેક ફિલ્મો બનાવી ચૂક્યા છે જેણે સારી કમાણી કરી છે. ત્યારે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મમાં મનોજ જોષી, રવિ ભાટિયા, પ્રતીક શુક્લ જેવા કલાકારો અભિનય કરી શકે છે.        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.