ગુરૂવાર રાત્રે દિલ્હીના ચાંદની ચોકમાં આવેલા ભગીરથ પેલેસમાં લાગી આગ


  • Published By :
  • Published Date : 2022-11-25 11:57:08

દિલ્હીના ચાંદની ચોકમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ભગીરથ પેલેસ સ્થિત ઈલેક્ટ્રોનીક અને ઈલેક્ટ્રીકલ માર્કેટમાં ગુરૂવાર રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અંદાજીત 100 કરોડથી વધારેના માલસામાનને નુકસાન પહોંચ્યું છે જ્યારે અનેક દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની ટીમ મહેનત કરી રહી છે પરંતુ મળતી માહિતી મુજબ હજી સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી.

ફાયર બ્રિગેડની ટીમ કરી રહી છે પ્રયાસ

ગુરૂવારની રાત્રે ઈલેક્ટ્રોનિક માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી બધી ફેલાઈ ગઈ કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની અનેક ટીમોએ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી પરંતુ આગે એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક કલાકો પછી પણ આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. આ આગમાં અંદાજીત 30 કે એનાથી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ. એવું માનવામાં આવી રહ્યું છે કે આ આગને કારણે કરોડોનું નુકસાન થયું છે. આ આગ કયા કારણોસર લાગી છે તે જાણ શકાયું નથી. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

ચાંદની ચોકને ખાલી કરી દેવાયું 

આગે એટલું બધું વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કે ચાંદની ચોકને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. આગ પર કાબુ મેળવવા 40 જેટલી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. ઘણી મહેનત બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.