ગુરૂવાર રાત્રે દિલ્હીના ચાંદની ચોકમાં આવેલા ભગીરથ પેલેસમાં લાગી આગ


  • Published By :
  • Published Date : 2022-11-25 11:57:08

દિલ્હીના ચાંદની ચોકમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ભગીરથ પેલેસ સ્થિત ઈલેક્ટ્રોનીક અને ઈલેક્ટ્રીકલ માર્કેટમાં ગુરૂવાર રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અંદાજીત 100 કરોડથી વધારેના માલસામાનને નુકસાન પહોંચ્યું છે જ્યારે અનેક દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની ટીમ મહેનત કરી રહી છે પરંતુ મળતી માહિતી મુજબ હજી સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી.

ફાયર બ્રિગેડની ટીમ કરી રહી છે પ્રયાસ

ગુરૂવારની રાત્રે ઈલેક્ટ્રોનિક માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી બધી ફેલાઈ ગઈ કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની અનેક ટીમોએ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી પરંતુ આગે એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક કલાકો પછી પણ આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. આ આગમાં અંદાજીત 30 કે એનાથી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ. એવું માનવામાં આવી રહ્યું છે કે આ આગને કારણે કરોડોનું નુકસાન થયું છે. આ આગ કયા કારણોસર લાગી છે તે જાણ શકાયું નથી. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

ચાંદની ચોકને ખાલી કરી દેવાયું 

આગે એટલું બધું વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કે ચાંદની ચોકને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. આગ પર કાબુ મેળવવા 40 જેટલી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. ઘણી મહેનત બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી.    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.