ગુરૂવાર રાત્રે દિલ્હીના ચાંદની ચોકમાં આવેલા ભગીરથ પેલેસમાં લાગી આગ


  • Published By :
  • Published Date : 2022-11-25 11:57:08

દિલ્હીના ચાંદની ચોકમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ભગીરથ પેલેસ સ્થિત ઈલેક્ટ્રોનીક અને ઈલેક્ટ્રીકલ માર્કેટમાં ગુરૂવાર રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અંદાજીત 100 કરોડથી વધારેના માલસામાનને નુકસાન પહોંચ્યું છે જ્યારે અનેક દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની ટીમ મહેનત કરી રહી છે પરંતુ મળતી માહિતી મુજબ હજી સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી.

ફાયર બ્રિગેડની ટીમ કરી રહી છે પ્રયાસ

ગુરૂવારની રાત્રે ઈલેક્ટ્રોનિક માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી બધી ફેલાઈ ગઈ કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની અનેક ટીમોએ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી પરંતુ આગે એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક કલાકો પછી પણ આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. આ આગમાં અંદાજીત 30 કે એનાથી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ. એવું માનવામાં આવી રહ્યું છે કે આ આગને કારણે કરોડોનું નુકસાન થયું છે. આ આગ કયા કારણોસર લાગી છે તે જાણ શકાયું નથી. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

ચાંદની ચોકને ખાલી કરી દેવાયું 

આગે એટલું બધું વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કે ચાંદની ચોકને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. આગ પર કાબુ મેળવવા 40 જેટલી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. ઘણી મહેનત બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.