ગુરૂવાર રાત્રે દિલ્હીના ચાંદની ચોકમાં આવેલા ભગીરથ પેલેસમાં લાગી આગ


  • Published By :
  • Published Date : 2022-11-25 11:57:08

દિલ્હીના ચાંદની ચોકમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ભગીરથ પેલેસ સ્થિત ઈલેક્ટ્રોનીક અને ઈલેક્ટ્રીકલ માર્કેટમાં ગુરૂવાર રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અંદાજીત 100 કરોડથી વધારેના માલસામાનને નુકસાન પહોંચ્યું છે જ્યારે અનેક દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની ટીમ મહેનત કરી રહી છે પરંતુ મળતી માહિતી મુજબ હજી સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી.

ફાયર બ્રિગેડની ટીમ કરી રહી છે પ્રયાસ

ગુરૂવારની રાત્રે ઈલેક્ટ્રોનિક માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી બધી ફેલાઈ ગઈ કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની અનેક ટીમોએ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી પરંતુ આગે એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક કલાકો પછી પણ આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. આ આગમાં અંદાજીત 30 કે એનાથી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ. એવું માનવામાં આવી રહ્યું છે કે આ આગને કારણે કરોડોનું નુકસાન થયું છે. આ આગ કયા કારણોસર લાગી છે તે જાણ શકાયું નથી. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

ચાંદની ચોકને ખાલી કરી દેવાયું 

આગે એટલું બધું વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કે ચાંદની ચોકને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. આગ પર કાબુ મેળવવા 40 જેટલી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. ઘણી મહેનત બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે