આંધ્રપ્રદેશમાં આવેલી ફાર્મા કંપનીની લેબમાં લાગી આગ, ચાર શ્રમિકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-27 09:58:43

આંધ્ર પ્રદેશના અનાકાપલ્લીમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગ પરવાડા લૌરસ ફાર્મા કંપનીના લેબમાં ફાટી નીકળી હતી. આગ લાગતા લેબમાં કામ કરતા ચાર શ્રમિકોના મોત નિપજ્યા છે જ્યારે એકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાને કારણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મેન્ટેનન્સ દરમિયાન બની હતી. 


ચાર શ્રમિકોના થયા મોત

આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થતા હોય તો કોઈ ગંભીર રીતે દાઝી જતા હોય છે. આગ લાગવાને કારણે ભારે નુકસાન પણ થતું હોય છે. ત્યારે આગ લાગવાની એક ઘટના આંધ્ર પ્રદેશમાં બની છે. ફાર્મા કંપનીની લેબમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં કંપનીની અંદર કામ કરતા ચાર મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને કારણે સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. 


વળતર ચૂકવવાની કરી મુખ્યમંત્રીએ જાહેરાત  

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના એ વખતે બની જ્યારે મેન્ટેન્સનું કામ ચાલતું હતું, આ ઘટનાને લઈ રાજ્યના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. ઉદ્યોગમંત્રીએ જણાવ્યું કે આ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોને 25 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ આગ કયાં કારણસર લાગી તે અંગે જાણી શકાયું નથી. આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસના આદેશ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.