આંધ્રપ્રદેશમાં આવેલી ફાર્મા કંપનીની લેબમાં લાગી આગ, ચાર શ્રમિકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-27 09:58:43

આંધ્ર પ્રદેશના અનાકાપલ્લીમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગ પરવાડા લૌરસ ફાર્મા કંપનીના લેબમાં ફાટી નીકળી હતી. આગ લાગતા લેબમાં કામ કરતા ચાર શ્રમિકોના મોત નિપજ્યા છે જ્યારે એકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાને કારણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મેન્ટેનન્સ દરમિયાન બની હતી. 


ચાર શ્રમિકોના થયા મોત

આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થતા હોય તો કોઈ ગંભીર રીતે દાઝી જતા હોય છે. આગ લાગવાને કારણે ભારે નુકસાન પણ થતું હોય છે. ત્યારે આગ લાગવાની એક ઘટના આંધ્ર પ્રદેશમાં બની છે. ફાર્મા કંપનીની લેબમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં કંપનીની અંદર કામ કરતા ચાર મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને કારણે સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. 


વળતર ચૂકવવાની કરી મુખ્યમંત્રીએ જાહેરાત  

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના એ વખતે બની જ્યારે મેન્ટેન્સનું કામ ચાલતું હતું, આ ઘટનાને લઈ રાજ્યના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. ઉદ્યોગમંત્રીએ જણાવ્યું કે આ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોને 25 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ આગ કયાં કારણસર લાગી તે અંગે જાણી શકાયું નથી. આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસના આદેશ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.