મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, ફ્લાઈટને કરાઈ ડાયવર્ટ


  • Published By :
  • Published Date : 2023-01-21 11:34:44

મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી. જેને પગલે પ્લેનને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ધમકી મળવાને પગલે ઉજ્બેકિસ્તાન તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. રૂસની રાજધાની મોસ્કોથી 240 યાત્રિકોને લઈને ગોવા આવી રહી હતી.

 

બોમ્બથી ઉડાવી દેવાનો મળ્યો હતો ઈ-મેલ

આ મામલાની જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે અજૂર એર દ્વારા સંચાલિત ફ્લાઈટને સવારે ચાર વાગ્યાની આસપાસ દક્ષિણ ગોવામાં લેન્ડ થવાનું હતું પરંતુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ફ્લાઈટ ગોવામાં લેન્ડ થાય તે પહેલા ડાયવર્ટ કરી દેવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે ડાબોલિમ એર્પોર્ટને 12.30 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેલ મળ્યો હતો. જેને પગલે ફ્લાઈટને ડાઈવર્ટ કરી દેવામાં આવ્યું હતું. આ અગાઉ પણ અનેક ફ્લાઈટોને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.