મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, ફ્લાઈટને કરાઈ ડાયવર્ટ


  • Published By :
  • Published Date : 2023-01-21 11:34:44

મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી. જેને પગલે પ્લેનને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ધમકી મળવાને પગલે ઉજ્બેકિસ્તાન તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. રૂસની રાજધાની મોસ્કોથી 240 યાત્રિકોને લઈને ગોવા આવી રહી હતી.

 

બોમ્બથી ઉડાવી દેવાનો મળ્યો હતો ઈ-મેલ

આ મામલાની જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે અજૂર એર દ્વારા સંચાલિત ફ્લાઈટને સવારે ચાર વાગ્યાની આસપાસ દક્ષિણ ગોવામાં લેન્ડ થવાનું હતું પરંતુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ફ્લાઈટ ગોવામાં લેન્ડ થાય તે પહેલા ડાયવર્ટ કરી દેવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે ડાબોલિમ એર્પોર્ટને 12.30 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેલ મળ્યો હતો. જેને પગલે ફ્લાઈટને ડાઈવર્ટ કરી દેવામાં આવ્યું હતું. આ અગાઉ પણ અનેક ફ્લાઈટોને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .