મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, ફ્લાઈટને કરાઈ ડાયવર્ટ


  • Published By :
  • Published Date : 2023-01-21 11:34:44

મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી. જેને પગલે પ્લેનને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ધમકી મળવાને પગલે ઉજ્બેકિસ્તાન તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. રૂસની રાજધાની મોસ્કોથી 240 યાત્રિકોને લઈને ગોવા આવી રહી હતી.

 

બોમ્બથી ઉડાવી દેવાનો મળ્યો હતો ઈ-મેલ

આ મામલાની જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે અજૂર એર દ્વારા સંચાલિત ફ્લાઈટને સવારે ચાર વાગ્યાની આસપાસ દક્ષિણ ગોવામાં લેન્ડ થવાનું હતું પરંતુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ફ્લાઈટ ગોવામાં લેન્ડ થાય તે પહેલા ડાયવર્ટ કરી દેવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે ડાબોલિમ એર્પોર્ટને 12.30 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેલ મળ્યો હતો. જેને પગલે ફ્લાઈટને ડાઈવર્ટ કરી દેવામાં આવ્યું હતું. આ અગાઉ પણ અનેક ફ્લાઈટોને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે