મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની હતી આશંકા, જામનગરમાં લેન્ડિંગ કરી કરાઈ તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-10 09:49:22

સોમવાર સાંજે જામનગર એરપોર્ટ પર મોસ્કો જવા વાળી ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવી હતી. ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે એરપોર્ટ પર જામનગરના કલેક્ટર, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્કોડ ઉપરાંત એમ્બ્યુલન્સની ટીમ આવી પહોંચી હતી.

 

એનઅસજીની ટીમ જામનગરમાં કરી રહી છે તપાસ 

મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટ રશિયન એરલાઈન AZURની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ જામનગર એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરને સુરક્ષિત સ્થાન પર ખસેડી દેવામાં આવ્યા હતા. બોમ્બની આશંકાને પગલે બોમ્બ સ્કોડની ટીમે ફ્લાઈટની અંદર તપાસ શરૂ કરી હતી. એનએસજીની ટીમો જામનગર ખાતે આવી પહોંચી હતી અને તપાસ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. તમામ પેસેન્જરનો સામાન પણ ચેક કરવામાં આવી રહ્યો છે.

     


ગોવા એરપોર્ટ ઓથોરિટીને બોમ્બનો મળ્યો હતો ઈ-મેલ 

આ માહિતી મળતા જ જામનગર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈમરજન્સી લેન્ડિંગ થતા તંત્રમાં દોડધામ વધી ગઈ હતી. બોમ્બ હોવાની અફવાને પગલે પ્લેનમાં તપાસ કરવામાં આવી રહી છે. એનએસજી સતત છ કલાકથી બોમ્બની શોધખોળ કરી રહી છે. ગોવા ATCને ફ્લાઈટમાં બોમ્બ હોવાનો ઈ-મેલ મળ્યો હતો જે બાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સમાચારને પગલે જામનગરના અધિકારીઓ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. હજી સુધીની માહિતી અનુસાર ફ્લાઈટમાંથી બોમ્બ નથી મળ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર હજી સુધી  કોઈ ગંભીર બાબત સામે નથી આવી, આ  અફવા હોઈ શકે છે તેવું હાલ મનાઈ રહ્યું છે. પરંતુ તંત્ર આ અંગે તપાસ કરી રહી છે.  એવું માનવામાં આવી રહ્યું છે કે સવારે 10 વાગ્યે ફ્લાઈટ ઉડાન ભરી શકે છે.

    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.