મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની હતી આશંકા, જામનગરમાં લેન્ડિંગ કરી કરાઈ તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-10 09:49:22

સોમવાર સાંજે જામનગર એરપોર્ટ પર મોસ્કો જવા વાળી ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવી હતી. ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે એરપોર્ટ પર જામનગરના કલેક્ટર, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્કોડ ઉપરાંત એમ્બ્યુલન્સની ટીમ આવી પહોંચી હતી.

 

એનઅસજીની ટીમ જામનગરમાં કરી રહી છે તપાસ 

મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટ રશિયન એરલાઈન AZURની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ જામનગર એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરને સુરક્ષિત સ્થાન પર ખસેડી દેવામાં આવ્યા હતા. બોમ્બની આશંકાને પગલે બોમ્બ સ્કોડની ટીમે ફ્લાઈટની અંદર તપાસ શરૂ કરી હતી. એનએસજીની ટીમો જામનગર ખાતે આવી પહોંચી હતી અને તપાસ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. તમામ પેસેન્જરનો સામાન પણ ચેક કરવામાં આવી રહ્યો છે.

     


ગોવા એરપોર્ટ ઓથોરિટીને બોમ્બનો મળ્યો હતો ઈ-મેલ 

આ માહિતી મળતા જ જામનગર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈમરજન્સી લેન્ડિંગ થતા તંત્રમાં દોડધામ વધી ગઈ હતી. બોમ્બ હોવાની અફવાને પગલે પ્લેનમાં તપાસ કરવામાં આવી રહી છે. એનએસજી સતત છ કલાકથી બોમ્બની શોધખોળ કરી રહી છે. ગોવા ATCને ફ્લાઈટમાં બોમ્બ હોવાનો ઈ-મેલ મળ્યો હતો જે બાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સમાચારને પગલે જામનગરના અધિકારીઓ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. હજી સુધીની માહિતી અનુસાર ફ્લાઈટમાંથી બોમ્બ નથી મળ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર હજી સુધી  કોઈ ગંભીર બાબત સામે નથી આવી, આ  અફવા હોઈ શકે છે તેવું હાલ મનાઈ રહ્યું છે. પરંતુ તંત્ર આ અંગે તપાસ કરી રહી છે.  એવું માનવામાં આવી રહ્યું છે કે સવારે 10 વાગ્યે ફ્લાઈટ ઉડાન ભરી શકે છે.

    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.