મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની હતી આશંકા, જામનગરમાં લેન્ડિંગ કરી કરાઈ તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-10 09:49:22

સોમવાર સાંજે જામનગર એરપોર્ટ પર મોસ્કો જવા વાળી ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવી હતી. ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે એરપોર્ટ પર જામનગરના કલેક્ટર, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્કોડ ઉપરાંત એમ્બ્યુલન્સની ટીમ આવી પહોંચી હતી.

 

એનઅસજીની ટીમ જામનગરમાં કરી રહી છે તપાસ 

મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટ રશિયન એરલાઈન AZURની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ જામનગર એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરને સુરક્ષિત સ્થાન પર ખસેડી દેવામાં આવ્યા હતા. બોમ્બની આશંકાને પગલે બોમ્બ સ્કોડની ટીમે ફ્લાઈટની અંદર તપાસ શરૂ કરી હતી. એનએસજીની ટીમો જામનગર ખાતે આવી પહોંચી હતી અને તપાસ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. તમામ પેસેન્જરનો સામાન પણ ચેક કરવામાં આવી રહ્યો છે.

     


ગોવા એરપોર્ટ ઓથોરિટીને બોમ્બનો મળ્યો હતો ઈ-મેલ 

આ માહિતી મળતા જ જામનગર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈમરજન્સી લેન્ડિંગ થતા તંત્રમાં દોડધામ વધી ગઈ હતી. બોમ્બ હોવાની અફવાને પગલે પ્લેનમાં તપાસ કરવામાં આવી રહી છે. એનએસજી સતત છ કલાકથી બોમ્બની શોધખોળ કરી રહી છે. ગોવા ATCને ફ્લાઈટમાં બોમ્બ હોવાનો ઈ-મેલ મળ્યો હતો જે બાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સમાચારને પગલે જામનગરના અધિકારીઓ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. હજી સુધીની માહિતી અનુસાર ફ્લાઈટમાંથી બોમ્બ નથી મળ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર હજી સુધી  કોઈ ગંભીર બાબત સામે નથી આવી, આ  અફવા હોઈ શકે છે તેવું હાલ મનાઈ રહ્યું છે. પરંતુ તંત્ર આ અંગે તપાસ કરી રહી છે.  એવું માનવામાં આવી રહ્યું છે કે સવારે 10 વાગ્યે ફ્લાઈટ ઉડાન ભરી શકે છે.

    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.