મધ્યપ્રદેશના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આવ્યા વિવાદમાં, નરેન્દ્ર મોદીને લઈ કરી હતી ટિપ્પણી


  • Published By :
  • Published Date : 2022-12-12 15:00:19

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે જેને કારણે વિવાદ અથવા તો ચર્ચાઓ શરૂ થઈ જાય છે. ત્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા રાજા પટેરિયાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવી પડશે તેવી વાત કરતા સંભળાય છે. આ વીડિયોને લઈ ભાજપ એકદમ આક્રામક રૂપ આ વાતને વખોડી રહ્યા છે.

  

મોદીની હત્યા કરવા તત્પર રહો - રાજા પટેરિયા

રાજા પટેરિયા એક કાર્યક્રમમાં કોર્યકરોને સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી પર ચર્ચા કરી રહ્યા હતા. વાયરલ વીડિયો પ્રમાણે તેઓ કહેતા હતા કે મોદી ઈલેક્શન ખતમ કરી દેશે, મોદી ધર્મ, જાતી, ભાષાના અનુસાર લોકોને વિભાજીત કરી દેશે. આવી બધી વાતો વાયરલ વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. પરંતુ અચાનક તેઓ બોલ્યા કે સંવિધાનને જો બચાવું હશે તો મોદીની હત્યા કરવા તત્પર રહો, હત્યાનો મતલબ હરાવા માટે તત્પર રહો.


ભાજપના નેતાઓએ આપી પ્રતિક્રિયા 

વીડિયો સામે આવતા ભાજપના નેતાઓ પ્રતિક્રિયા આપી છે. આ વાયરલ વીડિયોની પ્રતિક્રિયા આપતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ભારત જોડો યાત્રાનો ઢોંગ કરવા વાળાઓની અસલિયત સામે આવી છે. આ સિવાય અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોને લઈ રાજા પટેરિયાએ સ્પષ્ટતા આપી છે.


હત્યાનો અર્થ એટલે કે ચૂંટણીમાં હરાવું - રાજા પટેરિયા

આ વાયરલ વીડિયોને લઈ વિવાદ વધે તે પહેલા રાજા પટેરિયાએ કહ્યું કે હત્યા કરવાનો અર્થ છે કે ચૂંટણીમાં હરાવો. તેમના કહેવા મુજબ આ વાક્ય અચાનક તેમના દ્વારા કહેવાઈ ગયું છે. વાતોના ફ્લોમાં આ વાત કહેવાઈ ગઈ છે. પરંતુ આ નિવેદનને લઈ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ સોલંકીએ એફઆઈઆર દર્જ કરવાનો આદેશ આપ્યો છે.




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.