મધ્યપ્રદેશના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આવ્યા વિવાદમાં, નરેન્દ્ર મોદીને લઈ કરી હતી ટિપ્પણી


  • Published By :
  • Published Date : 2022-12-12 15:00:19

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે જેને કારણે વિવાદ અથવા તો ચર્ચાઓ શરૂ થઈ જાય છે. ત્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા રાજા પટેરિયાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવી પડશે તેવી વાત કરતા સંભળાય છે. આ વીડિયોને લઈ ભાજપ એકદમ આક્રામક રૂપ આ વાતને વખોડી રહ્યા છે.

  

મોદીની હત્યા કરવા તત્પર રહો - રાજા પટેરિયા

રાજા પટેરિયા એક કાર્યક્રમમાં કોર્યકરોને સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી પર ચર્ચા કરી રહ્યા હતા. વાયરલ વીડિયો પ્રમાણે તેઓ કહેતા હતા કે મોદી ઈલેક્શન ખતમ કરી દેશે, મોદી ધર્મ, જાતી, ભાષાના અનુસાર લોકોને વિભાજીત કરી દેશે. આવી બધી વાતો વાયરલ વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. પરંતુ અચાનક તેઓ બોલ્યા કે સંવિધાનને જો બચાવું હશે તો મોદીની હત્યા કરવા તત્પર રહો, હત્યાનો મતલબ હરાવા માટે તત્પર રહો.


ભાજપના નેતાઓએ આપી પ્રતિક્રિયા 

વીડિયો સામે આવતા ભાજપના નેતાઓ પ્રતિક્રિયા આપી છે. આ વાયરલ વીડિયોની પ્રતિક્રિયા આપતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ભારત જોડો યાત્રાનો ઢોંગ કરવા વાળાઓની અસલિયત સામે આવી છે. આ સિવાય અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોને લઈ રાજા પટેરિયાએ સ્પષ્ટતા આપી છે.


હત્યાનો અર્થ એટલે કે ચૂંટણીમાં હરાવું - રાજા પટેરિયા

આ વાયરલ વીડિયોને લઈ વિવાદ વધે તે પહેલા રાજા પટેરિયાએ કહ્યું કે હત્યા કરવાનો અર્થ છે કે ચૂંટણીમાં હરાવો. તેમના કહેવા મુજબ આ વાક્ય અચાનક તેમના દ્વારા કહેવાઈ ગયું છે. વાતોના ફ્લોમાં આ વાત કહેવાઈ ગઈ છે. પરંતુ આ નિવેદનને લઈ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ સોલંકીએ એફઆઈઆર દર્જ કરવાનો આદેશ આપ્યો છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે