ફાયરિંગની ઘટનામાં ઈટલીના વડાપ્રધાનના મિત્ર સહિત અન્ય લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-12 13:49:35

વિદેશમાં ફાયરિંગની ઘટનામાં વધારો થયો છે. ત્યારે ઈટલીની રાજધાની રોમમાં રવિવાર રાત્રે ફાયરિંગની ઘટના બની છે. એક બંદુકધારી વ્યક્તિએ ગોળીબાર કર્યા હોવાના સમાચાર ન્યુઝ એજન્સી રોયટર્સએ ઈતાલવી મીડિયાના હવાલેથી આ સમાચાર આપ્યા છે. મળતી માહિતી અનુસાર રોમના એક એપાર્ટમેન્ટમાં બ્લોક નિવાસીઓની બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન બંદુક લઈ એક વ્યક્તિ બંદુક લઈને પહોંચી ગયો હતો અને ફાયરિંગ કરવા લાગ્યો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર જેટલા લોકો ઘાયલ થયા છે.


અનેક લોકોના થયા મોત

આ મૃતકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે ઈટલીના પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોનીના એક દોસ્તનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ શેર કરી હતી. અને લખ્યું હતું કે મારા માટેએ હમેશા આવી રીતે ખુશ રહેશે. આ સિવાય અનેક લોકોઆ ગોળીબારને કારણે ઘાયલ થયા છે. પોલીસે આ મામલાને ધ્યાનમાં રાખી 57 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે.



પોલીસે આરોપીને ઝડપી પાડ્યો  

પીએમએ વધુમાં કહ્યું કે જે બંદુકથી આ હુમલો કરવામાં આવ્યો છે એ બંદુકને કબજે લઈ લેવામાં આવી છે. પોલીસે ગોળીબારી કરનાર 57 વર્ષના વ્યક્તિને ડબોચી લીધો છે અને શહરના ફિદીન જેલમાં રાખવામાં આવ્યો છે. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.