ફાયરિંગની ઘટનામાં ઈટલીના વડાપ્રધાનના મિત્ર સહિત અન્ય લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-12 13:49:35

વિદેશમાં ફાયરિંગની ઘટનામાં વધારો થયો છે. ત્યારે ઈટલીની રાજધાની રોમમાં રવિવાર રાત્રે ફાયરિંગની ઘટના બની છે. એક બંદુકધારી વ્યક્તિએ ગોળીબાર કર્યા હોવાના સમાચાર ન્યુઝ એજન્સી રોયટર્સએ ઈતાલવી મીડિયાના હવાલેથી આ સમાચાર આપ્યા છે. મળતી માહિતી અનુસાર રોમના એક એપાર્ટમેન્ટમાં બ્લોક નિવાસીઓની બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન બંદુક લઈ એક વ્યક્તિ બંદુક લઈને પહોંચી ગયો હતો અને ફાયરિંગ કરવા લાગ્યો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર જેટલા લોકો ઘાયલ થયા છે.


અનેક લોકોના થયા મોત

આ મૃતકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે ઈટલીના પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોનીના એક દોસ્તનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ શેર કરી હતી. અને લખ્યું હતું કે મારા માટેએ હમેશા આવી રીતે ખુશ રહેશે. આ સિવાય અનેક લોકોઆ ગોળીબારને કારણે ઘાયલ થયા છે. પોલીસે આ મામલાને ધ્યાનમાં રાખી 57 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે.



પોલીસે આરોપીને ઝડપી પાડ્યો  

પીએમએ વધુમાં કહ્યું કે જે બંદુકથી આ હુમલો કરવામાં આવ્યો છે એ બંદુકને કબજે લઈ લેવામાં આવી છે. પોલીસે ગોળીબારી કરનાર 57 વર્ષના વ્યક્તિને ડબોચી લીધો છે અને શહરના ફિદીન જેલમાં રાખવામાં આવ્યો છે. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .