ફાયરિંગની ઘટનામાં ઈટલીના વડાપ્રધાનના મિત્ર સહિત અન્ય લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-12 13:49:35

વિદેશમાં ફાયરિંગની ઘટનામાં વધારો થયો છે. ત્યારે ઈટલીની રાજધાની રોમમાં રવિવાર રાત્રે ફાયરિંગની ઘટના બની છે. એક બંદુકધારી વ્યક્તિએ ગોળીબાર કર્યા હોવાના સમાચાર ન્યુઝ એજન્સી રોયટર્સએ ઈતાલવી મીડિયાના હવાલેથી આ સમાચાર આપ્યા છે. મળતી માહિતી અનુસાર રોમના એક એપાર્ટમેન્ટમાં બ્લોક નિવાસીઓની બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન બંદુક લઈ એક વ્યક્તિ બંદુક લઈને પહોંચી ગયો હતો અને ફાયરિંગ કરવા લાગ્યો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર જેટલા લોકો ઘાયલ થયા છે.


અનેક લોકોના થયા મોત

આ મૃતકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે ઈટલીના પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોનીના એક દોસ્તનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ શેર કરી હતી. અને લખ્યું હતું કે મારા માટેએ હમેશા આવી રીતે ખુશ રહેશે. આ સિવાય અનેક લોકોઆ ગોળીબારને કારણે ઘાયલ થયા છે. પોલીસે આ મામલાને ધ્યાનમાં રાખી 57 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે.



પોલીસે આરોપીને ઝડપી પાડ્યો  

પીએમએ વધુમાં કહ્યું કે જે બંદુકથી આ હુમલો કરવામાં આવ્યો છે એ બંદુકને કબજે લઈ લેવામાં આવી છે. પોલીસે ગોળીબારી કરનાર 57 વર્ષના વ્યક્તિને ડબોચી લીધો છે અને શહરના ફિદીન જેલમાં રાખવામાં આવ્યો છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.