ચીનના એક રેસ્ટોરન્ટમાં લીક થયો ગેસ સિલિન્ડર! બ્લાસ્ટ થતાં લાગી આગ અને થયા આટલા લોકોના મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-22 11:38:10

ગેસ સિલિન્ડરના લિકેજને કારણે અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. એવા અનેક સમાચારો સામે આવતા હોય છે જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે લોકોના મોત થયા હોય ત્યારે ચાઈનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 31 જેટલા લોકોના મોત થઈ ગયા છે. બુધવાર મોડી રાત્રે એક રેસ્ટોરન્ટમાં ગેસ લિકેજને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. અકસ્માતને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના યિનચુઆન શહેરમાં બની છે. આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટરની ટીમ પણ આવી પહોંચી હતી. આ ઘટનામાં અનેક લોકો  ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 




ગેસ લિકેજને કારણે થયા અનેક લોકોના મોત!

આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક લોકો આગમાં હોમાઈ પણ ગયા છે. ત્યારે ચીનથી એક આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં આગ લગાવાને કારણે અનેક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર રેસ્ટોરન્ટમાં ગેસ લિક થવાને કારણે આ ઘટના બની. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર પહેલા રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો અને તે બાદ આગ લાગી. આગ લાગ્યા બાદ ઝડપથી આગળ વધવા લાગી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ત્યાં આવી પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. આ દુર્ઘટનામાં અંદાજીત 31 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.      


રાષ્ટ્રપતિએ લીધી ઘટનાની નોંધ! 

આ દુર્ઘટના ચીનના યિનચુઆન શહેરમાં બુધવાર મોડી રાત્રે બની હતી. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે ત્યાં અનેક લોકો હાજર હતા કારણ કે ત્યાં ડ્રેગન બોટ ફેસ્ટિવલની તૈયારીઓ ચાલી રહી હતી. તૈયારીઓને લઈ ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. અફરા તફરી પણ સર્જાઈ હતી. આ દુર્ઘટનાની જાણ ચીનના રાષ્ટ્રપતિને થઈ અને આવો અકસ્માત ફરી ના સર્જાય તે માટે જરૂરી પગલા લેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કારણ કે ત્યાં અનેક રેસ્ટોરન્ટ આવેલા છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા.    



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.