ચીનના એક રેસ્ટોરન્ટમાં લીક થયો ગેસ સિલિન્ડર! બ્લાસ્ટ થતાં લાગી આગ અને થયા આટલા લોકોના મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-22 11:38:10

ગેસ સિલિન્ડરના લિકેજને કારણે અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. એવા અનેક સમાચારો સામે આવતા હોય છે જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે લોકોના મોત થયા હોય ત્યારે ચાઈનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 31 જેટલા લોકોના મોત થઈ ગયા છે. બુધવાર મોડી રાત્રે એક રેસ્ટોરન્ટમાં ગેસ લિકેજને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. અકસ્માતને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના યિનચુઆન શહેરમાં બની છે. આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટરની ટીમ પણ આવી પહોંચી હતી. આ ઘટનામાં અનેક લોકો  ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 




ગેસ લિકેજને કારણે થયા અનેક લોકોના મોત!

આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક લોકો આગમાં હોમાઈ પણ ગયા છે. ત્યારે ચીનથી એક આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં આગ લગાવાને કારણે અનેક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર રેસ્ટોરન્ટમાં ગેસ લિક થવાને કારણે આ ઘટના બની. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર પહેલા રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો અને તે બાદ આગ લાગી. આગ લાગ્યા બાદ ઝડપથી આગળ વધવા લાગી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ત્યાં આવી પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. આ દુર્ઘટનામાં અંદાજીત 31 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.      


રાષ્ટ્રપતિએ લીધી ઘટનાની નોંધ! 

આ દુર્ઘટના ચીનના યિનચુઆન શહેરમાં બુધવાર મોડી રાત્રે બની હતી. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે ત્યાં અનેક લોકો હાજર હતા કારણ કે ત્યાં ડ્રેગન બોટ ફેસ્ટિવલની તૈયારીઓ ચાલી રહી હતી. તૈયારીઓને લઈ ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. અફરા તફરી પણ સર્જાઈ હતી. આ દુર્ઘટનાની જાણ ચીનના રાષ્ટ્રપતિને થઈ અને આવો અકસ્માત ફરી ના સર્જાય તે માટે જરૂરી પગલા લેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કારણ કે ત્યાં અનેક રેસ્ટોરન્ટ આવેલા છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.