South Africaના જોહાનિસબર્ગની આ બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, આગમાં આટલી જિંદગી હોમાઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-31 17:17:08

સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાંચ માળની હાઈ રાઈસ બિલ્ડીંગમાં એકાએક આગ લાગતા અનેક જીંદગીઓ જીવતી હોમાઈ છે. એક રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં 73 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બાળકો પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. આ દુર્ઘટના ભારતીય સમય અનુસાપ સવારે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. 


    

બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ 

આગ લાગવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા ટ્રેનના એક કોચમાં અચાનક આગ લાગી હતી જેમાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. આ વખતે બનેલી આગની ઘટના દક્ષિણ આફ્રિકામાં બની  છે. બહુ માળી ઈમારતમાં આગ લાગી હતી જેમાં અનેક લોકોના મોત થયા છે. જોહાનિસબર્ગમાં 5 માળની ઇમારતમાં લાગેલી આગમાં 73 લોકોના મોત થયા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. અલજઝીરાના અહેવાલ મુજબ 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે.  આ ઘટનામાં હજી પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ગુરૂવાર સવારે આગ લાગી હતી. 

આગ લાગ્યા બાદ ઈમારતની બહાર હાજર બચાવકર્મીઓ.

બિલ્ડિંગમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો જે પાછળ ધાબળો ઓઢીને બેઠેલો દેખાય છે.

જે બિલ્ડીંગમાં આગ લાગી ત્યાં રહેતા હતા આ લોકો   

આગ લાગવાની ઘટનાની જાણ થતાં રેસ્ક્યુની કામગીરી તરત શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. લોકોને વિવિધ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે. એવા પણ સમાચારો સામે આવ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરવિહોણા લોકો આ બિલ્ડીંગમાં રહેતા હતા. ત્યાં રહેતા લોકોએ સત્તાવાર રીતે કોઈ કરાર કર્યો ન હતો. કયા કારણોસર બિલ્ડીંગમાં આગ લાગી તે જાણી શકાયું નથી. ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગની ટીમને સફળતા મળી હતી. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .