South Africaના જોહાનિસબર્ગની આ બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, આગમાં આટલી જિંદગી હોમાઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-31 17:17:08

સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાંચ માળની હાઈ રાઈસ બિલ્ડીંગમાં એકાએક આગ લાગતા અનેક જીંદગીઓ જીવતી હોમાઈ છે. એક રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં 73 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બાળકો પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. આ દુર્ઘટના ભારતીય સમય અનુસાપ સવારે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. 


    

બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ 

આગ લાગવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા ટ્રેનના એક કોચમાં અચાનક આગ લાગી હતી જેમાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. આ વખતે બનેલી આગની ઘટના દક્ષિણ આફ્રિકામાં બની  છે. બહુ માળી ઈમારતમાં આગ લાગી હતી જેમાં અનેક લોકોના મોત થયા છે. જોહાનિસબર્ગમાં 5 માળની ઇમારતમાં લાગેલી આગમાં 73 લોકોના મોત થયા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. અલજઝીરાના અહેવાલ મુજબ 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે.  આ ઘટનામાં હજી પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ગુરૂવાર સવારે આગ લાગી હતી. 

આગ લાગ્યા બાદ ઈમારતની બહાર હાજર બચાવકર્મીઓ.

બિલ્ડિંગમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો જે પાછળ ધાબળો ઓઢીને બેઠેલો દેખાય છે.

જે બિલ્ડીંગમાં આગ લાગી ત્યાં રહેતા હતા આ લોકો   

આગ લાગવાની ઘટનાની જાણ થતાં રેસ્ક્યુની કામગીરી તરત શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. લોકોને વિવિધ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે. એવા પણ સમાચારો સામે આવ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરવિહોણા લોકો આ બિલ્ડીંગમાં રહેતા હતા. ત્યાં રહેતા લોકોએ સત્તાવાર રીતે કોઈ કરાર કર્યો ન હતો. કયા કારણોસર બિલ્ડીંગમાં આગ લાગી તે જાણી શકાયું નથી. ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગની ટીમને સફળતા મળી હતી. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.