દિલ્હીમાં સગીરાની થઈ નિર્મમ હત્યા, ચપ્પુના ઘા મારી કરી ઘાયલ બાદમાં પથ્થર મારીને માથું છૂંદી દીધું! આસપાસના લોકો જોતા રહ્યા તમાશો!


  • Published By :
  • Published Date : 2023-05-29 15:56:38

દેશના અનેક રાજ્યોમાંથી છોકરીઓ પર હુમલો થવાની ઘટના સામે આવતી હોય છે. ધોળા દિવસે પણ દીકરીઓ સુરક્ષિત નથી હોતી તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. મહત્વનું છે કે એવા અનેક રાજ્યો છે જ્યાંથી આવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. ત્યારે દિલ્હીમાં એક વ્યક્તિએ 16 વર્ષની દીકરીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારની આ ઘટના છે અને આ સમગ્ર ઘટનાના સીસી ટીવી સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર 20 વર્ષના સાહિલે સાક્ષી નામની દીકરી પર હુમલો કર્યો હતો. ચપ્પુના ઘા માર્યા બાદ પથ્થરથી હુમલો પણ કર્યો હતો.

 

ચપ્પુના ઘા બાદ પથ્થરથી કર્યો હુમલો!

રાજધાની દિલ્હીમાં અનેક વખત મહિલાઓ પર થતાં હુમલાઓ થતાં હોવાની ઘટના સામે આવતી હોય છે. દિલ્હીમાં ફરી એક વખત દીકરી પર હુમલો થયો છે. શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની દીકરી પર જીવલેણ હુમલો થયો છે. રવિવાર સાંજે આ ઘટના બની હતી અને સીસીટીવી સામે આવ્યા હતા. સાહિલ નામના વ્યક્તિએ છોકરી પર ચપ્પાથી 40 વખત ઘા કર્યા હતા. તે બાદ પથ્થરથી પણ છોકરી પર હુમલો કરવામાં આવે છે. 


ત્યાંથી પસાર થતાં લોકોએ બચાવવાની ન કરી કોશિશ!  

આ ઘટના જ્યારે બની રહી હતી ત્યારે તે રસ્તેથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતા. પરંતુ ત્યાંથી પસાર થતાં લોકોએ આ ઘટનાને જાણે નજરઅંદાજ કરી હોય તેવું લાગતું હતું. કોઈએ પણ છોકરીને બચાવવાની કોશિશ ન કરી હતી. છોકરીને બચાવવાનો પ્રયાસ તો ન કર્યો પરંતુ સાહિલને પણ પકડવાનો પ્રયાસ ન કર્યો હતો.  


પોલીસે કરી મૃતક અને હુમલો કરનાર વ્યક્તિની ઓળખ!

આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક વ્યક્તિએ બાળકીની હત્યાની જાણકારી મળી હતી. પોલીસની ટીમને સાક્ષીનો મૃતદેહ રસ્તા પરથી મળ્યો હતો. તે જેજે કોલોનીની રહેવાસી હતી. રવિવારે સાંજના સમયે તે બર્થ ડે પાર્ટીમાં જઈ રહી તે દરમિયાન સાહિલ નામના વ્યક્તિએ તેની ઉપર હુમલો કરી દીધો હતો. સાહિલે અચાનક તેને રોકી અને તેની પર છરીના ઘા વડે હુમલો કર્યો હતો. ઘટનાને અંજામ આપી સાહિલ ફરાર થઈ ગયો હતો. પોલીસે સાહિલની તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે પોલીસે કહ્યું કે આરોપીની ઓળખ થઈ ચૂકી છે અને થોડા સમયમાં જ તેની ધરપકડ કરી લેવામાં આવશે. બંને જણા રિલેશનશીપમાં હતા અને કોઈ કારણોસર બંને વચ્ચે ઝઘડો થયો હતો અને થોડા સમય બાદ યુવતી પર હુમલો કરી દીધો હતો.

 

 


દિલ્હી મહિલા આયોગે આ અંગે આપી પ્રતિક્રિયા!

ઘટના બાદ મૃતક દીકરીના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે પણ આ મામલે તપાસ આરંભી દીધી છે. તો બીજી તરફ આ મામલે દિલ્હી મહિલા આયોગની પણ પ્રતિક્રિયા સામે આવી છે. સ્વાતિ માલીવાલે કહ્યું કે દિલ્હીમાં ગુનેગારોનો હોંસલો બુલંદ છે. પોલીસને નોટિસ પાઠવી છે. મેં મારી આટલા વર્ષોની કારકિર્દીમાં આનાથી વધુ ભયંકર કંઈ જોયું નથી. આ મામલે  મળતી માહિતી અનુસાર સાહિલને પોલીસે પકડી પાડ્યો છે. તે સિવાય ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ આ ઘટના બાદ પ્રતિક્રિયા આપી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.