દિલ્હીમાં સગીરાની થઈ નિર્મમ હત્યા, ચપ્પુના ઘા મારી કરી ઘાયલ બાદમાં પથ્થર મારીને માથું છૂંદી દીધું! આસપાસના લોકો જોતા રહ્યા તમાશો!


  • Published By :
  • Published Date : 2023-05-29 15:56:38

દેશના અનેક રાજ્યોમાંથી છોકરીઓ પર હુમલો થવાની ઘટના સામે આવતી હોય છે. ધોળા દિવસે પણ દીકરીઓ સુરક્ષિત નથી હોતી તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. મહત્વનું છે કે એવા અનેક રાજ્યો છે જ્યાંથી આવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. ત્યારે દિલ્હીમાં એક વ્યક્તિએ 16 વર્ષની દીકરીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારની આ ઘટના છે અને આ સમગ્ર ઘટનાના સીસી ટીવી સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર 20 વર્ષના સાહિલે સાક્ષી નામની દીકરી પર હુમલો કર્યો હતો. ચપ્પુના ઘા માર્યા બાદ પથ્થરથી હુમલો પણ કર્યો હતો.

 

ચપ્પુના ઘા બાદ પથ્થરથી કર્યો હુમલો!

રાજધાની દિલ્હીમાં અનેક વખત મહિલાઓ પર થતાં હુમલાઓ થતાં હોવાની ઘટના સામે આવતી હોય છે. દિલ્હીમાં ફરી એક વખત દીકરી પર હુમલો થયો છે. શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની દીકરી પર જીવલેણ હુમલો થયો છે. રવિવાર સાંજે આ ઘટના બની હતી અને સીસીટીવી સામે આવ્યા હતા. સાહિલ નામના વ્યક્તિએ છોકરી પર ચપ્પાથી 40 વખત ઘા કર્યા હતા. તે બાદ પથ્થરથી પણ છોકરી પર હુમલો કરવામાં આવે છે. 


ત્યાંથી પસાર થતાં લોકોએ બચાવવાની ન કરી કોશિશ!  

આ ઘટના જ્યારે બની રહી હતી ત્યારે તે રસ્તેથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતા. પરંતુ ત્યાંથી પસાર થતાં લોકોએ આ ઘટનાને જાણે નજરઅંદાજ કરી હોય તેવું લાગતું હતું. કોઈએ પણ છોકરીને બચાવવાની કોશિશ ન કરી હતી. છોકરીને બચાવવાનો પ્રયાસ તો ન કર્યો પરંતુ સાહિલને પણ પકડવાનો પ્રયાસ ન કર્યો હતો.  


પોલીસે કરી મૃતક અને હુમલો કરનાર વ્યક્તિની ઓળખ!

આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક વ્યક્તિએ બાળકીની હત્યાની જાણકારી મળી હતી. પોલીસની ટીમને સાક્ષીનો મૃતદેહ રસ્તા પરથી મળ્યો હતો. તે જેજે કોલોનીની રહેવાસી હતી. રવિવારે સાંજના સમયે તે બર્થ ડે પાર્ટીમાં જઈ રહી તે દરમિયાન સાહિલ નામના વ્યક્તિએ તેની ઉપર હુમલો કરી દીધો હતો. સાહિલે અચાનક તેને રોકી અને તેની પર છરીના ઘા વડે હુમલો કર્યો હતો. ઘટનાને અંજામ આપી સાહિલ ફરાર થઈ ગયો હતો. પોલીસે સાહિલની તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે પોલીસે કહ્યું કે આરોપીની ઓળખ થઈ ચૂકી છે અને થોડા સમયમાં જ તેની ધરપકડ કરી લેવામાં આવશે. બંને જણા રિલેશનશીપમાં હતા અને કોઈ કારણોસર બંને વચ્ચે ઝઘડો થયો હતો અને થોડા સમય બાદ યુવતી પર હુમલો કરી દીધો હતો.

 

 


દિલ્હી મહિલા આયોગે આ અંગે આપી પ્રતિક્રિયા!

ઘટના બાદ મૃતક દીકરીના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે પણ આ મામલે તપાસ આરંભી દીધી છે. તો બીજી તરફ આ મામલે દિલ્હી મહિલા આયોગની પણ પ્રતિક્રિયા સામે આવી છે. સ્વાતિ માલીવાલે કહ્યું કે દિલ્હીમાં ગુનેગારોનો હોંસલો બુલંદ છે. પોલીસને નોટિસ પાઠવી છે. મેં મારી આટલા વર્ષોની કારકિર્દીમાં આનાથી વધુ ભયંકર કંઈ જોયું નથી. આ મામલે  મળતી માહિતી અનુસાર સાહિલને પોલીસે પકડી પાડ્યો છે. તે સિવાય ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ આ ઘટના બાદ પ્રતિક્રિયા આપી છે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.