સુશાંતસિંહ રાજપૂત કેસમાં આવ્યો નવો વળાંક! મહારાષ્ટ્રના ડે.સીએમએ કેસ અંગે કહી આ વાત, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-30 15:05:26

14 જૂન 2020નો એ દિવસ હતો.. દેશભરમાં કોરોના મહામારી તેની ચરમસીમા પર હતી. આપણે સૌ લોકડાઉનની કેદમાં હતા...અને આવા માહોલમાં અચાનક એક સમાચાર આવે છે..કે બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ડેડબોડી તેના ફ્લેટમાંથી મળી આવી.. પહેલીવારમાં તો વિશ્વાસ જ ન બેસે એવા આ સમાચાર હતા પરંતુ વારંવાર આ ઘટનાને ટીવી પર જોયા પછી ધીમે ધીમે સુશાંતના ચાહકોમાં એક આઘાતની લાગણી છવાઇ ગઇ હતી..આખું બોલીવુડ શંકાના દાયરામાં આવી ગયું.


સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં દેવેન્દ્ર ફડણવીસે કહી આ વાત

ન્યુઝચેનલોની ભૂમિકાની આકરી ટીકા થઇ.. સુશાંતના મોત સાથે જોડાયેલી તમામ બાબતોએ દેશમાં એવી તો ચકચાર મચાવી કે કોરોના મહામારી પછીના સૌથી મહત્વના સમાચાર સુશાંતને લગતા સમાચારો હતા.. આટલો સમય વીતિ ગયો પણ છેવટે શું પરિણામ? 3 વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો અને હજુ સુધી એ સત્ય બહાર આવી શક્યું નથી કે સુશાંત સાથે આખરે શું થયું.. અને હવે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે એક મહત્વનું નિવેદન આપ્યું છે જેને લઇને સુશાંતના ચાહકોમાં આશા જાગી છે કે કદાચ આવનારા દિવસોમાં સત્ય બહાર આવશે.. 


વર્ષ 2020માં ફ્લેટમાંથી મળી હતી સુશાંતની લાશ 

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ એક ન્યુઝચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા જેમાં તેમને સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.. જેના જવાબમાં તેમણે કહ્યું છે કે આ કેસની તપાસમાં કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે.. આ તમામ પુરાવાની વિશ્વસનીયતા તપાસવામાં આવી રહી છે.. અમને કેટલાક લોકો મળ્યા છે કે જેમની પાસે આ કેસને લગતી ખૂબ મહત્વની વિગતો છે.. સુશાંત સિંહ રાજપૂતનો તેના ફલેટમાંથી વર્ષ 2020માં મૃતદેહ મળી આવ્યો હતો.. 


નક્કર પુરાવા નથી લાગ્યા પોલીસના હાથમાં

અને તે પછી તેના અપમૃત્યુને લગતી અનેક અફવાઓ વહેતી થઇ જેમાં તેની પર્સનલ રિલેશનશીપ અને બોલીવુડમાં તેના પ્રોફેશનલ સંબંધોની તેના જીવનમાં જે પ્રકારની ભૂમિકા હતી તેના આધાર પર અનેક લોકો સામે સુશાંતની હત્યા કરવાના આરોપો લાગ્યા.. અત્યાર સુધી આ તમામ અફવાઓના આધારે તપાસ થતી રહી પરંતુ નક્કર પુરાવા પોલીસને હાથ લાગ્યા નહિ. આ વર્ષે જાન્યુઆરીમાં સુશાંત કેસમાં એક ચોંકાવનારી વાત સામે આવી હતી. સુશાંતના મૃતદેહનું જ્યારે પોસ્ટમોર્ટમ થઇ રહ્યું હતું ત્યારે ઓટોપ્સીની ટીમના એક મેમ્બરે દાવો કર્યો હતો કે તેણે આત્મહત્યા નથી કરી તેની હત્યા કરવામાં આવી છે.. આ કર્મચારીએ કહ્યું કે જ્યારે સુશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો ત્યારે તેની ગરદન અને શરીરના કેટલાક ભાગો પર ઈજાનાં નિશાન હતાં.


 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .