સુશાંતસિંહ રાજપૂત કેસમાં આવ્યો નવો વળાંક! મહારાષ્ટ્રના ડે.સીએમએ કેસ અંગે કહી આ વાત, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-30 15:05:26

14 જૂન 2020નો એ દિવસ હતો.. દેશભરમાં કોરોના મહામારી તેની ચરમસીમા પર હતી. આપણે સૌ લોકડાઉનની કેદમાં હતા...અને આવા માહોલમાં અચાનક એક સમાચાર આવે છે..કે બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ડેડબોડી તેના ફ્લેટમાંથી મળી આવી.. પહેલીવારમાં તો વિશ્વાસ જ ન બેસે એવા આ સમાચાર હતા પરંતુ વારંવાર આ ઘટનાને ટીવી પર જોયા પછી ધીમે ધીમે સુશાંતના ચાહકોમાં એક આઘાતની લાગણી છવાઇ ગઇ હતી..આખું બોલીવુડ શંકાના દાયરામાં આવી ગયું.


સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં દેવેન્દ્ર ફડણવીસે કહી આ વાત

ન્યુઝચેનલોની ભૂમિકાની આકરી ટીકા થઇ.. સુશાંતના મોત સાથે જોડાયેલી તમામ બાબતોએ દેશમાં એવી તો ચકચાર મચાવી કે કોરોના મહામારી પછીના સૌથી મહત્વના સમાચાર સુશાંતને લગતા સમાચારો હતા.. આટલો સમય વીતિ ગયો પણ છેવટે શું પરિણામ? 3 વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો અને હજુ સુધી એ સત્ય બહાર આવી શક્યું નથી કે સુશાંત સાથે આખરે શું થયું.. અને હવે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે એક મહત્વનું નિવેદન આપ્યું છે જેને લઇને સુશાંતના ચાહકોમાં આશા જાગી છે કે કદાચ આવનારા દિવસોમાં સત્ય બહાર આવશે.. 


વર્ષ 2020માં ફ્લેટમાંથી મળી હતી સુશાંતની લાશ 

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ એક ન્યુઝચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા જેમાં તેમને સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.. જેના જવાબમાં તેમણે કહ્યું છે કે આ કેસની તપાસમાં કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે.. આ તમામ પુરાવાની વિશ્વસનીયતા તપાસવામાં આવી રહી છે.. અમને કેટલાક લોકો મળ્યા છે કે જેમની પાસે આ કેસને લગતી ખૂબ મહત્વની વિગતો છે.. સુશાંત સિંહ રાજપૂતનો તેના ફલેટમાંથી વર્ષ 2020માં મૃતદેહ મળી આવ્યો હતો.. 


નક્કર પુરાવા નથી લાગ્યા પોલીસના હાથમાં

અને તે પછી તેના અપમૃત્યુને લગતી અનેક અફવાઓ વહેતી થઇ જેમાં તેની પર્સનલ રિલેશનશીપ અને બોલીવુડમાં તેના પ્રોફેશનલ સંબંધોની તેના જીવનમાં જે પ્રકારની ભૂમિકા હતી તેના આધાર પર અનેક લોકો સામે સુશાંતની હત્યા કરવાના આરોપો લાગ્યા.. અત્યાર સુધી આ તમામ અફવાઓના આધારે તપાસ થતી રહી પરંતુ નક્કર પુરાવા પોલીસને હાથ લાગ્યા નહિ. આ વર્ષે જાન્યુઆરીમાં સુશાંત કેસમાં એક ચોંકાવનારી વાત સામે આવી હતી. સુશાંતના મૃતદેહનું જ્યારે પોસ્ટમોર્ટમ થઇ રહ્યું હતું ત્યારે ઓટોપ્સીની ટીમના એક મેમ્બરે દાવો કર્યો હતો કે તેણે આત્મહત્યા નથી કરી તેની હત્યા કરવામાં આવી છે.. આ કર્મચારીએ કહ્યું કે જ્યારે સુશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો ત્યારે તેની ગરદન અને શરીરના કેટલાક ભાગો પર ઈજાનાં નિશાન હતાં.


 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.