કુસ્તીબાજ Vs બ્રિજભૂષણ કેસમાં નવો વળાંક! નાબાલિક કુસ્તીબાજના પિતાનું નિવેદન‘બ્રિજભૂષણ સિંહ સાથે બદલો લેવા ખોટી ફરિયાદ નોંધાવી’


  • Published By :
  • Published Date : 2023-06-09 10:00:04

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા કુસ્તીબાજોએ યૌન શોષણના આરોપો લગાવ્યા છે. જે મહિલા કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો છે તેમાં નાબાલિક કુસ્તીબાજનો પણ સમાવેશ થાય છે. જેને લઈ POSCO એક્ટ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પહેલા પણ એવી ચર્ચાઓ ચાલતી હતી કે જે મહિલા પહેલવાન નાબાલિક છે તે કહીને POSCO એક્ટ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે તે કુસ્તીબાજ પુખ્ત વયની છે. આ બધા વચ્ચે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ન્યુઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કુસ્તીબાજના પિતાએ કહ્યું કે તેમણે બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીની ખોટી ફરિયાદ નોંધાવી છે. પીડિતાના પિતાએ કહ્યું કે તેમની દીકરી સાથે અન્યાય થયો હતો જેનો બદલો લેવા તેમણે આવું કર્યું હતું.

  

બેઠક બાદ નોકરી પર પરત ફર્યા હતા કુસ્તીબાજ! 

કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ઘણા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. પહેલા દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કરી રહ્યા હતા. પરંતુ સમય જતા તેમણે જંતર મંતર પર ધરણા સમાપ્ત કરી દીધા હતા. તે બાદ આ મામલે ઘણા અપડેટ આવ્યા જેમાં કુસ્તીબાજોને ઘણા લોકો, સંગઠનનું સમર્થન મળ્યું. ગંગામાં પોતાના મેડલને વહાવાની વાત કરી પરંતુ છેલ્લા સમયે નિર્ણયને બદલી દીધો હતો. તે બાદ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બેઠકના થોડા દિવસો બાદ સમાચાર આવ્યા કે કુસ્તીબાજો પોતાની નોકરી પર પરત ફરી રહ્યા છે. અફવા પણ ઉડી કે આંદોલન સમાપ્ત થઈ ગયું. પરંતુ કુસ્તીબાજોએ આ મામલે ખુલાસો કર્યો કે આંદોલન ચાલુ છે. અને જો નોકરી આંદોલનમાં અડચણ રૂપ બનશે તો તે પણ છોડી દેવા તૈયાર છે.


15 જૂન બાદ કુસ્તીબાજો શું કરશે તેની પર સૌ કોઈની નજર?

આ બાદ કેન્દ્ર સરકારે વાતચીત કરવા આમંત્રણ આપ્યું. કુસ્તીબાજો સાથે અનેક કલાકો સુધી અનુરાગ ઠાકુરે બેઠક કરી જે બાદ 15 જૂન સુધી ધરણા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી. આ બધા વચ્ચે ઘણા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે નાબાલિક કુસ્તીબાજે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો તેના પિતા પોતાના નિવેદન પરથી ફરી ગયા છે. નાબાલિક પિતાએ નિવેદન આપ્યું કે તેમણે જાણી જોઈને ખોટો કેસ દાખલ કર્યો. તેમની દીકરી સાથે અન્યાય થયો હતો તેનો બદલો લેવા આ કેસ કર્યો છે તેવું નિવેદન નાબાલિગ કુસ્તીબાજના પિતાએ આપ્યું છે. આ સમાચાર સામે આવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે નાબાલિક કુસ્તીબાજના પિતાના આ નિવેદનથી પહેલવોના પ્રદર્શન પર કોઈ અસર થશે કે નહી? મામલો 15 જૂન સુધી તો શાંત કરવામાં સરકારને સફળતા મળી છે ત્યારે શું આગળ પહેલવાનો પ્રદર્શન ચાલુ રાખશે કે નહીં તે જોવું રહ્યું.           



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.