કુસ્તીબાજ Vs બ્રિજભૂષણ કેસમાં નવો વળાંક! નાબાલિક કુસ્તીબાજના પિતાનું નિવેદન‘બ્રિજભૂષણ સિંહ સાથે બદલો લેવા ખોટી ફરિયાદ નોંધાવી’


  • Published By :
  • Published Date : 2023-06-09 10:00:04

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા કુસ્તીબાજોએ યૌન શોષણના આરોપો લગાવ્યા છે. જે મહિલા કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો છે તેમાં નાબાલિક કુસ્તીબાજનો પણ સમાવેશ થાય છે. જેને લઈ POSCO એક્ટ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પહેલા પણ એવી ચર્ચાઓ ચાલતી હતી કે જે મહિલા પહેલવાન નાબાલિક છે તે કહીને POSCO એક્ટ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે તે કુસ્તીબાજ પુખ્ત વયની છે. આ બધા વચ્ચે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ન્યુઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કુસ્તીબાજના પિતાએ કહ્યું કે તેમણે બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીની ખોટી ફરિયાદ નોંધાવી છે. પીડિતાના પિતાએ કહ્યું કે તેમની દીકરી સાથે અન્યાય થયો હતો જેનો બદલો લેવા તેમણે આવું કર્યું હતું.

  

બેઠક બાદ નોકરી પર પરત ફર્યા હતા કુસ્તીબાજ! 

કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ઘણા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. પહેલા દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કરી રહ્યા હતા. પરંતુ સમય જતા તેમણે જંતર મંતર પર ધરણા સમાપ્ત કરી દીધા હતા. તે બાદ આ મામલે ઘણા અપડેટ આવ્યા જેમાં કુસ્તીબાજોને ઘણા લોકો, સંગઠનનું સમર્થન મળ્યું. ગંગામાં પોતાના મેડલને વહાવાની વાત કરી પરંતુ છેલ્લા સમયે નિર્ણયને બદલી દીધો હતો. તે બાદ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બેઠકના થોડા દિવસો બાદ સમાચાર આવ્યા કે કુસ્તીબાજો પોતાની નોકરી પર પરત ફરી રહ્યા છે. અફવા પણ ઉડી કે આંદોલન સમાપ્ત થઈ ગયું. પરંતુ કુસ્તીબાજોએ આ મામલે ખુલાસો કર્યો કે આંદોલન ચાલુ છે. અને જો નોકરી આંદોલનમાં અડચણ રૂપ બનશે તો તે પણ છોડી દેવા તૈયાર છે.


15 જૂન બાદ કુસ્તીબાજો શું કરશે તેની પર સૌ કોઈની નજર?

આ બાદ કેન્દ્ર સરકારે વાતચીત કરવા આમંત્રણ આપ્યું. કુસ્તીબાજો સાથે અનેક કલાકો સુધી અનુરાગ ઠાકુરે બેઠક કરી જે બાદ 15 જૂન સુધી ધરણા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી. આ બધા વચ્ચે ઘણા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે નાબાલિક કુસ્તીબાજે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો તેના પિતા પોતાના નિવેદન પરથી ફરી ગયા છે. નાબાલિક પિતાએ નિવેદન આપ્યું કે તેમણે જાણી જોઈને ખોટો કેસ દાખલ કર્યો. તેમની દીકરી સાથે અન્યાય થયો હતો તેનો બદલો લેવા આ કેસ કર્યો છે તેવું નિવેદન નાબાલિગ કુસ્તીબાજના પિતાએ આપ્યું છે. આ સમાચાર સામે આવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે નાબાલિક કુસ્તીબાજના પિતાના આ નિવેદનથી પહેલવોના પ્રદર્શન પર કોઈ અસર થશે કે નહી? મામલો 15 જૂન સુધી તો શાંત કરવામાં સરકારને સફળતા મળી છે ત્યારે શું આગળ પહેલવાનો પ્રદર્શન ચાલુ રાખશે કે નહીં તે જોવું રહ્યું.           



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.