PUBG રમતા-રમતા ભારતીય યુવક પર આવી ગયું પાકિસ્તાની મહિલાનું દિલ, પછી જે થયું તે વાંચીને તમે ચોંકી જશો!


  • Published By :
  • Published Date : 2023-07-05 14:04:21

હમણા થોડા સમય પહેલા ગદર એક પ્રેમ કથા પાર્ટ ટુ રીલીઝ થયું જેણે અનેક લોકોને એ સમયમાં મૂકી દીધા જ્યારે રેડિયોમાં ગીત વાગતા હતા કે ઉડજા કાલે કાંવા તેરે મુવિચ ખંડ પાવા... એ ફિલ્મમાં સની દેઓલ પોતાની પત્નીને પામવા પાકિસ્તાન પહોંચી ગયા હતા અને હેન્ડપંપ ઉખાડીને બધાને ડરાવી દીધા હતા. એવો જ કિસ્સો આપણે ત્યાં જોવા મળ્યું છે પણ આમાં મહિલા પાકિસ્તાનની છે અને યુવક આપણો ભારતીય છે. યુવતી યુવકના પ્રેમમાં એટલી ઘેલી થઈ ગઈ હતી કે પાકિસ્તાનથી પોતાના ચારેય છોકરાઓને લઈને ભારત આવી ગઈ. 


પાકિસ્તાની મહિલા ભારતના યુવકના પ્રેમમાં પડી 

તમે પબજી ગેમનું નામ તો સાંભળ્યું જ હશે. 2019માં એવો સમય હતો કે આખું ગામ બસ પબજી જ રમતું હતું. જ્યાં જોઈએ ત્યાં પબજીની ચર્ચાઓ ચાલતી હતી. કોરોનામાં તે પબજી કેટલાય લોકોના ટાઈમ પાસનો સહારો બની. પણ તે જ પબજી રમતા રમતા પાકિસ્તાનના મહિલાને ભારતના યુવક સાથે પ્રેમ થયો અને તે પોતાના પતિને છોડીને ચાર છોકરાઓ સાથે ભારત આવી ગઈ છે. પણ નોયડા પોલીસે હરિયાણાના બલ્લભગઢથી મહિલાની ધરપકડ કરી લીધી છે. અફસોસ પ્રેમ કહાની બનતા પહેલા જ તૂટી ગઈ. 


સચિનના પ્રેમમાં પડેલી યુવતી બાળકો સાથે ભારત આવી પહોંચી 

મહિલાની વાત કરીએ તો તે પાકિસ્તાનના ખૈરપુર સિંધ પ્રાન્તની રહેવાસી છે. તે કરાંચીમાં રહેતી હતી. થયું એવું કે 2020માં લોકડાઉન હતું ત્યારે મહિલાના પતિ સાઉદી અરબમાં કામ કરવા માટે ગયા હતા. એ દરમિયાન મહિલા ફ્રી હતી તો તેણે પબજી રમવાનું શરુ કર્યું અને પબજી રમતા રમતા સચિન નામના ભારતીય વ્યક્તિના સંપર્કમાં આવી. મહિલા મનોમન સચિનના પ્રેમમાં ડૂબી ગઈ હતી તો તેણે ભારત આવવાનો પ્રયાસ શરૂ કર્યો. ઓનલાઈન ખંગોળતા ખબર પડી કે નેપાળ થઈને ભારત આવી શકાશે. સીમા અને સચિન કાઠમાંડુ પહોંચ્યા અને ત્યાં સાત દિવસ સાથે રહ્યા.. સીમાને સચીન પસંદ આવી ગયો હતો, આ દરમિયાન સીમા મન બનાવી ચૂકી હતી કે સચીન સાથે ભારતમાં શિફ્ટ થઈ જવું છે. આવું વિચારી તે પોતાના ચારેય બાળકોને લઈને નેપાળનો વિઝા લઈને કાઠમાંડુ પહોંચી ગઈ.. 


અનેક દિવસો સુધી પતિ પત્ની તરીકે જોડે રહ્યા

નેપાળથી બસ પકડીને તે દિલ્લી પહોંચી. દિલ્લીથી યમુના એક્સપ્રેસ પકડી અને રબુપુરાના ફલૈદા કટ ગામે પહોંચી, જ્યાં સીમા અને સચીન આંબેડકર નગરમાં રહેવા લાગ્યા હતા. છેલ્લા પચાસેક દિવસથી સીમા અને સચીન પતિ પત્ની બનીને રહેતા હતા. લોકોને અનેકવાર શક થયો કે કંઈક તો ગરબડ છે, કારણ કે સીમાની ભાષા એકદમ અલગ હતી. એકવાર તો પાડોશીએ સચીનને પૂછી લીધું કે ભાભી ક્યાંના છે તો સચીન ગભરાઈ ગયો અને કહ્યું જમ્મુ કાશ્મીરથી લાવ્યો છું, હમણા જ લગ્ન કર્યા છે. લોકોને આમ તો શક ઘણીવાર થયો પણ કોઈ સબૂત વગર તો પોલીસને કેમ કહી દે..


બકરી ઈદના દિવસે ખુલ્યો રાઝ

રાઝ આખરે બકરી ઈદના દિવસે ખુલો પડ્યો. બકરી ઈદના દિવસે થયું એમ કે ઘર એકદમ સજી ગયું હતું. ચારેય છોકરાઓએ નવા નવા કપડા પહેર્યા હતા.. લોકોને થયું કંઈક તો ગરબડ છે. કારણ કે સચિન હિન્દુ છે તો બકરી ઈદના દિવસે ઘરમાં રોનક કેમ છે. લોકોએ પોલીસને જાણ કરી દીધી કે સાહેબ કંઈક તો લોચો છે. પણ ખબર નહીં સચિનને આ વાતની ખબર પડી ગઈ કે પોલીસ આવી રહી છે તો તે સીમા અને ચારેય છોકરાને લઈને ભાગી ગયો. પણ પોલીસે સચીન, સચીનના પપ્પા, સીમા અને તેમના ચારેય છોકરાને પકડી લીધા છે..


પોલીસે શરૂ કરી તપાસ 

પોલીસ હવે સીમાની તપાસ કરી રહી છે..  કહેવામાં આવી રહ્યું છે કે સીમાનો ભાઈ આર્મીમાં છે. સીમા પાસેથી 2 વીડિયો કેસેટ, ચાર મોબાઈલ, 1 સીમ, એક તૂટેલો મોબાઈલ, 3 આધારકાર્ડ, 6 પાસપોર્ટ અને 5 વેક્સીન કાર્ડ મળ્યા છે. આ બધી વસ્તુ પોલીસે લઈ લીધા છે. તમામ દસ્તાવેજની વહીવટી તપાસ કરવામાં આવશે અને ફોરેન્સીક તપાસ પણ કરવામાં આવશે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.