PUBG રમતા-રમતા ભારતીય યુવક પર આવી ગયું પાકિસ્તાની મહિલાનું દિલ, પછી જે થયું તે વાંચીને તમે ચોંકી જશો!


  • Published By :
  • Published Date : 2023-07-05 14:04:21

હમણા થોડા સમય પહેલા ગદર એક પ્રેમ કથા પાર્ટ ટુ રીલીઝ થયું જેણે અનેક લોકોને એ સમયમાં મૂકી દીધા જ્યારે રેડિયોમાં ગીત વાગતા હતા કે ઉડજા કાલે કાંવા તેરે મુવિચ ખંડ પાવા... એ ફિલ્મમાં સની દેઓલ પોતાની પત્નીને પામવા પાકિસ્તાન પહોંચી ગયા હતા અને હેન્ડપંપ ઉખાડીને બધાને ડરાવી દીધા હતા. એવો જ કિસ્સો આપણે ત્યાં જોવા મળ્યું છે પણ આમાં મહિલા પાકિસ્તાનની છે અને યુવક આપણો ભારતીય છે. યુવતી યુવકના પ્રેમમાં એટલી ઘેલી થઈ ગઈ હતી કે પાકિસ્તાનથી પોતાના ચારેય છોકરાઓને લઈને ભારત આવી ગઈ. 


પાકિસ્તાની મહિલા ભારતના યુવકના પ્રેમમાં પડી 

તમે પબજી ગેમનું નામ તો સાંભળ્યું જ હશે. 2019માં એવો સમય હતો કે આખું ગામ બસ પબજી જ રમતું હતું. જ્યાં જોઈએ ત્યાં પબજીની ચર્ચાઓ ચાલતી હતી. કોરોનામાં તે પબજી કેટલાય લોકોના ટાઈમ પાસનો સહારો બની. પણ તે જ પબજી રમતા રમતા પાકિસ્તાનના મહિલાને ભારતના યુવક સાથે પ્રેમ થયો અને તે પોતાના પતિને છોડીને ચાર છોકરાઓ સાથે ભારત આવી ગઈ છે. પણ નોયડા પોલીસે હરિયાણાના બલ્લભગઢથી મહિલાની ધરપકડ કરી લીધી છે. અફસોસ પ્રેમ કહાની બનતા પહેલા જ તૂટી ગઈ. 


સચિનના પ્રેમમાં પડેલી યુવતી બાળકો સાથે ભારત આવી પહોંચી 

મહિલાની વાત કરીએ તો તે પાકિસ્તાનના ખૈરપુર સિંધ પ્રાન્તની રહેવાસી છે. તે કરાંચીમાં રહેતી હતી. થયું એવું કે 2020માં લોકડાઉન હતું ત્યારે મહિલાના પતિ સાઉદી અરબમાં કામ કરવા માટે ગયા હતા. એ દરમિયાન મહિલા ફ્રી હતી તો તેણે પબજી રમવાનું શરુ કર્યું અને પબજી રમતા રમતા સચિન નામના ભારતીય વ્યક્તિના સંપર્કમાં આવી. મહિલા મનોમન સચિનના પ્રેમમાં ડૂબી ગઈ હતી તો તેણે ભારત આવવાનો પ્રયાસ શરૂ કર્યો. ઓનલાઈન ખંગોળતા ખબર પડી કે નેપાળ થઈને ભારત આવી શકાશે. સીમા અને સચિન કાઠમાંડુ પહોંચ્યા અને ત્યાં સાત દિવસ સાથે રહ્યા.. સીમાને સચીન પસંદ આવી ગયો હતો, આ દરમિયાન સીમા મન બનાવી ચૂકી હતી કે સચીન સાથે ભારતમાં શિફ્ટ થઈ જવું છે. આવું વિચારી તે પોતાના ચારેય બાળકોને લઈને નેપાળનો વિઝા લઈને કાઠમાંડુ પહોંચી ગઈ.. 


અનેક દિવસો સુધી પતિ પત્ની તરીકે જોડે રહ્યા

નેપાળથી બસ પકડીને તે દિલ્લી પહોંચી. દિલ્લીથી યમુના એક્સપ્રેસ પકડી અને રબુપુરાના ફલૈદા કટ ગામે પહોંચી, જ્યાં સીમા અને સચીન આંબેડકર નગરમાં રહેવા લાગ્યા હતા. છેલ્લા પચાસેક દિવસથી સીમા અને સચીન પતિ પત્ની બનીને રહેતા હતા. લોકોને અનેકવાર શક થયો કે કંઈક તો ગરબડ છે, કારણ કે સીમાની ભાષા એકદમ અલગ હતી. એકવાર તો પાડોશીએ સચીનને પૂછી લીધું કે ભાભી ક્યાંના છે તો સચીન ગભરાઈ ગયો અને કહ્યું જમ્મુ કાશ્મીરથી લાવ્યો છું, હમણા જ લગ્ન કર્યા છે. લોકોને આમ તો શક ઘણીવાર થયો પણ કોઈ સબૂત વગર તો પોલીસને કેમ કહી દે..


બકરી ઈદના દિવસે ખુલ્યો રાઝ

રાઝ આખરે બકરી ઈદના દિવસે ખુલો પડ્યો. બકરી ઈદના દિવસે થયું એમ કે ઘર એકદમ સજી ગયું હતું. ચારેય છોકરાઓએ નવા નવા કપડા પહેર્યા હતા.. લોકોને થયું કંઈક તો ગરબડ છે. કારણ કે સચિન હિન્દુ છે તો બકરી ઈદના દિવસે ઘરમાં રોનક કેમ છે. લોકોએ પોલીસને જાણ કરી દીધી કે સાહેબ કંઈક તો લોચો છે. પણ ખબર નહીં સચિનને આ વાતની ખબર પડી ગઈ કે પોલીસ આવી રહી છે તો તે સીમા અને ચારેય છોકરાને લઈને ભાગી ગયો. પણ પોલીસે સચીન, સચીનના પપ્પા, સીમા અને તેમના ચારેય છોકરાને પકડી લીધા છે..


પોલીસે શરૂ કરી તપાસ 

પોલીસ હવે સીમાની તપાસ કરી રહી છે..  કહેવામાં આવી રહ્યું છે કે સીમાનો ભાઈ આર્મીમાં છે. સીમા પાસેથી 2 વીડિયો કેસેટ, ચાર મોબાઈલ, 1 સીમ, એક તૂટેલો મોબાઈલ, 3 આધારકાર્ડ, 6 પાસપોર્ટ અને 5 વેક્સીન કાર્ડ મળ્યા છે. આ બધી વસ્તુ પોલીસે લઈ લીધા છે. તમામ દસ્તાવેજની વહીવટી તપાસ કરવામાં આવશે અને ફોરેન્સીક તપાસ પણ કરવામાં આવશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.