વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની થઈ ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-27 10:30:27

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈ-મેઈલ દ્વારા મારી નાખવાની ધમકી મળી હતી. જેને લઈ આ ઈ-મેઈલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી હતી. જેને લઈ શનિવાર રાત્રે પોલીસે એન્જિનિયરિંગ ડ્રોપઆઉટ અમન સક્સેનાની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસની ટીમ આ તમામને શોધી રહી હતી અને અંતે પૂછપરછ બાદ આ યુવકની ધરપકડ કરવામાં આવી છે.

PM Modi ने आज खींच दी बड़ी लकीर, कहा- 2047 तक विकसित देश बन जाएगा भारत! -  India is targeting to become a developed nation by 2047 says PM Narendra  Modi tutc - AajTak

ગુજરાત એટીએસની ટીમે શનિવાર રાત્રે બદાયું જિલ્લામાં તપાસ કરી અને આદર્શ નગર મહોલ્લામાં રહેતા વ્યક્તિની ધરપકડ કરી લીધી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિએ જ પ્રધાનમંત્રી કાર્યાલયમાં વડાપ્રધાન મોદીને મારી નાખવાનો ઈમેલ મોકલ્યો હતો. આ ષડયંત્રમાં  ત્રણ વ્યક્તિઓ હતા જેમાં ગુજરાતની એક મહિલા અને દિલ્હીના એક પૂરુષનો સમાવેશ થાય છે. અમન સક્સેનાની ધરપકડ બાદ પોલીસ આ અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.