વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની થઈ ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-27 10:30:27

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈ-મેઈલ દ્વારા મારી નાખવાની ધમકી મળી હતી. જેને લઈ આ ઈ-મેઈલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી હતી. જેને લઈ શનિવાર રાત્રે પોલીસે એન્જિનિયરિંગ ડ્રોપઆઉટ અમન સક્સેનાની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસની ટીમ આ તમામને શોધી રહી હતી અને અંતે પૂછપરછ બાદ આ યુવકની ધરપકડ કરવામાં આવી છે.

PM Modi ने आज खींच दी बड़ी लकीर, कहा- 2047 तक विकसित देश बन जाएगा भारत! -  India is targeting to become a developed nation by 2047 says PM Narendra  Modi tutc - AajTak

ગુજરાત એટીએસની ટીમે શનિવાર રાત્રે બદાયું જિલ્લામાં તપાસ કરી અને આદર્શ નગર મહોલ્લામાં રહેતા વ્યક્તિની ધરપકડ કરી લીધી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિએ જ પ્રધાનમંત્રી કાર્યાલયમાં વડાપ્રધાન મોદીને મારી નાખવાનો ઈમેલ મોકલ્યો હતો. આ ષડયંત્રમાં  ત્રણ વ્યક્તિઓ હતા જેમાં ગુજરાતની એક મહિલા અને દિલ્હીના એક પૂરુષનો સમાવેશ થાય છે. અમન સક્સેનાની ધરપકડ બાદ પોલીસ આ અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.   




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.