વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની થઈ ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-27 10:30:27

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈ-મેઈલ દ્વારા મારી નાખવાની ધમકી મળી હતી. જેને લઈ આ ઈ-મેઈલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી હતી. જેને લઈ શનિવાર રાત્રે પોલીસે એન્જિનિયરિંગ ડ્રોપઆઉટ અમન સક્સેનાની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસની ટીમ આ તમામને શોધી રહી હતી અને અંતે પૂછપરછ બાદ આ યુવકની ધરપકડ કરવામાં આવી છે.

PM Modi ने आज खींच दी बड़ी लकीर, कहा- 2047 तक विकसित देश बन जाएगा भारत! -  India is targeting to become a developed nation by 2047 says PM Narendra  Modi tutc - AajTak

ગુજરાત એટીએસની ટીમે શનિવાર રાત્રે બદાયું જિલ્લામાં તપાસ કરી અને આદર્શ નગર મહોલ્લામાં રહેતા વ્યક્તિની ધરપકડ કરી લીધી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિએ જ પ્રધાનમંત્રી કાર્યાલયમાં વડાપ્રધાન મોદીને મારી નાખવાનો ઈમેલ મોકલ્યો હતો. આ ષડયંત્રમાં  ત્રણ વ્યક્તિઓ હતા જેમાં ગુજરાતની એક મહિલા અને દિલ્હીના એક પૂરુષનો સમાવેશ થાય છે. અમન સક્સેનાની ધરપકડ બાદ પોલીસ આ અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.   




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.