લુણાવાડાની સરકારી પ્રાથમિક શાળામાં માતૃપિતૃ દિવસે આસારામનો ફોટો મૂકી કરાઈ પૂજા, ઉજવણીના ફોટા સામે આવતા સર્જાયો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-18 08:48:49

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી જામાંપગીના મુવાડા સરકારી પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. અનેક ફોટા તેમજ વીડિયો  સામે આવ્યા છે જેમાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની આરતી કરવામાં આવી રહી છે. 14 ફેબ્રુઆરીએ અનેક શાળાઓમાં માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે આ શાળામાં આ દિવસની ઉજવણી કરાઈ હતી પરંતુ આ કાર્યક્રમ દરમિયાન આસારામનો ફોટો મૂકવામાં આવ્યો હતો. ફૂલ હાર ચઢાવી તેની આરતી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ફોટો અને વીડિયો સામે આવતા વિવાદ સર્જાયો છે. બળાત્કારની સજા ભોગવતા આસારામની શાળામાં પૂજા કરવી કેટલી યોગ્યએ સવાલ હાલ ઉદભવી રહ્યો છે.


ખુરશી પર ફોટો મૂકી કરાઈ રહી હતી આસારામની આરતી   

14 ફેબ્રુઆરીએ અનેક લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે. તો અનેક સ્થળો પર માતા પિતાની પૂજા કરવામાં આવે છે. એ દિવસને માતૃ પિતૃ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક શાળામાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહિસાગરના લુણાવાડાની એક પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. શાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતા પિતાની પૂજા તો કરવામાં આવી પરંતુ બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પણ પૂજા કરવામાં આવી હતી. અનેક ફોટા તેમજ વીડિયો સામે આવ્યા છે જેમાં આસારામની તસવીર રાખીને તેમની આરતી કરવામાં આવી રહી છે. 


બેનરમાં પણ કરાયો હતો આસારામનો ઉલ્લેખ 

આ કાર્યક્રમ માટે બેનર પણ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું તે પૂજ્ય સંતશ્રી આસારામ બાપુ પ્રેરિત માતૃ પિતૃ પૂજન દિવસે આવો ઉજવીએ સાચો પ્રેમ દિવસ. ઉજવણીના ફોટા અને વિડીયો સામે આવ્યા છે જે બાદ વિવાદ છેડાયો છે. વીડિયોમાં લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ બિપિન પટેલ પણ હાજર હતા. 




સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવી કેટલી યોગ્ય?

વિદ્યાર્થીઓ ઉપરાંત ત્યાં હાજર લોકોએ આસારામની આરતી ઉતારી હતી. આસારામનો ફોટો મૂકાતા તેમજ તેમની આરતી ઉતારવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. માતૃ પિતૃ દિવસની ઉજવણી દરમિયાન આસારામનો ફોટો મૂકી પૂજા કરવામાં આવતા હોવાની આ ઘટના બીજી છે. આ પહેલા કડાણા તાલુકાની રાણકપુરની સરકારી પ્રાથમિક શાળાથી પણ આ પ્રકારની તસવીરો સામે આવી હતી. જેમાં આસારામની આરતી ઉતારવામાં આવી રહી હતી. ત્યારે મહિસાગરની આ બીજી શાળા છે જ્યાં આસારામની આરતી ઉતારવામાં આવી રહી છે. ત્યારે પ્રશ્નએ થાય કે શા માટે સરકારી શાળામાં આ દોષીયોની પૂજા કરવામાં આવી રહી છે. બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની આરતી ઉતારવી એ પણ સરકારી શાળાના પ્રાંગણમાં કેટલા અંશે યોગ્ય છે તેવા અનેક સવાલ ઉદભવી રહ્યા છે.    



 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.