લુણાવાડાની સરકારી પ્રાથમિક શાળામાં માતૃપિતૃ દિવસે આસારામનો ફોટો મૂકી કરાઈ પૂજા, ઉજવણીના ફોટા સામે આવતા સર્જાયો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-18 08:48:49

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી જામાંપગીના મુવાડા સરકારી પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. અનેક ફોટા તેમજ વીડિયો  સામે આવ્યા છે જેમાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની આરતી કરવામાં આવી રહી છે. 14 ફેબ્રુઆરીએ અનેક શાળાઓમાં માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે આ શાળામાં આ દિવસની ઉજવણી કરાઈ હતી પરંતુ આ કાર્યક્રમ દરમિયાન આસારામનો ફોટો મૂકવામાં આવ્યો હતો. ફૂલ હાર ચઢાવી તેની આરતી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ફોટો અને વીડિયો સામે આવતા વિવાદ સર્જાયો છે. બળાત્કારની સજા ભોગવતા આસારામની શાળામાં પૂજા કરવી કેટલી યોગ્યએ સવાલ હાલ ઉદભવી રહ્યો છે.


ખુરશી પર ફોટો મૂકી કરાઈ રહી હતી આસારામની આરતી   

14 ફેબ્રુઆરીએ અનેક લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે. તો અનેક સ્થળો પર માતા પિતાની પૂજા કરવામાં આવે છે. એ દિવસને માતૃ પિતૃ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક શાળામાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહિસાગરના લુણાવાડાની એક પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. શાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતા પિતાની પૂજા તો કરવામાં આવી પરંતુ બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પણ પૂજા કરવામાં આવી હતી. અનેક ફોટા તેમજ વીડિયો સામે આવ્યા છે જેમાં આસારામની તસવીર રાખીને તેમની આરતી કરવામાં આવી રહી છે. 


બેનરમાં પણ કરાયો હતો આસારામનો ઉલ્લેખ 

આ કાર્યક્રમ માટે બેનર પણ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું તે પૂજ્ય સંતશ્રી આસારામ બાપુ પ્રેરિત માતૃ પિતૃ પૂજન દિવસે આવો ઉજવીએ સાચો પ્રેમ દિવસ. ઉજવણીના ફોટા અને વિડીયો સામે આવ્યા છે જે બાદ વિવાદ છેડાયો છે. વીડિયોમાં લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ બિપિન પટેલ પણ હાજર હતા. 




સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવી કેટલી યોગ્ય?

વિદ્યાર્થીઓ ઉપરાંત ત્યાં હાજર લોકોએ આસારામની આરતી ઉતારી હતી. આસારામનો ફોટો મૂકાતા તેમજ તેમની આરતી ઉતારવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. માતૃ પિતૃ દિવસની ઉજવણી દરમિયાન આસારામનો ફોટો મૂકી પૂજા કરવામાં આવતા હોવાની આ ઘટના બીજી છે. આ પહેલા કડાણા તાલુકાની રાણકપુરની સરકારી પ્રાથમિક શાળાથી પણ આ પ્રકારની તસવીરો સામે આવી હતી. જેમાં આસારામની આરતી ઉતારવામાં આવી રહી હતી. ત્યારે મહિસાગરની આ બીજી શાળા છે જ્યાં આસારામની આરતી ઉતારવામાં આવી રહી છે. ત્યારે પ્રશ્નએ થાય કે શા માટે સરકારી શાળામાં આ દોષીયોની પૂજા કરવામાં આવી રહી છે. બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની આરતી ઉતારવી એ પણ સરકારી શાળાના પ્રાંગણમાં કેટલા અંશે યોગ્ય છે તેવા અનેક સવાલ ઉદભવી રહ્યા છે.    



 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.