લુણાવાડાની સરકારી પ્રાથમિક શાળામાં માતૃપિતૃ દિવસે આસારામનો ફોટો મૂકી કરાઈ પૂજા, ઉજવણીના ફોટા સામે આવતા સર્જાયો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-18 08:48:49

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી જામાંપગીના મુવાડા સરકારી પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. અનેક ફોટા તેમજ વીડિયો  સામે આવ્યા છે જેમાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની આરતી કરવામાં આવી રહી છે. 14 ફેબ્રુઆરીએ અનેક શાળાઓમાં માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે આ શાળામાં આ દિવસની ઉજવણી કરાઈ હતી પરંતુ આ કાર્યક્રમ દરમિયાન આસારામનો ફોટો મૂકવામાં આવ્યો હતો. ફૂલ હાર ચઢાવી તેની આરતી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ફોટો અને વીડિયો સામે આવતા વિવાદ સર્જાયો છે. બળાત્કારની સજા ભોગવતા આસારામની શાળામાં પૂજા કરવી કેટલી યોગ્યએ સવાલ હાલ ઉદભવી રહ્યો છે.


ખુરશી પર ફોટો મૂકી કરાઈ રહી હતી આસારામની આરતી   

14 ફેબ્રુઆરીએ અનેક લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે. તો અનેક સ્થળો પર માતા પિતાની પૂજા કરવામાં આવે છે. એ દિવસને માતૃ પિતૃ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક શાળામાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહિસાગરના લુણાવાડાની એક પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. શાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતા પિતાની પૂજા તો કરવામાં આવી પરંતુ બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પણ પૂજા કરવામાં આવી હતી. અનેક ફોટા તેમજ વીડિયો સામે આવ્યા છે જેમાં આસારામની તસવીર રાખીને તેમની આરતી કરવામાં આવી રહી છે. 


બેનરમાં પણ કરાયો હતો આસારામનો ઉલ્લેખ 

આ કાર્યક્રમ માટે બેનર પણ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું તે પૂજ્ય સંતશ્રી આસારામ બાપુ પ્રેરિત માતૃ પિતૃ પૂજન દિવસે આવો ઉજવીએ સાચો પ્રેમ દિવસ. ઉજવણીના ફોટા અને વિડીયો સામે આવ્યા છે જે બાદ વિવાદ છેડાયો છે. વીડિયોમાં લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ બિપિન પટેલ પણ હાજર હતા. 




સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવી કેટલી યોગ્ય?

વિદ્યાર્થીઓ ઉપરાંત ત્યાં હાજર લોકોએ આસારામની આરતી ઉતારી હતી. આસારામનો ફોટો મૂકાતા તેમજ તેમની આરતી ઉતારવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. માતૃ પિતૃ દિવસની ઉજવણી દરમિયાન આસારામનો ફોટો મૂકી પૂજા કરવામાં આવતા હોવાની આ ઘટના બીજી છે. આ પહેલા કડાણા તાલુકાની રાણકપુરની સરકારી પ્રાથમિક શાળાથી પણ આ પ્રકારની તસવીરો સામે આવી હતી. જેમાં આસારામની આરતી ઉતારવામાં આવી રહી હતી. ત્યારે મહિસાગરની આ બીજી શાળા છે જ્યાં આસારામની આરતી ઉતારવામાં આવી રહી છે. ત્યારે પ્રશ્નએ થાય કે શા માટે સરકારી શાળામાં આ દોષીયોની પૂજા કરવામાં આવી રહી છે. બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની આરતી ઉતારવી એ પણ સરકારી શાળાના પ્રાંગણમાં કેટલા અંશે યોગ્ય છે તેવા અનેક સવાલ ઉદભવી રહ્યા છે.    



 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.