ઓડિશામાં સર્જાયો ગંભીર અકસ્માત, બે બસોની ટક્કર થતાં સર્જાઈ દુર્ઘટના અને આટલા લોકો બન્યા કાળનો કોળિયો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-26 09:53:39

અકસ્માતને કારણે અનેક લોકો કાળનો કોળિયો બનતા હોય છે. એકની ભૂલ બીજા માટે પ્રાણઘાતક સાબિત થતું અનેક કિસ્સાઓમાં જોવા મળે છે. કોઈ વખત ઝડપને કારણે એક્સિડન્ટ સર્જાય છે તો કોઈ વખત બે ગાડીઓ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાય છે. ત્યારે આવો જ એક ગંભીર અકસ્માત ઓડિશાના ગંજમ જિલ્લામાં સર્જાયો છે. મોડી રાત્રે બે બસો સામ સામે આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 જેટલા લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  દુર્ઘટના સમાચાર મળતા ઓડિશાના મુખ્યમંત્રીએ મૃતકોને સહાય આપવાની જાહેરાત કરી છે.


ઘટનામાં થયા 10 જેટલા લોકોના મોત 

થોડા સમય પહેલા ઓડિશામાં ગંભીર ટ્રેન અકસ્માત થયો હતો. ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે હવે ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં બે બસોની ટક્કર સામ સામે થઈ છે. મળતી માહિતી અનુસાર એક બસ પ્રાઈવેટ લક્ઝરી બસ હતી. ભયાનક અકસ્માત થતાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અંગેની જાણકારી આપતા ગંજમ જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે ઘાયલોની સારવાર MKCG મેડિકલ કોલેજમાં ચાલી રહી છે. 


મૃતકોને સહાય ચૂકવવાની સીએમે કરી જાહેરાત 

આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓડિશા રાજ્યના મુખ્યમંત્રીએ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. સીએમે મૃતકોના પરિવારને સહય આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. દરેક મૃતકના પરિવારને 3 લાખ આપી સહાય કરવામાં  આવશે જ્યારે ઘાયલોને 30 હજાર આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે તેમાં 4 મહિલાઓનો તેમજ 6 પુરૂષોનો સમાવેશ થાય છે.      



એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.