ઓડિશામાં સર્જાયો ગંભીર અકસ્માત, બે બસોની ટક્કર થતાં સર્જાઈ દુર્ઘટના અને આટલા લોકો બન્યા કાળનો કોળિયો!


  • Published By :
  • Published Date : 2023-06-26 09:53:39

અકસ્માતને કારણે અનેક લોકો કાળનો કોળિયો બનતા હોય છે. એકની ભૂલ બીજા માટે પ્રાણઘાતક સાબિત થતું અનેક કિસ્સાઓમાં જોવા મળે છે. કોઈ વખત ઝડપને કારણે એક્સિડન્ટ સર્જાય છે તો કોઈ વખત બે ગાડીઓ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાય છે. ત્યારે આવો જ એક ગંભીર અકસ્માત ઓડિશાના ગંજમ જિલ્લામાં સર્જાયો છે. મોડી રાત્રે બે બસો સામ સામે આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 જેટલા લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  દુર્ઘટના સમાચાર મળતા ઓડિશાના મુખ્યમંત્રીએ મૃતકોને સહાય આપવાની જાહેરાત કરી છે.


ઘટનામાં થયા 10 જેટલા લોકોના મોત 

થોડા સમય પહેલા ઓડિશામાં ગંભીર ટ્રેન અકસ્માત થયો હતો. ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે હવે ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં બે બસોની ટક્કર સામ સામે થઈ છે. મળતી માહિતી અનુસાર એક બસ પ્રાઈવેટ લક્ઝરી બસ હતી. ભયાનક અકસ્માત થતાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અંગેની જાણકારી આપતા ગંજમ જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે ઘાયલોની સારવાર MKCG મેડિકલ કોલેજમાં ચાલી રહી છે. 


મૃતકોને સહાય ચૂકવવાની સીએમે કરી જાહેરાત 

આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓડિશા રાજ્યના મુખ્યમંત્રીએ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. સીએમે મૃતકોના પરિવારને સહય આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. દરેક મૃતકના પરિવારને 3 લાખ આપી સહાય કરવામાં  આવશે જ્યારે ઘાયલોને 30 હજાર આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે તેમાં 4 મહિલાઓનો તેમજ 6 પુરૂષોનો સમાવેશ થાય છે.      



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.