ઓડિશામાં સર્જાયો ગંભીર અકસ્માત, બે બસોની ટક્કર થતાં સર્જાઈ દુર્ઘટના અને આટલા લોકો બન્યા કાળનો કોળિયો!


  • Published By :
  • Published Date : 2023-06-26 09:53:39

અકસ્માતને કારણે અનેક લોકો કાળનો કોળિયો બનતા હોય છે. એકની ભૂલ બીજા માટે પ્રાણઘાતક સાબિત થતું અનેક કિસ્સાઓમાં જોવા મળે છે. કોઈ વખત ઝડપને કારણે એક્સિડન્ટ સર્જાય છે તો કોઈ વખત બે ગાડીઓ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાય છે. ત્યારે આવો જ એક ગંભીર અકસ્માત ઓડિશાના ગંજમ જિલ્લામાં સર્જાયો છે. મોડી રાત્રે બે બસો સામ સામે આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 જેટલા લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  દુર્ઘટના સમાચાર મળતા ઓડિશાના મુખ્યમંત્રીએ મૃતકોને સહાય આપવાની જાહેરાત કરી છે.


ઘટનામાં થયા 10 જેટલા લોકોના મોત 

થોડા સમય પહેલા ઓડિશામાં ગંભીર ટ્રેન અકસ્માત થયો હતો. ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે હવે ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં બે બસોની ટક્કર સામ સામે થઈ છે. મળતી માહિતી અનુસાર એક બસ પ્રાઈવેટ લક્ઝરી બસ હતી. ભયાનક અકસ્માત થતાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અંગેની જાણકારી આપતા ગંજમ જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે ઘાયલોની સારવાર MKCG મેડિકલ કોલેજમાં ચાલી રહી છે. 


મૃતકોને સહાય ચૂકવવાની સીએમે કરી જાહેરાત 

આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓડિશા રાજ્યના મુખ્યમંત્રીએ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. સીએમે મૃતકોના પરિવારને સહય આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. દરેક મૃતકના પરિવારને 3 લાખ આપી સહાય કરવામાં  આવશે જ્યારે ઘાયલોને 30 હજાર આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે તેમાં 4 મહિલાઓનો તેમજ 6 પુરૂષોનો સમાવેશ થાય છે.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.