દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સર્જાયો ગંભીર અકસ્માત, પરિવારના 6 સભ્યો બન્યા કાળનો કોળિયો


  • Published By :
  • Published Date : 2023-07-11 11:06:47

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ ગમખ્વાર અકસ્માતમાં જતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક ગંભીર અકસ્માત દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર આજે એટલે કે 11 જુલાઈએ વહેલી સવારે થયો છે જેમાં એક જ પરિવારના 6 સભ્યોના મોત થઈ ગયા છે. મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે જ્યારે બે જેટલા લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ અકસ્માત સ્કૂલ બસ અને ગાડી વચ્ચે થયો હતો.

  

અકસ્માતમાં 6 લોકોના થયા મોત 

રોડ અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત ગાડી પરથી કાબુ ગુમાવવાને કારણે એક્સિડન્ટ સર્જાતા હોય છે. પરંતુ અનેક વખત રોંગ સાઈડમાં વાહન ચલાવવાને કારણે પણ ગંભીર અકસ્માત સર્જાતા હોય છે તેનું ઉદાહરણ છે એ અકસ્માત જે દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર સર્જાયો છે. ગાઝિયાબાદ પાસે રોંગ સાઈડ પરથી સ્કુલ બસ આવી રહી હતી અને તે દરમિયાન ગાડી સાથે અથડાઈ ગઈ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક જ પરિવારના 6 સભ્યોના મોત થઈ ગયા જ્યારે 8 વર્ષના બાળકની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  


રોંગ સાઈડ પર આવી રહેલી બસે સર્જ્યો અકસ્માત!

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાય છે કે સ્કૂલ બસ રોંગ સાઈડ પર પુરઝડપે આવી રહી છે. તે જ સમયે ફૂલ સ્પીડમાં ચાલતી ગાડી તેની સામે આવીને ઉભી રહે છે. એક્સિડન્ટને અટકાવવા માટે ગાડીને બીજી તરફ વાળી દે છે, પરંતુ જ્યાં કાર ડ્રાઈવર ગાડીને વાળે છે ત્યાં જ બસ ડ્રાઈવર પણ બસને વાળી દે છે. જેને લઈ ભીષણ ટક્કર થાય છે. એક્સિડન્ટ એટલો ભયંકર હતો કે માણસોના શવ ગાડીમાં જ લટકતા રહ્યા. મૃતકોની લાશને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવામાં આવી. છેલ્લે ગાડીના દરવાજાને તોડી દેવાયા અને લાશને બહાર કાઢવામાં આવી હતી. પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.       

અનેક પરિવારોએ ગુમાવ્યા છે પરિવારના સભ્યોને 

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસ ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં સવાર પરિવાર ખાટુ શ્યામના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. ગાડીમાં ચાર બાળકો પણ સવાર હતા. મહત્વનું છે રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઝડપની મજા મોતમાં પરિણમતી હોય છે. અનેક પરિવારોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. એક સાથે આટલા લોકોની અર્થી ઉઠતાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.