દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સર્જાયો ગંભીર અકસ્માત, પરિવારના 6 સભ્યો બન્યા કાળનો કોળિયો


  • Published By :
  • Published Date : 2023-07-11 11:06:47

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ ગમખ્વાર અકસ્માતમાં જતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક ગંભીર અકસ્માત દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર આજે એટલે કે 11 જુલાઈએ વહેલી સવારે થયો છે જેમાં એક જ પરિવારના 6 સભ્યોના મોત થઈ ગયા છે. મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે જ્યારે બે જેટલા લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ અકસ્માત સ્કૂલ બસ અને ગાડી વચ્ચે થયો હતો.

  

અકસ્માતમાં 6 લોકોના થયા મોત 

રોડ અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત ગાડી પરથી કાબુ ગુમાવવાને કારણે એક્સિડન્ટ સર્જાતા હોય છે. પરંતુ અનેક વખત રોંગ સાઈડમાં વાહન ચલાવવાને કારણે પણ ગંભીર અકસ્માત સર્જાતા હોય છે તેનું ઉદાહરણ છે એ અકસ્માત જે દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર સર્જાયો છે. ગાઝિયાબાદ પાસે રોંગ સાઈડ પરથી સ્કુલ બસ આવી રહી હતી અને તે દરમિયાન ગાડી સાથે અથડાઈ ગઈ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક જ પરિવારના 6 સભ્યોના મોત થઈ ગયા જ્યારે 8 વર્ષના બાળકની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  


રોંગ સાઈડ પર આવી રહેલી બસે સર્જ્યો અકસ્માત!

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાય છે કે સ્કૂલ બસ રોંગ સાઈડ પર પુરઝડપે આવી રહી છે. તે જ સમયે ફૂલ સ્પીડમાં ચાલતી ગાડી તેની સામે આવીને ઉભી રહે છે. એક્સિડન્ટને અટકાવવા માટે ગાડીને બીજી તરફ વાળી દે છે, પરંતુ જ્યાં કાર ડ્રાઈવર ગાડીને વાળે છે ત્યાં જ બસ ડ્રાઈવર પણ બસને વાળી દે છે. જેને લઈ ભીષણ ટક્કર થાય છે. એક્સિડન્ટ એટલો ભયંકર હતો કે માણસોના શવ ગાડીમાં જ લટકતા રહ્યા. મૃતકોની લાશને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવામાં આવી. છેલ્લે ગાડીના દરવાજાને તોડી દેવાયા અને લાશને બહાર કાઢવામાં આવી હતી. પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.       

અનેક પરિવારોએ ગુમાવ્યા છે પરિવારના સભ્યોને 

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસ ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં સવાર પરિવાર ખાટુ શ્યામના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. ગાડીમાં ચાર બાળકો પણ સવાર હતા. મહત્વનું છે રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઝડપની મજા મોતમાં પરિણમતી હોય છે. અનેક પરિવારોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. એક સાથે આટલા લોકોની અર્થી ઉઠતાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.