દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સર્જાયો ગંભીર અકસ્માત, પરિવારના 6 સભ્યો બન્યા કાળનો કોળિયો


  • Published By :
  • Published Date : 2023-07-11 11:06:47

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ ગમખ્વાર અકસ્માતમાં જતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક ગંભીર અકસ્માત દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર આજે એટલે કે 11 જુલાઈએ વહેલી સવારે થયો છે જેમાં એક જ પરિવારના 6 સભ્યોના મોત થઈ ગયા છે. મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે જ્યારે બે જેટલા લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ અકસ્માત સ્કૂલ બસ અને ગાડી વચ્ચે થયો હતો.

  

અકસ્માતમાં 6 લોકોના થયા મોત 

રોડ અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત ગાડી પરથી કાબુ ગુમાવવાને કારણે એક્સિડન્ટ સર્જાતા હોય છે. પરંતુ અનેક વખત રોંગ સાઈડમાં વાહન ચલાવવાને કારણે પણ ગંભીર અકસ્માત સર્જાતા હોય છે તેનું ઉદાહરણ છે એ અકસ્માત જે દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર સર્જાયો છે. ગાઝિયાબાદ પાસે રોંગ સાઈડ પરથી સ્કુલ બસ આવી રહી હતી અને તે દરમિયાન ગાડી સાથે અથડાઈ ગઈ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક જ પરિવારના 6 સભ્યોના મોત થઈ ગયા જ્યારે 8 વર્ષના બાળકની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  


રોંગ સાઈડ પર આવી રહેલી બસે સર્જ્યો અકસ્માત!

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાય છે કે સ્કૂલ બસ રોંગ સાઈડ પર પુરઝડપે આવી રહી છે. તે જ સમયે ફૂલ સ્પીડમાં ચાલતી ગાડી તેની સામે આવીને ઉભી રહે છે. એક્સિડન્ટને અટકાવવા માટે ગાડીને બીજી તરફ વાળી દે છે, પરંતુ જ્યાં કાર ડ્રાઈવર ગાડીને વાળે છે ત્યાં જ બસ ડ્રાઈવર પણ બસને વાળી દે છે. જેને લઈ ભીષણ ટક્કર થાય છે. એક્સિડન્ટ એટલો ભયંકર હતો કે માણસોના શવ ગાડીમાં જ લટકતા રહ્યા. મૃતકોની લાશને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવામાં આવી. છેલ્લે ગાડીના દરવાજાને તોડી દેવાયા અને લાશને બહાર કાઢવામાં આવી હતી. પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.       

અનેક પરિવારોએ ગુમાવ્યા છે પરિવારના સભ્યોને 

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસ ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં સવાર પરિવાર ખાટુ શ્યામના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. ગાડીમાં ચાર બાળકો પણ સવાર હતા. મહત્વનું છે રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઝડપની મજા મોતમાં પરિણમતી હોય છે. અનેક પરિવારોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. એક સાથે આટલા લોકોની અર્થી ઉઠતાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.