અમેરિકામાં બની ચોંકાવનારી ઘટના, 6 વર્ષના બાળકે કરી શિક્ષક પર ગોળીબારી


  • Published By :
  • Published Date : 2023-01-07 14:28:25

અમેરિકામાં ફાયરિંગ થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. દરરોજ કોઈને કોઈ જગ્યા પર ફાયરિંગની ઘટના થઈ હોવાની માહિતી સામે આવતી રહે છે. ત્યારે આજે 6 વર્ષના બાળકે પોતાના શિક્ષક પર ગોળીબારી ફરી હતી. સદનસીબે આ ઘટનામાં શિક્ષકને ઈજા નથી પહોંચી. 


સ્કૂલમાં બાળકે કર્યો શિક્ષક પર હુમલો 

અનેક વખત અમેરિકામાં ફાયરિંગની ઘટના બને છે. અનેક લોકો આને કારણે મોતને ભેટતા હોય છે. અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં ગોળીબારી થવાની માહિતી સામે આવી છે. એક 6 વર્ષીય બાળકે સ્કૂલમાં ક્લાસની અંદર ટીચરને ગોળી મારી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારે રિકનેક એલિમેન્ટ્રી સ્કૂલમાં બની છે. જ્યારે આ ઘટના બની તે સમયે વર્ગની અંદર માત્ર મહિલા શિક્ષક અને ગોળીબારી કરનાર બાળક જ હાજર હતા. 


શિક્ષકની તબિયત સુધારા પર 

આ ઘટનાને લઈ પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી અને જેમાં તેમણે કહ્યું કે આ કોઈ અકસ્માતનો મામલો નથી પરંતુ બાળકે જાણીજોઈને  મહિલા શિક્ષક પર ગોળીબારી કરી છે. વર્ગમાં ચાલતા વિવાદને કારણે બાળકે આ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ગોળીબારીમાં શિક્ષકનું મોત નથી થયું પરંતુ તે ઈજાગ્રસ્ત થયા છે અને તેમની તબિયત નાજુક છે તેવી માહિતી સામે આવી રહી  છે. 


ઘટનાને લઈ પોલીસ કરી રહી છે તપાસ 

સ્કૂલમાં ફાયરિંગની ઘટના થવાને કારણે શાળામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં ભય વ્યાપી ઉઠ્યો છે. પોલીસ એ અંગે તપાસ કરી રહી છે બાળક પાસે પિસ્તોલ ક્યાંથી આવી અને શાળામાં બંદુક કેવી રીતે આવી.   

   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .