અમેરિકામાં બની ચોંકાવનારી ઘટના, 6 વર્ષના બાળકે કરી શિક્ષક પર ગોળીબારી


  • Published By :
  • Published Date : 2023-01-07 14:28:25

અમેરિકામાં ફાયરિંગ થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. દરરોજ કોઈને કોઈ જગ્યા પર ફાયરિંગની ઘટના થઈ હોવાની માહિતી સામે આવતી રહે છે. ત્યારે આજે 6 વર્ષના બાળકે પોતાના શિક્ષક પર ગોળીબારી ફરી હતી. સદનસીબે આ ઘટનામાં શિક્ષકને ઈજા નથી પહોંચી. 


સ્કૂલમાં બાળકે કર્યો શિક્ષક પર હુમલો 

અનેક વખત અમેરિકામાં ફાયરિંગની ઘટના બને છે. અનેક લોકો આને કારણે મોતને ભેટતા હોય છે. અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં ગોળીબારી થવાની માહિતી સામે આવી છે. એક 6 વર્ષીય બાળકે સ્કૂલમાં ક્લાસની અંદર ટીચરને ગોળી મારી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારે રિકનેક એલિમેન્ટ્રી સ્કૂલમાં બની છે. જ્યારે આ ઘટના બની તે સમયે વર્ગની અંદર માત્ર મહિલા શિક્ષક અને ગોળીબારી કરનાર બાળક જ હાજર હતા. 


શિક્ષકની તબિયત સુધારા પર 

આ ઘટનાને લઈ પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી અને જેમાં તેમણે કહ્યું કે આ કોઈ અકસ્માતનો મામલો નથી પરંતુ બાળકે જાણીજોઈને  મહિલા શિક્ષક પર ગોળીબારી કરી છે. વર્ગમાં ચાલતા વિવાદને કારણે બાળકે આ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ગોળીબારીમાં શિક્ષકનું મોત નથી થયું પરંતુ તે ઈજાગ્રસ્ત થયા છે અને તેમની તબિયત નાજુક છે તેવી માહિતી સામે આવી રહી  છે. 


ઘટનાને લઈ પોલીસ કરી રહી છે તપાસ 

સ્કૂલમાં ફાયરિંગની ઘટના થવાને કારણે શાળામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં ભય વ્યાપી ઉઠ્યો છે. પોલીસ એ અંગે તપાસ કરી રહી છે બાળક પાસે પિસ્તોલ ક્યાંથી આવી અને શાળામાં બંદુક કેવી રીતે આવી.   

   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.