જર્મનીના હેમ્બર્ગના ચર્ચમાં થયું ફાયરિંગ, અનેક લોકોના મોત જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-03-10 09:13:51

વિદેશમાં અનેક વખત ફાયરિંગ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અંધાધૂધ ફાયરિંગમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે ત્યારે જર્મનીના એક ચર્ચમાં પણ અંધાધૂધ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે. ગુરૂવાર રાત્રે ફાયરિંગ કરવામાં આવી હતી. ડીલબોગે સ્ટ્રીટ પર આવેલા ચર્ચમાં ફાયરિંગ થયું છે જેમાં અંદાજીત 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

फायरिंग के बाद चर्च के बाहर सुरक्षा बढ़ा दी गई।

ગોળીબારીને કારણે અનેક લોકો ગંભીર રીતે થયા ઘાયલ 

ગુરૂવાર રાત્રે જર્મનીમાં ફાયરિંગ થવાની ઘટના બની છે. જર્મનીના હેમ્બર્ગ શહેરમાં આવેલા એક ચર્ચમાં અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં લગભગ 6થી 7 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગોળીબારીને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મરનારાઓની સંખ્યા વધી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અલસ્ટરડોર્ફ વિસ્તારમાં આવેલા યહોવા વિટનેસ ચર્ચમાં ગોળીબારી થઈ છે. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.   

घटनास्थल के पास जवाबी कार्रवाई करती पुलिस।

जहां फायरिंग हुई, उसके पास बड़ी संख्या में पुलिस बल मौजूद है।

પોલીસ બંદોબસ્ત કરાયો તૈનાત   

પોલીસના કહેવા પ્રમાણે કયા કારણોસર આ ફાયરિંગ કરવામાં આવી તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું. હેમ્બર્ગ પોલીસે ટ્વિટ કર્યું કે આ ફાયરિંગમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તૈનાત કરી દેવાયા છે. અંદાજીત 10 મિનીટ સુધી હમલાવરોએ ગોળીબારી કરી હતી. હજી સુધી જાણી નથી શકાયું કે હુમલો કરનાર એક વ્યક્તિ છે કે અનેક વ્યક્તિઓ. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ચેક કરવામાં  આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓને છોડવામાં નહીં આવે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .