જર્મનીના હેમ્બર્ગના ચર્ચમાં થયું ફાયરિંગ, અનેક લોકોના મોત જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-03-10 09:13:51

વિદેશમાં અનેક વખત ફાયરિંગ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અંધાધૂધ ફાયરિંગમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે ત્યારે જર્મનીના એક ચર્ચમાં પણ અંધાધૂધ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે. ગુરૂવાર રાત્રે ફાયરિંગ કરવામાં આવી હતી. ડીલબોગે સ્ટ્રીટ પર આવેલા ચર્ચમાં ફાયરિંગ થયું છે જેમાં અંદાજીત 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

फायरिंग के बाद चर्च के बाहर सुरक्षा बढ़ा दी गई।

ગોળીબારીને કારણે અનેક લોકો ગંભીર રીતે થયા ઘાયલ 

ગુરૂવાર રાત્રે જર્મનીમાં ફાયરિંગ થવાની ઘટના બની છે. જર્મનીના હેમ્બર્ગ શહેરમાં આવેલા એક ચર્ચમાં અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં લગભગ 6થી 7 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગોળીબારીને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મરનારાઓની સંખ્યા વધી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અલસ્ટરડોર્ફ વિસ્તારમાં આવેલા યહોવા વિટનેસ ચર્ચમાં ગોળીબારી થઈ છે. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.   

घटनास्थल के पास जवाबी कार्रवाई करती पुलिस।

जहां फायरिंग हुई, उसके पास बड़ी संख्या में पुलिस बल मौजूद है।

પોલીસ બંદોબસ્ત કરાયો તૈનાત   

પોલીસના કહેવા પ્રમાણે કયા કારણોસર આ ફાયરિંગ કરવામાં આવી તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું. હેમ્બર્ગ પોલીસે ટ્વિટ કર્યું કે આ ફાયરિંગમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તૈનાત કરી દેવાયા છે. અંદાજીત 10 મિનીટ સુધી હમલાવરોએ ગોળીબારી કરી હતી. હજી સુધી જાણી નથી શકાયું કે હુમલો કરનાર એક વ્યક્તિ છે કે અનેક વ્યક્તિઓ. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ચેક કરવામાં  આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓને છોડવામાં નહીં આવે.   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.