અમેરિકાના કેલિફોર્નિયામાં આવ્યું હિમતોફાન, આગામી 48 કલાકોમાં ભારે હિમવર્ષા થવાની કરાઈ છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-04 16:42:47

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા બરફના તોફાનને કારણે 13 શહેરો માટે ઈમરજન્સી ઘોષિત કરી દીધી છે. આ હિમ તોફાનમાં અંદાજીત 9 લોકોના મોત થયા છે. હિમપ્રપાતને કારણે 70 હજારથી વધારે ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. ઉપરાંત આ હિમ તોફાનમાં 100 જેટલા લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. મોસમ વિભાગના અનુમાન અનુસાર આગામી 2 દિવસમાં 18-24 ઈંચ બરફવર્ષા થવાનું અનુમાન છે.

कैलिफोर्निया की सैन बर्नाडिनो काउंटी में कम्युनिकेशन टॉवर बर्फ से ढंका नजर आया।

कैलिफोर्निया में हेस्पेरिया शहर के पास हाईवे 138 के चारों तरफ पेड़ बर्फ से ढंके नजर आए।

कैलिफोर्निया में योसेमाइट नेशनल पार्क को भी पब्लिक के लिए बंद कर दिया गया है।

70 હજારથી વધુ ઘરોમાં નથી વીજળી         

અમેરિકામાં ફરી એક વખત હિમ તોફાન ત્રાટક્યું છે. આ બરફ વર્ષાને કારણે જનજીવન ખોરવાયું છે. હિમપ્રપાતને કારણે સ્થિતિ દિવસેને દિવસે ભયંકર થઈ રહી છે. હિમ વર્ષાને કારણે વિવિધ એરલાઈન્સને અસર પડી છે. અનેક ફ્લાઈટો રદ્દ થઈ ગઈ છે.ત્યારે આગામી બેથી ત્રણ દિવસમાં 18થી 24 ઈંચ બરફવર્ષા થવાનું અનુમાન કરવામાં આવ્યું છે. હિમવર્ષાને કારણે 70 હજાર ઘરોની વિજળી ગુલ થઈ ગઈ છે. આ હિમ તોફાનમાં 9 જેટલા લોકોના મોત થયા છે. અધિકારીના જણાવ્યા મુજબ આ અઠવાડિયામાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસટ્રેશને એક મેપ જાહેર કર્યો હતો.     



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?