અમેરિકાના કેલિફોર્નિયામાં આવ્યું હિમતોફાન, આગામી 48 કલાકોમાં ભારે હિમવર્ષા થવાની કરાઈ છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-04 16:42:47

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા બરફના તોફાનને કારણે 13 શહેરો માટે ઈમરજન્સી ઘોષિત કરી દીધી છે. આ હિમ તોફાનમાં અંદાજીત 9 લોકોના મોત થયા છે. હિમપ્રપાતને કારણે 70 હજારથી વધારે ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. ઉપરાંત આ હિમ તોફાનમાં 100 જેટલા લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. મોસમ વિભાગના અનુમાન અનુસાર આગામી 2 દિવસમાં 18-24 ઈંચ બરફવર્ષા થવાનું અનુમાન છે.

कैलिफोर्निया की सैन बर्नाडिनो काउंटी में कम्युनिकेशन टॉवर बर्फ से ढंका नजर आया।

कैलिफोर्निया में हेस्पेरिया शहर के पास हाईवे 138 के चारों तरफ पेड़ बर्फ से ढंके नजर आए।

कैलिफोर्निया में योसेमाइट नेशनल पार्क को भी पब्लिक के लिए बंद कर दिया गया है।

70 હજારથી વધુ ઘરોમાં નથી વીજળી         

અમેરિકામાં ફરી એક વખત હિમ તોફાન ત્રાટક્યું છે. આ બરફ વર્ષાને કારણે જનજીવન ખોરવાયું છે. હિમપ્રપાતને કારણે સ્થિતિ દિવસેને દિવસે ભયંકર થઈ રહી છે. હિમ વર્ષાને કારણે વિવિધ એરલાઈન્સને અસર પડી છે. અનેક ફ્લાઈટો રદ્દ થઈ ગઈ છે.ત્યારે આગામી બેથી ત્રણ દિવસમાં 18થી 24 ઈંચ બરફવર્ષા થવાનું અનુમાન કરવામાં આવ્યું છે. હિમવર્ષાને કારણે 70 હજાર ઘરોની વિજળી ગુલ થઈ ગઈ છે. આ હિમ તોફાનમાં 9 જેટલા લોકોના મોત થયા છે. અધિકારીના જણાવ્યા મુજબ આ અઠવાડિયામાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસટ્રેશને એક મેપ જાહેર કર્યો હતો.     



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.