અમેરિકાના કેલિફોર્નિયામાં આવ્યું હિમતોફાન, આગામી 48 કલાકોમાં ભારે હિમવર્ષા થવાની કરાઈ છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-04 16:42:47

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા બરફના તોફાનને કારણે 13 શહેરો માટે ઈમરજન્સી ઘોષિત કરી દીધી છે. આ હિમ તોફાનમાં અંદાજીત 9 લોકોના મોત થયા છે. હિમપ્રપાતને કારણે 70 હજારથી વધારે ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. ઉપરાંત આ હિમ તોફાનમાં 100 જેટલા લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. મોસમ વિભાગના અનુમાન અનુસાર આગામી 2 દિવસમાં 18-24 ઈંચ બરફવર્ષા થવાનું અનુમાન છે.

कैलिफोर्निया की सैन बर्नाडिनो काउंटी में कम्युनिकेशन टॉवर बर्फ से ढंका नजर आया।

कैलिफोर्निया में हेस्पेरिया शहर के पास हाईवे 138 के चारों तरफ पेड़ बर्फ से ढंके नजर आए।

कैलिफोर्निया में योसेमाइट नेशनल पार्क को भी पब्लिक के लिए बंद कर दिया गया है।

70 હજારથી વધુ ઘરોમાં નથી વીજળી         

અમેરિકામાં ફરી એક વખત હિમ તોફાન ત્રાટક્યું છે. આ બરફ વર્ષાને કારણે જનજીવન ખોરવાયું છે. હિમપ્રપાતને કારણે સ્થિતિ દિવસેને દિવસે ભયંકર થઈ રહી છે. હિમ વર્ષાને કારણે વિવિધ એરલાઈન્સને અસર પડી છે. અનેક ફ્લાઈટો રદ્દ થઈ ગઈ છે.ત્યારે આગામી બેથી ત્રણ દિવસમાં 18થી 24 ઈંચ બરફવર્ષા થવાનું અનુમાન કરવામાં આવ્યું છે. હિમવર્ષાને કારણે 70 હજાર ઘરોની વિજળી ગુલ થઈ ગઈ છે. આ હિમ તોફાનમાં 9 જેટલા લોકોના મોત થયા છે. અધિકારીના જણાવ્યા મુજબ આ અઠવાડિયામાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસટ્રેશને એક મેપ જાહેર કર્યો હતો.     



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .