અમેરિકાના કેલિફોર્નિયામાં આવ્યું હિમતોફાન, આગામી 48 કલાકોમાં ભારે હિમવર્ષા થવાની કરાઈ છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-04 16:42:47

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા બરફના તોફાનને કારણે 13 શહેરો માટે ઈમરજન્સી ઘોષિત કરી દીધી છે. આ હિમ તોફાનમાં અંદાજીત 9 લોકોના મોત થયા છે. હિમપ્રપાતને કારણે 70 હજારથી વધારે ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. ઉપરાંત આ હિમ તોફાનમાં 100 જેટલા લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. મોસમ વિભાગના અનુમાન અનુસાર આગામી 2 દિવસમાં 18-24 ઈંચ બરફવર્ષા થવાનું અનુમાન છે.

कैलिफोर्निया की सैन बर्नाडिनो काउंटी में कम्युनिकेशन टॉवर बर्फ से ढंका नजर आया।

कैलिफोर्निया में हेस्पेरिया शहर के पास हाईवे 138 के चारों तरफ पेड़ बर्फ से ढंके नजर आए।

कैलिफोर्निया में योसेमाइट नेशनल पार्क को भी पब्लिक के लिए बंद कर दिया गया है।

70 હજારથી વધુ ઘરોમાં નથી વીજળી         

અમેરિકામાં ફરી એક વખત હિમ તોફાન ત્રાટક્યું છે. આ બરફ વર્ષાને કારણે જનજીવન ખોરવાયું છે. હિમપ્રપાતને કારણે સ્થિતિ દિવસેને દિવસે ભયંકર થઈ રહી છે. હિમ વર્ષાને કારણે વિવિધ એરલાઈન્સને અસર પડી છે. અનેક ફ્લાઈટો રદ્દ થઈ ગઈ છે.ત્યારે આગામી બેથી ત્રણ દિવસમાં 18થી 24 ઈંચ બરફવર્ષા થવાનું અનુમાન કરવામાં આવ્યું છે. હિમવર્ષાને કારણે 70 હજાર ઘરોની વિજળી ગુલ થઈ ગઈ છે. આ હિમ તોફાનમાં 9 જેટલા લોકોના મોત થયા છે. અધિકારીના જણાવ્યા મુજબ આ અઠવાડિયામાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસટ્રેશને એક મેપ જાહેર કર્યો હતો.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.