રશિયામાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ! વેગનર જૂથે પોકાર્યો બળવો, ક્રેમલિનની સુરક્ષા માટે મોસ્કોમાં ટેન્ક કરાઈ તૈનાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-24 12:39:41

હજી સુધી આપણે રૂસ અને રશિયાના વચ્ચે ચાલતા યુદ્ધની વાતો કરતા હતા. પરંતુ રશિયામાં હવે ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એવા સમાચારો સામે આવી રહ્યા હતા જેમાં વેગનર ગ્રૃપના વડા યેવજેની પ્રિગોગીનએ બળવો કરવાનો પ્રયાસ કર્યો છે. બળવો પોકારવાને કારણે મોસ્કોને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવી છે. સુરક્ષાને વધારી દેવામાં આવી છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે સૈનિકો રશિયાની સરહદમાં ઘૂસી ગયા છે અને રશિયન સેનાનું હેલિકોપ્ટર પણ તોડી પાડવામાં આવ્યું છે. રશિયામાં બળવાખોરની સ્થિતિ શરૂ થતાં રાષ્ટ્રપતિ પુતિનની મુશ્કેલી વધી શકે છે.  



રશિયામાં ગ્રૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ!

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા સમયથી આ યુદ્ધ ચાલવાથી બંને દેશોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે રશિયામાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવી માહિતી સામે આવી રહી છે કે વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોગીને બળવો પોકાર્યો છે. બળવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેને લઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે જેમાં વેગનરની સેનાએ રોસ્તોવ શહેરના અનેક વિસ્તારોમાં કબજો જમાવી લીધો છે. જે ગ્રુપે રશિયાને યુદ્ધમાં સાથ આપ્યો તે જ ગ્રુપે બળવો પોકારી લીધો છે જેને કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધારે વિકટ બની શકે છે. વેનગર ગ્રુપ અને રશિયન સેના વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ છે.     


પ્રિગોઝિને આપી પ્રતિક્રિયા!

આ બધા વચ્ચે પ્રિગોઝિને જણાવ્યું કે અમારી પાસે 25 હજાર સૈનિકો છે. અમે અમારું લક્ષ્ય નક્કી કર્યું છે અને અમે મરવા માટે પણ તૈયાર છીએ. અમે અમારી માતૃભૂમિ અને રશિયાના નાગરિકો માટે ઊભા છીએ. તેઓને આવા લોકોથી છૂટકારો મેળવવો જોઈએ જે સામાન્ય લોકોની હત્યા કરી રહ્યા છે. જેમણે બળવો પોકાર્યો છે તેમને રશિયના રાષ્ટ્રપતિના રસોઈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલા તે રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને પુતિન ત્યાં જમવા પણ આવતા હતા. ત્યારે આ બળવા થવાને કારણે પુતિનની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.