રશિયામાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ! વેગનર જૂથે પોકાર્યો બળવો, ક્રેમલિનની સુરક્ષા માટે મોસ્કોમાં ટેન્ક કરાઈ તૈનાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-24 12:39:41

હજી સુધી આપણે રૂસ અને રશિયાના વચ્ચે ચાલતા યુદ્ધની વાતો કરતા હતા. પરંતુ રશિયામાં હવે ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એવા સમાચારો સામે આવી રહ્યા હતા જેમાં વેગનર ગ્રૃપના વડા યેવજેની પ્રિગોગીનએ બળવો કરવાનો પ્રયાસ કર્યો છે. બળવો પોકારવાને કારણે મોસ્કોને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવી છે. સુરક્ષાને વધારી દેવામાં આવી છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે સૈનિકો રશિયાની સરહદમાં ઘૂસી ગયા છે અને રશિયન સેનાનું હેલિકોપ્ટર પણ તોડી પાડવામાં આવ્યું છે. રશિયામાં બળવાખોરની સ્થિતિ શરૂ થતાં રાષ્ટ્રપતિ પુતિનની મુશ્કેલી વધી શકે છે.  



રશિયામાં ગ્રૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ!

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા સમયથી આ યુદ્ધ ચાલવાથી બંને દેશોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે રશિયામાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવી માહિતી સામે આવી રહી છે કે વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોગીને બળવો પોકાર્યો છે. બળવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેને લઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે જેમાં વેગનરની સેનાએ રોસ્તોવ શહેરના અનેક વિસ્તારોમાં કબજો જમાવી લીધો છે. જે ગ્રુપે રશિયાને યુદ્ધમાં સાથ આપ્યો તે જ ગ્રુપે બળવો પોકારી લીધો છે જેને કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધારે વિકટ બની શકે છે. વેનગર ગ્રુપ અને રશિયન સેના વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ છે.     


પ્રિગોઝિને આપી પ્રતિક્રિયા!

આ બધા વચ્ચે પ્રિગોઝિને જણાવ્યું કે અમારી પાસે 25 હજાર સૈનિકો છે. અમે અમારું લક્ષ્ય નક્કી કર્યું છે અને અમે મરવા માટે પણ તૈયાર છીએ. અમે અમારી માતૃભૂમિ અને રશિયાના નાગરિકો માટે ઊભા છીએ. તેઓને આવા લોકોથી છૂટકારો મેળવવો જોઈએ જે સામાન્ય લોકોની હત્યા કરી રહ્યા છે. જેમણે બળવો પોકાર્યો છે તેમને રશિયના રાષ્ટ્રપતિના રસોઈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલા તે રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને પુતિન ત્યાં જમવા પણ આવતા હતા. ત્યારે આ બળવા થવાને કારણે પુતિનની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.