રશિયામાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ! વેગનર જૂથે પોકાર્યો બળવો, ક્રેમલિનની સુરક્ષા માટે મોસ્કોમાં ટેન્ક કરાઈ તૈનાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-24 12:39:41

હજી સુધી આપણે રૂસ અને રશિયાના વચ્ચે ચાલતા યુદ્ધની વાતો કરતા હતા. પરંતુ રશિયામાં હવે ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એવા સમાચારો સામે આવી રહ્યા હતા જેમાં વેગનર ગ્રૃપના વડા યેવજેની પ્રિગોગીનએ બળવો કરવાનો પ્રયાસ કર્યો છે. બળવો પોકારવાને કારણે મોસ્કોને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવી છે. સુરક્ષાને વધારી દેવામાં આવી છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે સૈનિકો રશિયાની સરહદમાં ઘૂસી ગયા છે અને રશિયન સેનાનું હેલિકોપ્ટર પણ તોડી પાડવામાં આવ્યું છે. રશિયામાં બળવાખોરની સ્થિતિ શરૂ થતાં રાષ્ટ્રપતિ પુતિનની મુશ્કેલી વધી શકે છે.  



રશિયામાં ગ્રૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ!

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા સમયથી આ યુદ્ધ ચાલવાથી બંને દેશોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે રશિયામાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવી માહિતી સામે આવી રહી છે કે વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોગીને બળવો પોકાર્યો છે. બળવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેને લઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે જેમાં વેગનરની સેનાએ રોસ્તોવ શહેરના અનેક વિસ્તારોમાં કબજો જમાવી લીધો છે. જે ગ્રુપે રશિયાને યુદ્ધમાં સાથ આપ્યો તે જ ગ્રુપે બળવો પોકારી લીધો છે જેને કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધારે વિકટ બની શકે છે. વેનગર ગ્રુપ અને રશિયન સેના વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ છે.     


પ્રિગોઝિને આપી પ્રતિક્રિયા!

આ બધા વચ્ચે પ્રિગોઝિને જણાવ્યું કે અમારી પાસે 25 હજાર સૈનિકો છે. અમે અમારું લક્ષ્ય નક્કી કર્યું છે અને અમે મરવા માટે પણ તૈયાર છીએ. અમે અમારી માતૃભૂમિ અને રશિયાના નાગરિકો માટે ઊભા છીએ. તેઓને આવા લોકોથી છૂટકારો મેળવવો જોઈએ જે સામાન્ય લોકોની હત્યા કરી રહ્યા છે. જેમણે બળવો પોકાર્યો છે તેમને રશિયના રાષ્ટ્રપતિના રસોઈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલા તે રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને પુતિન ત્યાં જમવા પણ આવતા હતા. ત્યારે આ બળવા થવાને કારણે પુતિનની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.