પર્વત પરથી પડ્યા પથ્થર અને સેકેન્ડોમાં ગાડીનું નિકળી ગયો કચ્ચર ઘાણ, નાગાલેન્ડમાં સર્જાયેલી દુર્ઘટનાનો વીડિયો આવ્યો સામે


  • Published By :
  • Published Date : 2023-07-05 11:20:02

સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોથી અનેક વખત ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તો કોઈ પથ્થર પડવાને કારણે દુર્ઘટના સર્જાય છે. અનેક વખત ભૂસ્ખલન તેમજ પથ્થર પડવાને કારણે લોકોને ઈજાઓ પણ પહોંચતી હોય છે. ત્યારે વરસાદને કારણે નાગાલેન્ડમાં પથ્થર પડવાની ઘટના સર્જાઈ છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. લેન્ડસ્લાઈડ થવાને કારણે પથ્થર નીચે પડ્યો અને નેશનલ હાઈવે 29 પર ઉભેલી ગાડી સાથે ભટકાયો.

  

ગાડી પર પડ્યા પથ્થરો અને સર્જાઈ દુર્ઘટના  

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નેશનલ હાઈવે પર ઉભેલી ગાડી પર લેન્ડસ્લાઈડ થવાને કારણે અચાનક પથ્થરો પડવા લાગે છે. મોટા મોટા પથ્થરો પડવાને કારણે ગાડીને તો નુકસાન પહોંચ્યું જ પરંતુ ગાડીમાં બેઠેલા લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. પથ્થર પડવાને કારણે ગાડીનો કચ્ચર ગાણ નીકળી ગયો હતો. પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે માત્ર 5 સેકેન્ડની અંદર જ એક પછી એક બે પથ્થરો નીચે પડ્યા અને ત્રણ કારો પર આવીને પડ્યા. 


ઘટનામાં બે લોકોના થયા મોત 

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મંગળવાર સાંજે 5.30 વાગ્યાની આસપાસ દીમાપુરના ઓલ્ડ ચુમોકેદીમા પોલીસ ચેક ગેટ નજીકનો છે. આ ઘટનામાં ચાર વાહનોને નુકસાન પહોંચ્યું છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર મોત થયું છે જ્યારે બીજા વ્યક્તિનું મોત સારવાર દરમિયાન થયું છે. આ ઘટનાને કારણે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. કોનું મોત નિપજ્યું છે તે અંગેની માહિતી પોલીસ એકત્રિત કરી રહી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.