પર્વત પરથી પડ્યા પથ્થર અને સેકેન્ડોમાં ગાડીનું નિકળી ગયો કચ્ચર ઘાણ, નાગાલેન્ડમાં સર્જાયેલી દુર્ઘટનાનો વીડિયો આવ્યો સામે


  • Published By :
  • Published Date : 2023-07-05 11:20:02

સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોથી અનેક વખત ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તો કોઈ પથ્થર પડવાને કારણે દુર્ઘટના સર્જાય છે. અનેક વખત ભૂસ્ખલન તેમજ પથ્થર પડવાને કારણે લોકોને ઈજાઓ પણ પહોંચતી હોય છે. ત્યારે વરસાદને કારણે નાગાલેન્ડમાં પથ્થર પડવાની ઘટના સર્જાઈ છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. લેન્ડસ્લાઈડ થવાને કારણે પથ્થર નીચે પડ્યો અને નેશનલ હાઈવે 29 પર ઉભેલી ગાડી સાથે ભટકાયો.

  

ગાડી પર પડ્યા પથ્થરો અને સર્જાઈ દુર્ઘટના  

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નેશનલ હાઈવે પર ઉભેલી ગાડી પર લેન્ડસ્લાઈડ થવાને કારણે અચાનક પથ્થરો પડવા લાગે છે. મોટા મોટા પથ્થરો પડવાને કારણે ગાડીને તો નુકસાન પહોંચ્યું જ પરંતુ ગાડીમાં બેઠેલા લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. પથ્થર પડવાને કારણે ગાડીનો કચ્ચર ગાણ નીકળી ગયો હતો. પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે માત્ર 5 સેકેન્ડની અંદર જ એક પછી એક બે પથ્થરો નીચે પડ્યા અને ત્રણ કારો પર આવીને પડ્યા. 


ઘટનામાં બે લોકોના થયા મોત 

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મંગળવાર સાંજે 5.30 વાગ્યાની આસપાસ દીમાપુરના ઓલ્ડ ચુમોકેદીમા પોલીસ ચેક ગેટ નજીકનો છે. આ ઘટનામાં ચાર વાહનોને નુકસાન પહોંચ્યું છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર મોત થયું છે જ્યારે બીજા વ્યક્તિનું મોત સારવાર દરમિયાન થયું છે. આ ઘટનાને કારણે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. કોનું મોત નિપજ્યું છે તે અંગેની માહિતી પોલીસ એકત્રિત કરી રહી છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.