ઈસ્લામાબાદ થયો આત્મઘાતી હુમલો, તપાસ માટે ગાડી રોકાતા કાર સવારે કર્યો બોમ્બ બ્લાસ્ટ


  • Published By :
  • Published Date : 2022-12-23 13:47:57

પાકિસ્તાનમાં ફરી એક વખત આત્મઘાતી હુમલો થયો છે. બોમ્બ ઘડાકાને કારણે અનેક લોકો મોતને ભેટ્યા હોય તેવો અંદાજો લગાવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ બ્લાસ્ટ ઈસ્લામાબાદના આઈ 10/4 સેક્ટરમાં આ ઘટના બની છે. આ ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

Pakistan Bomb Blast: इस्लामाबाद में आत्मघाती बम धमाका, कार सवार ने खुद को उड़ाया; पुलिसकर्मी की मौत

પાકિસ્તાનમાં અનેક વખત આત્મઘાતી હુમલાઓ થતા રહે છે. મળતી માહિતી અનુસાર તપાસ માટે પોલીસે એક કારને રોકી હતી તે સમયે કારમાં બેસેલા વ્યક્તિએ પોતાને બોમ્બથી ઉડાવી દીધો. આ ઘટનામાં એક પોલીસકર્મીનું મોત થયું છે જ્યારે 6 જેટલા લોકોના મોત થયા છે. આ પહેલા પેશાવરમાં આવેલી મસ્જિદમાં આત્મઘાતિ હુમલો થયો હતો. એ હુમલામાં અંદાજીત 57 લોકોના મોત થયા હતા. ઉપરાંત 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.        




ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.