ઈસ્લામાબાદ થયો આત્મઘાતી હુમલો, તપાસ માટે ગાડી રોકાતા કાર સવારે કર્યો બોમ્બ બ્લાસ્ટ


  • Published By :
  • Published Date : 2022-12-23 13:47:57

પાકિસ્તાનમાં ફરી એક વખત આત્મઘાતી હુમલો થયો છે. બોમ્બ ઘડાકાને કારણે અનેક લોકો મોતને ભેટ્યા હોય તેવો અંદાજો લગાવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ બ્લાસ્ટ ઈસ્લામાબાદના આઈ 10/4 સેક્ટરમાં આ ઘટના બની છે. આ ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

Pakistan Bomb Blast: इस्लामाबाद में आत्मघाती बम धमाका, कार सवार ने खुद को उड़ाया; पुलिसकर्मी की मौत

પાકિસ્તાનમાં અનેક વખત આત્મઘાતી હુમલાઓ થતા રહે છે. મળતી માહિતી અનુસાર તપાસ માટે પોલીસે એક કારને રોકી હતી તે સમયે કારમાં બેસેલા વ્યક્તિએ પોતાને બોમ્બથી ઉડાવી દીધો. આ ઘટનામાં એક પોલીસકર્મીનું મોત થયું છે જ્યારે 6 જેટલા લોકોના મોત થયા છે. આ પહેલા પેશાવરમાં આવેલી મસ્જિદમાં આત્મઘાતિ હુમલો થયો હતો. એ હુમલામાં અંદાજીત 57 લોકોના મોત થયા હતા. ઉપરાંત 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.        




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.