Pakistanમાં ફરી એક વખત કરાઈ સર્જિકલ સ્ટ્રાઈક! આ દેશે કર્યા આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કરવાનો દાવો, જાણો પાકિસ્તાને શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2024-01-17 11:41:24

થોડા સમય પહેલા પાકિસ્તાન પર ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત એર સ્ટ્રાઈક થયો હોવાનો દોવા કરવામાં આવી રહ્યો છે. આ વખતે એર સ્ટ્રાઈક ભારત દ્વારા નહીં પરંતુ ઈરાન દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાનના એક આતંકવાદી સંગઠનના બે ઠેકાણા પર ઈરાન દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવી છે તેવો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. જે બાદ પાકિસ્તાન દ્વારા પણ આ અંગેની પ્રતિક્રિયા આપવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવે છે કે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે નિર્દોષ બાળકોના મોત થઈ ગયા છે જ્યારે ત્રણ છોકરીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. મળતી માહિતી અનુસાર ઈરાન દ્વારા આ સ્ટ્રાઈક મંગળવારે કરવામાં આવી હતી. 

iran attack pakistan

(પ્રતિક્રાત્મક તસવીર)

ઈરાન દ્વારા જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર કરવામાં આવ્યો હુમલો  

પાકિસ્તાનમાં સુન્ની બલોચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવાનો દાવો ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ એટલે કે IRGC દ્વારા કરવામાં આવ્યો છે. બે ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે તેવો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર જે જૈશ અલ અદલ પર હુમલો કરવામાં આવ્યો છે તેનું ગઠન 2012માં થયું હતું. આ સંગઠનને ઈરાન આતંકવાદી સંગઠન માનતું હતું. તે એક સુન્ની આતંકવાદી જૂથ છે જે સિસ્તાન-બલુચિસ્તાન, દક્ષિણ-પૂર્વ પ્રાંત રણમાં સ્થિત છે. જૈશ અલ-અદલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે.

શું કહ્યું આ ઘટનાને લઈ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે?

આ ઘટનાને લઈ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવદેન બહાર પાડવામાં આવ્યું છે જેમાં આ ઘટનાને પૂર્ણ રીતે અસ્વીકારીય ગણાવી છે. આ ઘટનાની નિંદા કરી છે. તેમજ કહ્યું છે કે આના ગંભીર પરિણામ આવી શકે છે. પાકિસ્તાન હંમેશા કહે છે કે આતંકવાદ તમામ દેશો માટે સમાન ખતરો છે. આ માટે સાથે મળીને કાર્યવાહી થઈ શકે છે. એકપક્ષીય કાર્યવાહી એ સારા પાડોશીની નિશાની નથી. આ કાર્યવાહી દ્વિપક્ષીય વિશ્વાસને ગંભીરપણે નબળી પાડે છે. 




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.