Pakistanમાં ફરી એક વખત કરાઈ સર્જિકલ સ્ટ્રાઈક! આ દેશે કર્યા આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કરવાનો દાવો, જાણો પાકિસ્તાને શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2024-01-17 11:41:24

થોડા સમય પહેલા પાકિસ્તાન પર ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત એર સ્ટ્રાઈક થયો હોવાનો દોવા કરવામાં આવી રહ્યો છે. આ વખતે એર સ્ટ્રાઈક ભારત દ્વારા નહીં પરંતુ ઈરાન દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાનના એક આતંકવાદી સંગઠનના બે ઠેકાણા પર ઈરાન દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવી છે તેવો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. જે બાદ પાકિસ્તાન દ્વારા પણ આ અંગેની પ્રતિક્રિયા આપવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવે છે કે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે નિર્દોષ બાળકોના મોત થઈ ગયા છે જ્યારે ત્રણ છોકરીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. મળતી માહિતી અનુસાર ઈરાન દ્વારા આ સ્ટ્રાઈક મંગળવારે કરવામાં આવી હતી. 

iran attack pakistan

(પ્રતિક્રાત્મક તસવીર)

ઈરાન દ્વારા જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર કરવામાં આવ્યો હુમલો  

પાકિસ્તાનમાં સુન્ની બલોચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવાનો દાવો ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ એટલે કે IRGC દ્વારા કરવામાં આવ્યો છે. બે ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે તેવો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર જે જૈશ અલ અદલ પર હુમલો કરવામાં આવ્યો છે તેનું ગઠન 2012માં થયું હતું. આ સંગઠનને ઈરાન આતંકવાદી સંગઠન માનતું હતું. તે એક સુન્ની આતંકવાદી જૂથ છે જે સિસ્તાન-બલુચિસ્તાન, દક્ષિણ-પૂર્વ પ્રાંત રણમાં સ્થિત છે. જૈશ અલ-અદલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે.

શું કહ્યું આ ઘટનાને લઈ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે?

આ ઘટનાને લઈ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવદેન બહાર પાડવામાં આવ્યું છે જેમાં આ ઘટનાને પૂર્ણ રીતે અસ્વીકારીય ગણાવી છે. આ ઘટનાની નિંદા કરી છે. તેમજ કહ્યું છે કે આના ગંભીર પરિણામ આવી શકે છે. પાકિસ્તાન હંમેશા કહે છે કે આતંકવાદ તમામ દેશો માટે સમાન ખતરો છે. આ માટે સાથે મળીને કાર્યવાહી થઈ શકે છે. એકપક્ષીય કાર્યવાહી એ સારા પાડોશીની નિશાની નથી. આ કાર્યવાહી દ્વિપક્ષીય વિશ્વાસને ગંભીરપણે નબળી પાડે છે. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .