Pakistanમાં ફરી એક વખત કરાઈ સર્જિકલ સ્ટ્રાઈક! આ દેશે કર્યા આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કરવાનો દાવો, જાણો પાકિસ્તાને શું આપી પ્રતિક્રિયા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-17 11:41:24

થોડા સમય પહેલા પાકિસ્તાન પર ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત એર સ્ટ્રાઈક થયો હોવાનો દોવા કરવામાં આવી રહ્યો છે. આ વખતે એર સ્ટ્રાઈક ભારત દ્વારા નહીં પરંતુ ઈરાન દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાનના એક આતંકવાદી સંગઠનના બે ઠેકાણા પર ઈરાન દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવી છે તેવો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. જે બાદ પાકિસ્તાન દ્વારા પણ આ અંગેની પ્રતિક્રિયા આપવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવે છે કે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે નિર્દોષ બાળકોના મોત થઈ ગયા છે જ્યારે ત્રણ છોકરીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. મળતી માહિતી અનુસાર ઈરાન દ્વારા આ સ્ટ્રાઈક મંગળવારે કરવામાં આવી હતી. 

iran attack pakistan

(પ્રતિક્રાત્મક તસવીર)

ઈરાન દ્વારા જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર કરવામાં આવ્યો હુમલો  

પાકિસ્તાનમાં સુન્ની બલોચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવાનો દાવો ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ એટલે કે IRGC દ્વારા કરવામાં આવ્યો છે. બે ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે તેવો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર જે જૈશ અલ અદલ પર હુમલો કરવામાં આવ્યો છે તેનું ગઠન 2012માં થયું હતું. આ સંગઠનને ઈરાન આતંકવાદી સંગઠન માનતું હતું. તે એક સુન્ની આતંકવાદી જૂથ છે જે સિસ્તાન-બલુચિસ્તાન, દક્ષિણ-પૂર્વ પ્રાંત રણમાં સ્થિત છે. જૈશ અલ-અદલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે.

શું કહ્યું આ ઘટનાને લઈ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે?

આ ઘટનાને લઈ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવદેન બહાર પાડવામાં આવ્યું છે જેમાં આ ઘટનાને પૂર્ણ રીતે અસ્વીકારીય ગણાવી છે. આ ઘટનાની નિંદા કરી છે. તેમજ કહ્યું છે કે આના ગંભીર પરિણામ આવી શકે છે. પાકિસ્તાન હંમેશા કહે છે કે આતંકવાદ તમામ દેશો માટે સમાન ખતરો છે. આ માટે સાથે મળીને કાર્યવાહી થઈ શકે છે. એકપક્ષીય કાર્યવાહી એ સારા પાડોશીની નિશાની નથી. આ કાર્યવાહી દ્વિપક્ષીય વિશ્વાસને ગંભીરપણે નબળી પાડે છે. 




પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.