ભારતનું એક એવું મંદિર જ્યાં પાણીના ટીપાં પરથી કરાય છે વરસાદની આગાહી, જાણો ક્યાં આવેલું છે મંદિર અને શું છે તેની વિશેષતા?


  • Published By :
  • Published Date : 2023-06-29 12:00:24

થોડા સમય પહેલા જ રથયાત્રા આવીને ગઈ. જ્યારે રથયાત્રાની વાત થતી હોય ત્યારે આપણને યાદ આવે અમદાવાદનું જગન્નાથ મંદિર અને ઓડિશાનું જગન્નાથ મંદિર આ બંને મંદિરો દેશમાં ખુબજ પ્રખ્યાત છે મંદિરના દર્શનાર્થે  દેશવિદેશમાંથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે. જો કે એક જગન્નાથ મંદિર ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ આવેલું છે અને તે મંદિર એટલા માટે ખાસ છે કેમકે તે મંદિરથી વરસાદનો વર્તારો મેળવે છે. આ મંદિરના ગુંબજ પરથી પડતુ પાણી અને પાણીના ટીપાની ધાર પરથી નક્કી થાય છે કે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે. 

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/rain-is-predicted' title='Rain is predicted'>Rain is predicted</a> at the <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/temple-of-lord-jagannath' title='temple of Lord Jagannath'>temple of Lord Jagannath</a> at Behta Burjag village in Ghatampur

પાણીના ટીપા પરથી લગાવાય છે વરસાદનો અંદાજ

આપણા દેશમાં ચોમાસું ક્યારે બેસશે અને વરસાદ કેવો રહેશે એ જાણવા માટે આપણે હવામાન વિભાગ, મીડિયામાં આવતા સમાચારો પર આધારિત હોઈએ છીએ જો કે કાનપુરના આ મંદિરમાં જે રીતે વરસાદનું અનુમાન લેવામાં આવે છે તેના પરથી એવું લાગે છે જાણે સાક્ષાત ઈશ્વરના આશીર્વાદ તેમાં સમાયેલા છે. આ મંદિરને લોકો ખૂબ અલગ અલગ નામથી બોલાવે છે કેટલાક લોકો તેને મોસમ મંદિર કહે છે. કેટલાક રહસ્ય મંદિર પણ કહે છે. રહસ્ય એટલા માટે કેમકે ચોમાસુ બેસવાના 10 થી 15 દિવસ પહેલા જ આ મંદિરના ગુંબજ પર પાણીના ટીપાં પડવા માંડે છે. જો આ પાણીના ટીપાની સતત ધાર પડતી રહે છે. વેગમાં પડતી હોય તો તેનો અર્થ એવો થાય છે કે ચોમાસુ સારું રહેશે, અને જો ગુંબજ કોરો રહી જાય તો તેનો અર્થ એવો થાય કે ચોમાસુ સારું નહિ રહે. ગુંબજની જે પરિસ્થિતિ હોય તેના પરથી ખેડૂતો તેમનું ખેતીકામ આગળ ધપાવે છે. 


પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે રહસ્યનું સંશોધન

મંદિરની ખાસ વાત તો એ છે કે મંદિરમાંથી દર વર્ષે જે સંકેત મળે છે તે આજ સુધી ક્યારેય ખોટા સાબિત થયા નથી. એટલે કે ચોમાસુ એવું જ રહે છે જેવો મંદિરમાંથી સંકેત મળે છે. ભારતીય પુરાતત્વ વિભાગના અનેક અધિકારીઓ અને વૈજ્ઞાનિકો પણ આ રહસ્યનું સંશોધન કરી રહ્યા છે. પુરાતત્વ વિભાગે કાર્બન ડેટિંગ પણ કર્યું છે જેના પરથી વિગતો મળી છે કે આ મંદિર 4000 વર્ષ જૂનું છે.


મંદિરના ચમત્કારો અંગે થાય છે દેશભરમાં ચર્ચા

ભગવાન જગન્નાથના આ મંદિરના નિર્માણને લઈને ઈતિહાસકારો અને પુરાતત્વવિદોમાં મતભેદ છે. ગર્ભગૃહની અંદર અને બહાર કોતરવામાં આવેલી આકૃતિઓ અનુસાર, આ મંદિર બીજી અને ચોથી સદીની વચ્ચે બંધાયેલું હોવું જોઈએ. જો કે આ મંદિર તેના ચમત્કારો માટે દેશભરમાં ખ્યાતિ પામેલું છે.. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આ મંદિરના રથયાત્રા ઉત્સવમાં ભાગ લે છે.. આવી અવનવી વાતોના વીડિયો અમે આપના સુધી પહોંચાડતા રહીશું. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.