ભારતનું એક એવું મંદિર જ્યાં પાણીના ટીપાં પરથી કરાય છે વરસાદની આગાહી, જાણો ક્યાં આવેલું છે મંદિર અને શું છે તેની વિશેષતા?


  • Published By :
  • Published Date : 2023-06-29 12:00:24

થોડા સમય પહેલા જ રથયાત્રા આવીને ગઈ. જ્યારે રથયાત્રાની વાત થતી હોય ત્યારે આપણને યાદ આવે અમદાવાદનું જગન્નાથ મંદિર અને ઓડિશાનું જગન્નાથ મંદિર આ બંને મંદિરો દેશમાં ખુબજ પ્રખ્યાત છે મંદિરના દર્શનાર્થે  દેશવિદેશમાંથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે. જો કે એક જગન્નાથ મંદિર ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ આવેલું છે અને તે મંદિર એટલા માટે ખાસ છે કેમકે તે મંદિરથી વરસાદનો વર્તારો મેળવે છે. આ મંદિરના ગુંબજ પરથી પડતુ પાણી અને પાણીના ટીપાની ધાર પરથી નક્કી થાય છે કે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે. 

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/rain-is-predicted' title='Rain is predicted'>Rain is predicted</a> at the <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/temple-of-lord-jagannath' title='temple of Lord Jagannath'>temple of Lord Jagannath</a> at Behta Burjag village in Ghatampur

પાણીના ટીપા પરથી લગાવાય છે વરસાદનો અંદાજ

આપણા દેશમાં ચોમાસું ક્યારે બેસશે અને વરસાદ કેવો રહેશે એ જાણવા માટે આપણે હવામાન વિભાગ, મીડિયામાં આવતા સમાચારો પર આધારિત હોઈએ છીએ જો કે કાનપુરના આ મંદિરમાં જે રીતે વરસાદનું અનુમાન લેવામાં આવે છે તેના પરથી એવું લાગે છે જાણે સાક્ષાત ઈશ્વરના આશીર્વાદ તેમાં સમાયેલા છે. આ મંદિરને લોકો ખૂબ અલગ અલગ નામથી બોલાવે છે કેટલાક લોકો તેને મોસમ મંદિર કહે છે. કેટલાક રહસ્ય મંદિર પણ કહે છે. રહસ્ય એટલા માટે કેમકે ચોમાસુ બેસવાના 10 થી 15 દિવસ પહેલા જ આ મંદિરના ગુંબજ પર પાણીના ટીપાં પડવા માંડે છે. જો આ પાણીના ટીપાની સતત ધાર પડતી રહે છે. વેગમાં પડતી હોય તો તેનો અર્થ એવો થાય છે કે ચોમાસુ સારું રહેશે, અને જો ગુંબજ કોરો રહી જાય તો તેનો અર્થ એવો થાય કે ચોમાસુ સારું નહિ રહે. ગુંબજની જે પરિસ્થિતિ હોય તેના પરથી ખેડૂતો તેમનું ખેતીકામ આગળ ધપાવે છે. 


પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે રહસ્યનું સંશોધન

મંદિરની ખાસ વાત તો એ છે કે મંદિરમાંથી દર વર્ષે જે સંકેત મળે છે તે આજ સુધી ક્યારેય ખોટા સાબિત થયા નથી. એટલે કે ચોમાસુ એવું જ રહે છે જેવો મંદિરમાંથી સંકેત મળે છે. ભારતીય પુરાતત્વ વિભાગના અનેક અધિકારીઓ અને વૈજ્ઞાનિકો પણ આ રહસ્યનું સંશોધન કરી રહ્યા છે. પુરાતત્વ વિભાગે કાર્બન ડેટિંગ પણ કર્યું છે જેના પરથી વિગતો મળી છે કે આ મંદિર 4000 વર્ષ જૂનું છે.


મંદિરના ચમત્કારો અંગે થાય છે દેશભરમાં ચર્ચા

ભગવાન જગન્નાથના આ મંદિરના નિર્માણને લઈને ઈતિહાસકારો અને પુરાતત્વવિદોમાં મતભેદ છે. ગર્ભગૃહની અંદર અને બહાર કોતરવામાં આવેલી આકૃતિઓ અનુસાર, આ મંદિર બીજી અને ચોથી સદીની વચ્ચે બંધાયેલું હોવું જોઈએ. જો કે આ મંદિર તેના ચમત્કારો માટે દેશભરમાં ખ્યાતિ પામેલું છે.. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આ મંદિરના રથયાત્રા ઉત્સવમાં ભાગ લે છે.. આવી અવનવી વાતોના વીડિયો અમે આપના સુધી પહોંચાડતા રહીશું. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.