ભારતનું એક એવું મંદિર જ્યાં પાણીના ટીપાં પરથી કરાય છે વરસાદની આગાહી, જાણો ક્યાં આવેલું છે મંદિર અને શું છે તેની વિશેષતા?


  • Published By :
  • Published Date : 2023-06-29 12:00:24

થોડા સમય પહેલા જ રથયાત્રા આવીને ગઈ. જ્યારે રથયાત્રાની વાત થતી હોય ત્યારે આપણને યાદ આવે અમદાવાદનું જગન્નાથ મંદિર અને ઓડિશાનું જગન્નાથ મંદિર આ બંને મંદિરો દેશમાં ખુબજ પ્રખ્યાત છે મંદિરના દર્શનાર્થે  દેશવિદેશમાંથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે. જો કે એક જગન્નાથ મંદિર ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ આવેલું છે અને તે મંદિર એટલા માટે ખાસ છે કેમકે તે મંદિરથી વરસાદનો વર્તારો મેળવે છે. આ મંદિરના ગુંબજ પરથી પડતુ પાણી અને પાણીના ટીપાની ધાર પરથી નક્કી થાય છે કે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે. 

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/rain-is-predicted' title='Rain is predicted'>Rain is predicted</a> at the <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/temple-of-lord-jagannath' title='temple of Lord Jagannath'>temple of Lord Jagannath</a> at Behta Burjag village in Ghatampur

પાણીના ટીપા પરથી લગાવાય છે વરસાદનો અંદાજ

આપણા દેશમાં ચોમાસું ક્યારે બેસશે અને વરસાદ કેવો રહેશે એ જાણવા માટે આપણે હવામાન વિભાગ, મીડિયામાં આવતા સમાચારો પર આધારિત હોઈએ છીએ જો કે કાનપુરના આ મંદિરમાં જે રીતે વરસાદનું અનુમાન લેવામાં આવે છે તેના પરથી એવું લાગે છે જાણે સાક્ષાત ઈશ્વરના આશીર્વાદ તેમાં સમાયેલા છે. આ મંદિરને લોકો ખૂબ અલગ અલગ નામથી બોલાવે છે કેટલાક લોકો તેને મોસમ મંદિર કહે છે. કેટલાક રહસ્ય મંદિર પણ કહે છે. રહસ્ય એટલા માટે કેમકે ચોમાસુ બેસવાના 10 થી 15 દિવસ પહેલા જ આ મંદિરના ગુંબજ પર પાણીના ટીપાં પડવા માંડે છે. જો આ પાણીના ટીપાની સતત ધાર પડતી રહે છે. વેગમાં પડતી હોય તો તેનો અર્થ એવો થાય છે કે ચોમાસુ સારું રહેશે, અને જો ગુંબજ કોરો રહી જાય તો તેનો અર્થ એવો થાય કે ચોમાસુ સારું નહિ રહે. ગુંબજની જે પરિસ્થિતિ હોય તેના પરથી ખેડૂતો તેમનું ખેતીકામ આગળ ધપાવે છે. 


પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે રહસ્યનું સંશોધન

મંદિરની ખાસ વાત તો એ છે કે મંદિરમાંથી દર વર્ષે જે સંકેત મળે છે તે આજ સુધી ક્યારેય ખોટા સાબિત થયા નથી. એટલે કે ચોમાસુ એવું જ રહે છે જેવો મંદિરમાંથી સંકેત મળે છે. ભારતીય પુરાતત્વ વિભાગના અનેક અધિકારીઓ અને વૈજ્ઞાનિકો પણ આ રહસ્યનું સંશોધન કરી રહ્યા છે. પુરાતત્વ વિભાગે કાર્બન ડેટિંગ પણ કર્યું છે જેના પરથી વિગતો મળી છે કે આ મંદિર 4000 વર્ષ જૂનું છે.


મંદિરના ચમત્કારો અંગે થાય છે દેશભરમાં ચર્ચા

ભગવાન જગન્નાથના આ મંદિરના નિર્માણને લઈને ઈતિહાસકારો અને પુરાતત્વવિદોમાં મતભેદ છે. ગર્ભગૃહની અંદર અને બહાર કોતરવામાં આવેલી આકૃતિઓ અનુસાર, આ મંદિર બીજી અને ચોથી સદીની વચ્ચે બંધાયેલું હોવું જોઈએ. જો કે આ મંદિર તેના ચમત્કારો માટે દેશભરમાં ખ્યાતિ પામેલું છે.. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આ મંદિરના રથયાત્રા ઉત્સવમાં ભાગ લે છે.. આવી અવનવી વાતોના વીડિયો અમે આપના સુધી પહોંચાડતા રહીશું. 



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.