મહારાષ્ટ્રમાં સર્જાયો ભીષણ રોડ અકસ્માત, બસમાં લાગેલી આગમાં આટલી જિંદગી હોમાઈ, સીએમે શોક કર્યો વ્યક્ત


  • Published By :
  • Published Date : 2023-07-01 11:56:11

આપણે બસ મુસાફરી કરી રહ્યા હોઈએ અને એ બસ મુસાફરી આપણી અંતિમ યાત્રામાં ફેરવાઈ જાય તો? યાત્રા કરતી વખતે આપણને એવું હોય કે આપણે આપણા ડેસ્ટિનેશન પહોંચી શું, પરંતુ ઘણી વખત તે બસને અકસ્માત નડતો હોય છે. આ વાત એટલા માટે કરી રહ્યા છે કે કારણ કે મહારાષ્ટ્રના બુલઢાણામાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. બસ પોલ સાથે અથડાઈ જતા અને ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ હતી. જેને કારણે બસમાં આગ લાગી ગઈ અને 26 લોકો બળીને મોતને ભેટ્યા હતા. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે સર્જાઈ હતી. મહત્વનું છે કે બસની બારીના કાચ તોડીને આઠ લોકોને બચાવી લેવાયા હતા. બસમાં 33 લોકો સવાર હતા.

 

મહારાષ્ટ્રમાં સર્જાયો ભીષણ રોડ અક્માત 

અકસ્માતની સંખ્યા પ્રતિદિન વધી ગઈ છે. અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. દરરોજ અકસ્માતના સમાચારો સામે આવતા રહે છે જેમાં આટલા લોકોના મોત થયા છે આટલા લોકો ઘાયલ થયા છે તેવી માહિતી આપવામાં આવતી હોય છે. ત્યારે એક ભીષણ રોડ અકસ્માત મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે બન્યો છે. બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક બસ પોલ સાથે ભટકાઈ તે બાદ ડિવાઈડર સાથે ભટકાઈ અને તે બાદ આખી બસ પલટી ગઈ અને અંતે બસ સળગી ગઈ.

26 લોકો બળીને થયા ખાખ  

આ બસમાં 33 લોકો સવાર હતા. 26 લોકો બસમાં લાગેલી આગમાં હોમાઈ ગયા છે. અંદાજીત આઠ લોકોને બચાવી લેવામાં  આવ્યા છે. આ અકસ્માતમાં ડ્રાઈવરનો જીવ પણ બચી ગયો છે. અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે ટાયર ફાટી ગયા પછી આ અકસ્માત સર્જાયો છે. જે બાદ ડીઝલની ટાંકીમાં આગ લાગી હતી જેને કારણે બસમાં આગ ફેલાઈ ગઈ અને આ અકસ્માત સર્જાયો.   

આ રીતે બસ સાથે સર્જાઈ દુર્ઘટના 

જે બસને અકસ્માત નડયો હતો તે લકઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, તે વચ્ચે જ આ અકસ્માત સર્જાયો છે. રાત્રે  લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ભીષણ અકસ્માત સર્જાયો છે. જે લોકોને બચાવવામાં આવ્યા છે તેમની હાલત પણ ગંભીર છે. 7 જેટલા મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યા છે. અકસ્માતને લઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદેએ શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારને સહાય આપવાની જાહેરાત કરી છે. પાંચ લાખની સહાય આપવામાં  આવશે. આ ઘટના અંગે પણ તપાસ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં  આવી છે. 


અનેક વખત સર્જાયા છે ભીષણ રોડ અકસ્માત

આની પહેલા પણ અનેક એવા કિસ્સાઓ છે જેમાં બસને અકસ્માત નડ્યો હોય અને લોકોના જીવ ગયા હોય. એપ્રિલ 2023માં પૂણે-બેંગ્લૂરૂ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતાં ચાર જેટલા લોકોના મોત થયા હતા. તે સિવાય પણ મધ્યપ્રદેશમાં પણ એક ભીષણ રોડ અકસ્માત થયો હતો જેમાં બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી જેમાં 11 જેટલા લોકોના મોત થયા હતા. 


આટલા લોકોએ ગુમાવ્યા છે જીવ 

તે સિવાય મહારાષ્ટ્રમાં  એપ્રિલ 2023માં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બસ ખાઈમાં પડી ગઈ હતી અને 13 જેટલા લોકોના મોત થયા છે. તે પહેલા કલોલમાં પણ પાંચ મુસાફરોના એસટી બસની અડફેટે આવતા મોત નિપજ્યાં હતા. તે પહેલા આગરામાં પણ  ટેન્કરની પાછળ બસ ઘૂસી જતા અનેક લોકોના મોત થયા હતા. થોડા સમય પહેલા મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો તેમાં બસની ટક્કરથી 6 લોકોના મોત થયા છે.       



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.