મહારાષ્ટ્રમાં સર્જાયો ભીષણ રોડ અકસ્માત, બસમાં લાગેલી આગમાં આટલી જિંદગી હોમાઈ, સીએમે શોક કર્યો વ્યક્ત


  • Published By :
  • Published Date : 2023-07-01 11:56:11

આપણે બસ મુસાફરી કરી રહ્યા હોઈએ અને એ બસ મુસાફરી આપણી અંતિમ યાત્રામાં ફેરવાઈ જાય તો? યાત્રા કરતી વખતે આપણને એવું હોય કે આપણે આપણા ડેસ્ટિનેશન પહોંચી શું, પરંતુ ઘણી વખત તે બસને અકસ્માત નડતો હોય છે. આ વાત એટલા માટે કરી રહ્યા છે કે કારણ કે મહારાષ્ટ્રના બુલઢાણામાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. બસ પોલ સાથે અથડાઈ જતા અને ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ હતી. જેને કારણે બસમાં આગ લાગી ગઈ અને 26 લોકો બળીને મોતને ભેટ્યા હતા. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે સર્જાઈ હતી. મહત્વનું છે કે બસની બારીના કાચ તોડીને આઠ લોકોને બચાવી લેવાયા હતા. બસમાં 33 લોકો સવાર હતા.

 

મહારાષ્ટ્રમાં સર્જાયો ભીષણ રોડ અક્માત 

અકસ્માતની સંખ્યા પ્રતિદિન વધી ગઈ છે. અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. દરરોજ અકસ્માતના સમાચારો સામે આવતા રહે છે જેમાં આટલા લોકોના મોત થયા છે આટલા લોકો ઘાયલ થયા છે તેવી માહિતી આપવામાં આવતી હોય છે. ત્યારે એક ભીષણ રોડ અકસ્માત મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે બન્યો છે. બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક બસ પોલ સાથે ભટકાઈ તે બાદ ડિવાઈડર સાથે ભટકાઈ અને તે બાદ આખી બસ પલટી ગઈ અને અંતે બસ સળગી ગઈ.

26 લોકો બળીને થયા ખાખ  

આ બસમાં 33 લોકો સવાર હતા. 26 લોકો બસમાં લાગેલી આગમાં હોમાઈ ગયા છે. અંદાજીત આઠ લોકોને બચાવી લેવામાં  આવ્યા છે. આ અકસ્માતમાં ડ્રાઈવરનો જીવ પણ બચી ગયો છે. અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે ટાયર ફાટી ગયા પછી આ અકસ્માત સર્જાયો છે. જે બાદ ડીઝલની ટાંકીમાં આગ લાગી હતી જેને કારણે બસમાં આગ ફેલાઈ ગઈ અને આ અકસ્માત સર્જાયો.   

આ રીતે બસ સાથે સર્જાઈ દુર્ઘટના 

જે બસને અકસ્માત નડયો હતો તે લકઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, તે વચ્ચે જ આ અકસ્માત સર્જાયો છે. રાત્રે  લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ભીષણ અકસ્માત સર્જાયો છે. જે લોકોને બચાવવામાં આવ્યા છે તેમની હાલત પણ ગંભીર છે. 7 જેટલા મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યા છે. અકસ્માતને લઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદેએ શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારને સહાય આપવાની જાહેરાત કરી છે. પાંચ લાખની સહાય આપવામાં  આવશે. આ ઘટના અંગે પણ તપાસ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં  આવી છે. 


અનેક વખત સર્જાયા છે ભીષણ રોડ અકસ્માત

આની પહેલા પણ અનેક એવા કિસ્સાઓ છે જેમાં બસને અકસ્માત નડ્યો હોય અને લોકોના જીવ ગયા હોય. એપ્રિલ 2023માં પૂણે-બેંગ્લૂરૂ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતાં ચાર જેટલા લોકોના મોત થયા હતા. તે સિવાય પણ મધ્યપ્રદેશમાં પણ એક ભીષણ રોડ અકસ્માત થયો હતો જેમાં બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી જેમાં 11 જેટલા લોકોના મોત થયા હતા. 


આટલા લોકોએ ગુમાવ્યા છે જીવ 

તે સિવાય મહારાષ્ટ્રમાં  એપ્રિલ 2023માં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બસ ખાઈમાં પડી ગઈ હતી અને 13 જેટલા લોકોના મોત થયા છે. તે પહેલા કલોલમાં પણ પાંચ મુસાફરોના એસટી બસની અડફેટે આવતા મોત નિપજ્યાં હતા. તે પહેલા આગરામાં પણ  ટેન્કરની પાછળ બસ ઘૂસી જતા અનેક લોકોના મોત થયા હતા. થોડા સમય પહેલા મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો તેમાં બસની ટક્કરથી 6 લોકોના મોત થયા છે.       



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.