જમ્મુ-કાશ્મીરમાં પોલીસનું ગળું કાપી આતંકીની બર્બરતા, અમિત શાહને ખુલ્લી ચેલેન્જ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 13:32:18

જમ્મુ કાશ્મીરના ઉદયવાલા વિસ્તારમાં પોલીસ અધિકારી જેલ હેમંત લોહિયાના નોકર યાસિરે તેમનું ગળું કાપીને હત્યા કરી દીધી છે. ડીજી લોહિયાના ઘરે તેમનું મૃત શરીર મળી આવ્યું હતું. 


બોટલથી પોલીસ અધિકારીનું ગળું કાપી નાખ્યું 


નોકર યાસીર એક આતંકી છે તેવા સમાચાર મળી રહ્યા છે. ડીજી લોહિયા જ્યારે તેમના ઘરે ગયા હતા ત્યારે યાસીરે તેમની હત્યા કરી હતી. મળતા સમાચાર મુજબ આતંકી યાસીરે કેચ-અપની બોટલથી જમ્મુ કાશ્મીરના ડીજીનું ગળું કાપી નાખ્યું હતું. ડીજી લોહિયાના શરીર પર ડામ પણ આપવામાં આવ્યા હતા અને શરીર પર ઘાવ પણ મળી આવ્યા છે. 


આતંકીઓને અમિત શાહને ખુલ્લી ચેતવણી 


આતંકી નોકર યાસીરે ડીજીની હત્યા કર્યા બાત તેના આતંકી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે હત્યાની જવાબદારી લીધી હતી. તેમણે દેશના ગૃહમંત્રી અમિત શાહને ખુલ્લી ચેતવણી આપીને કહ્યું હતું કે, "અમેં અમિત શાહને આ ભેટ આપી છે." ડીજી લોહિયાના મૃતદેહને સળગાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. આતંકી સંગઠને હલકાઈ દર્શાવી જણાવ્યું હતું કે, "અમે ગમે તેને ગમે ત્યારે મારી શકીએ છીએ."


અમિત શાહ હાલ જમ્મુ કાશ્મીર મુલાકાતે છે


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. અમિત શાહ સોમવારે રાત્રે જમ્મુ પહોંચ્યા હતા. અમિત શાહ આવતીકાલ બુધવાર સુધી જમ્મુ-કાશ્મીર રહેશે. દેશના ગૃહમંત્રી જમ્મુ કાશ્મીરમાં છે તે દરમિયાન જ આવી આતંકી ઘટનાને આતંકીઓએ અંજામ આપ્યો છે.    


આ બહુ દુઃખદ ઘટના છેઃ જમ્મુ કાશ્મીરના પોલીસ વડા


જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ ખૂબ દુઃખદ ઘટના છે. જમ્મુ કાશ્મીરના ડીજી હેમંત લોહિયા તેમના મિત્રના ઘરે હતા. તેમના યાસિન નામનો નોકર જે એક આતંકવાતી પ્રવૃતિનો માણસ છે તેણે ડીજી ઉપર જીવલેણ હુમલો કરી તેમનું ગળું કાપી નાખ્યું છે. યાસીરે ડીજીનું શરીર સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. 


આરોપીને પોલીસે દબોચી લીધો

આતંકવાદી નોકર યાસીર હત્યા બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ ચલાવી યાસીરને ઝડપી લીધો હતો. યાસીર અહમદ કનાચક ક્ષેત્રના ખેતરમાં સંતાઈ ગયો હતો. હાલ આરોપી યાસીરની પૂછપરછ ચાલી રહી છે. 




 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .