જમ્મુ-કાશ્મીરમાં પોલીસનું ગળું કાપી આતંકીની બર્બરતા, અમિત શાહને ખુલ્લી ચેલેન્જ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 13:32:18

જમ્મુ કાશ્મીરના ઉદયવાલા વિસ્તારમાં પોલીસ અધિકારી જેલ હેમંત લોહિયાના નોકર યાસિરે તેમનું ગળું કાપીને હત્યા કરી દીધી છે. ડીજી લોહિયાના ઘરે તેમનું મૃત શરીર મળી આવ્યું હતું. 


બોટલથી પોલીસ અધિકારીનું ગળું કાપી નાખ્યું 


નોકર યાસીર એક આતંકી છે તેવા સમાચાર મળી રહ્યા છે. ડીજી લોહિયા જ્યારે તેમના ઘરે ગયા હતા ત્યારે યાસીરે તેમની હત્યા કરી હતી. મળતા સમાચાર મુજબ આતંકી યાસીરે કેચ-અપની બોટલથી જમ્મુ કાશ્મીરના ડીજીનું ગળું કાપી નાખ્યું હતું. ડીજી લોહિયાના શરીર પર ડામ પણ આપવામાં આવ્યા હતા અને શરીર પર ઘાવ પણ મળી આવ્યા છે. 


આતંકીઓને અમિત શાહને ખુલ્લી ચેતવણી 


આતંકી નોકર યાસીરે ડીજીની હત્યા કર્યા બાત તેના આતંકી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે હત્યાની જવાબદારી લીધી હતી. તેમણે દેશના ગૃહમંત્રી અમિત શાહને ખુલ્લી ચેતવણી આપીને કહ્યું હતું કે, "અમેં અમિત શાહને આ ભેટ આપી છે." ડીજી લોહિયાના મૃતદેહને સળગાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. આતંકી સંગઠને હલકાઈ દર્શાવી જણાવ્યું હતું કે, "અમે ગમે તેને ગમે ત્યારે મારી શકીએ છીએ."


અમિત શાહ હાલ જમ્મુ કાશ્મીર મુલાકાતે છે


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. અમિત શાહ સોમવારે રાત્રે જમ્મુ પહોંચ્યા હતા. અમિત શાહ આવતીકાલ બુધવાર સુધી જમ્મુ-કાશ્મીર રહેશે. દેશના ગૃહમંત્રી જમ્મુ કાશ્મીરમાં છે તે દરમિયાન જ આવી આતંકી ઘટનાને આતંકીઓએ અંજામ આપ્યો છે.    


આ બહુ દુઃખદ ઘટના છેઃ જમ્મુ કાશ્મીરના પોલીસ વડા


જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ ખૂબ દુઃખદ ઘટના છે. જમ્મુ કાશ્મીરના ડીજી હેમંત લોહિયા તેમના મિત્રના ઘરે હતા. તેમના યાસિન નામનો નોકર જે એક આતંકવાતી પ્રવૃતિનો માણસ છે તેણે ડીજી ઉપર જીવલેણ હુમલો કરી તેમનું ગળું કાપી નાખ્યું છે. યાસીરે ડીજીનું શરીર સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. 


આરોપીને પોલીસે દબોચી લીધો

આતંકવાદી નોકર યાસીર હત્યા બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ ચલાવી યાસીરને ઝડપી લીધો હતો. યાસીર અહમદ કનાચક ક્ષેત્રના ખેતરમાં સંતાઈ ગયો હતો. હાલ આરોપી યાસીરની પૂછપરછ ચાલી રહી છે. 




 




એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.