જમ્મુ-કાશ્મીરમાં પોલીસનું ગળું કાપી આતંકીની બર્બરતા, અમિત શાહને ખુલ્લી ચેલેન્જ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 13:32:18

જમ્મુ કાશ્મીરના ઉદયવાલા વિસ્તારમાં પોલીસ અધિકારી જેલ હેમંત લોહિયાના નોકર યાસિરે તેમનું ગળું કાપીને હત્યા કરી દીધી છે. ડીજી લોહિયાના ઘરે તેમનું મૃત શરીર મળી આવ્યું હતું. 


બોટલથી પોલીસ અધિકારીનું ગળું કાપી નાખ્યું 


નોકર યાસીર એક આતંકી છે તેવા સમાચાર મળી રહ્યા છે. ડીજી લોહિયા જ્યારે તેમના ઘરે ગયા હતા ત્યારે યાસીરે તેમની હત્યા કરી હતી. મળતા સમાચાર મુજબ આતંકી યાસીરે કેચ-અપની બોટલથી જમ્મુ કાશ્મીરના ડીજીનું ગળું કાપી નાખ્યું હતું. ડીજી લોહિયાના શરીર પર ડામ પણ આપવામાં આવ્યા હતા અને શરીર પર ઘાવ પણ મળી આવ્યા છે. 


આતંકીઓને અમિત શાહને ખુલ્લી ચેતવણી 


આતંકી નોકર યાસીરે ડીજીની હત્યા કર્યા બાત તેના આતંકી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે હત્યાની જવાબદારી લીધી હતી. તેમણે દેશના ગૃહમંત્રી અમિત શાહને ખુલ્લી ચેતવણી આપીને કહ્યું હતું કે, "અમેં અમિત શાહને આ ભેટ આપી છે." ડીજી લોહિયાના મૃતદેહને સળગાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. આતંકી સંગઠને હલકાઈ દર્શાવી જણાવ્યું હતું કે, "અમે ગમે તેને ગમે ત્યારે મારી શકીએ છીએ."


અમિત શાહ હાલ જમ્મુ કાશ્મીર મુલાકાતે છે


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. અમિત શાહ સોમવારે રાત્રે જમ્મુ પહોંચ્યા હતા. અમિત શાહ આવતીકાલ બુધવાર સુધી જમ્મુ-કાશ્મીર રહેશે. દેશના ગૃહમંત્રી જમ્મુ કાશ્મીરમાં છે તે દરમિયાન જ આવી આતંકી ઘટનાને આતંકીઓએ અંજામ આપ્યો છે.    


આ બહુ દુઃખદ ઘટના છેઃ જમ્મુ કાશ્મીરના પોલીસ વડા


જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ ખૂબ દુઃખદ ઘટના છે. જમ્મુ કાશ્મીરના ડીજી હેમંત લોહિયા તેમના મિત્રના ઘરે હતા. તેમના યાસિન નામનો નોકર જે એક આતંકવાતી પ્રવૃતિનો માણસ છે તેણે ડીજી ઉપર જીવલેણ હુમલો કરી તેમનું ગળું કાપી નાખ્યું છે. યાસીરે ડીજીનું શરીર સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. 


આરોપીને પોલીસે દબોચી લીધો

આતંકવાદી નોકર યાસીર હત્યા બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ ચલાવી યાસીરને ઝડપી લીધો હતો. યાસીર અહમદ કનાચક ક્ષેત્રના ખેતરમાં સંતાઈ ગયો હતો. હાલ આરોપી યાસીરની પૂછપરછ ચાલી રહી છે. 




 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે